આમ આદમી પાર્ટી દ્વારા શહેરના તમામ વોર્ડના 72 ઉમેદવારો જાહેર કરાયા
4 કલાકનાં આ રોડ શોમા આશરે 20 કિલોમીટર જેટલા રૂટ બનાવીને મોટા ભાગના વોર્ડ કવર કરવાનો પ્રયત્ન
WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીએ શહેરના તમામ વોર્ડના 72 ઉમેદવારો જાહેર કરી વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં ઉતરી છે. ત્યારે કાલે દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી અને એજ્યુકેશન મિનિસ્ટર હોવાની સાથે દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિનાં પ્રણેતા તરીકે ખ્યાતિ પામેલા મનીષ સીસોદીયા ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે. અને તેમનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો છે. આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા વિગતો જાહેર કરવામાં આવી છે.
મનીષ સિસોદિયાના રાજકોટમાં યોજાનાર રોડ શોની માહિતી આપતા લોખીલ અને ઝાલાએ જણાવ્યું હતું કે, આ રોડ શોનો પ્રારંભ ગ્રીન લેન્ડ ચોકડીથી થશે તે પૂર્વે સિસોદિયા પૂજ્ય શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમે દર્શન કરવા જશે. અને બાદમાં જ રોડ શોનો પ્રારંભ કરશે. બાદમાં બહુમાળી ભવન પાસેની સરદાર પટેલની પ્રતિમા પાસે રોડ શો પૂર્ણ થશે. અંદાજિત 4 કલાકનાં આ રોડ શોમા આશરે 20 કિલોમીટર જેટલા રૂટ બનાવીને મોટા ભાગના વોર્ડ કવર કરવાનો પ્રયત્ન કરાયો છે. આ રોડ શોમા આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તા પોતાના બાઈક સાથે જોડાશે. અને રોડ શો દરમિયાન અનેક સ્થળે મનીષ સિસોદિયાનું સ્વાગત કરવામાં આવશે.
વધુમાં અહીં જણાવ્યા મુજબ, પાર્ટીનો રાજકોટ અને ગુજરાતની જનતાને સ્પષ્ટ સંદેશ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબજ ગંભીરતાથી આગળ વધી રહી છે. તેમજ ખરા અર્થમાં જનતા માટે વિકલ્પ બનવા જઈ રહી છે. નોંધનીય બાબત છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજમાં પહેલીવાર ભાજપ-કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજો પક્ષ આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉતારી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી ખાતે ભ્રષ્ટાચાર મુક્ત, ઈમાનદાર શાસન ચલાવીને સમગ્ર દેશમા કામની રાજનીતિની શરૂઆત કરી છે. અનેપાર્ટી આ કામની રાજનીતિ આખા દેશમાં પ્રસ્થાપિત કરવા સતત પ્રયત્ન કરી રહી છે, તેના ભાગ રૂપે ગુજરાતમાં પણ આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાનો નિર્ણય આમ આદમી પાર્ટીએ 6 મહિના પહેલા જાહેર કર્યો હતો.
રાજકોટમાં પણ રાજનીતિમાં બદલવાના ઉદેશ સાથે ઈમાનદાર, પ્રતિષ્ઠિત અને શિક્ષિત યુવાઓને પાર્ટીમા જોડીને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા પ્રેરિત કર્યા છે. જેથી રાજકોટમા આમ આદમી પાર્ટીના બેનર હેઠળ અનેક ક્રાંતિકારી યુવાનો અને યુવતીઓ આમ આદમી પાર્ટી માંથી ચૂંટણી લડી રહ્યા છે. અને ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. તેવે સમયે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વ આમ આદમી પાર્ટી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવે તે માટે સતત પ્રયત્નશીલ છે. અને ઘણા સમયથી દિલ્હીના કેબીનેટ મંત્રીઓ, ધારાસભ્યો અને પાર્ટીનાં કદાવર નેતાઓ ગુજરાતમાં સતત પ્રવાસો કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટી દ્વારા શહેરના તમામ વોર્ડના 72 ઉમેદવારો જાહેર કરાયા
4 કલાકનાં આ રોડ શોમા આશરે 20 કિલોમીટર જેટલા રૂટ બનાવીને મોટા ભાગના વોર્ડ કવર કરવાનો પ્રયત્ન
WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીએ શહેરના તમામ વોર્ડના 72 ઉમેદવારો જાહેર કરી વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં ઉતરી છે. ત્યારે કાલે દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી અને એજ્યુકેશન મિનિસ્ટર હોવાની સાથે દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિનાં પ્રણેતા તરીકે ખ્યાતિ પામેલા મનીષ સીસોદીયા ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે. અને તેમનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો છે. આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા વિગતો જાહેર કરવામાં આવી છે.
મનીષ સિસોદિયાના રાજકોટમાં યોજાનાર રોડ શોની માહિતી આપતા લોખીલ અને ઝાલાએ જણાવ્યું હતું કે, આ રોડ શોનો પ્રારંભ ગ્રીન લેન્ડ ચોકડીથી થશે તે પૂર્વે સિસોદિયા પૂજ્ય શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમે દર્શન કરવા જશે. અને બાદમાં જ રોડ શોનો પ્રારંભ કરશે. બાદમાં બહુમાળી ભવન પાસેની સરદાર પટેલની પ્રતિમા પાસે રોડ શો પૂર્ણ થશે. અંદાજિત 4 કલાકનાં આ રોડ શોમા આશરે 20 કિલોમીટર જેટલા રૂટ બનાવીને મોટા ભાગના વોર્ડ કવર કરવાનો પ્રયત્ન કરાયો છે. આ રોડ શોમા આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તા પોતાના બાઈક સાથે જોડાશે. અને રોડ શો દરમિયાન અનેક સ્થળે મનીષ સિસોદિયાનું સ્વાગત કરવામાં આવશે.
વધુમાં અહીં જણાવ્યા મુજબ, પાર્ટીનો રાજકોટ અને ગુજરાતની જનતાને સ્પષ્ટ સંદેશ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબજ ગંભીરતાથી આગળ વધી રહી છે. તેમજ ખરા અર્થમાં જનતા માટે વિકલ્પ બનવા જઈ રહી છે. નોંધનીય બાબત છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજમાં પહેલીવાર ભાજપ-કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજો પક્ષ આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉતારી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી ખાતે ભ્રષ્ટાચાર મુક્ત, ઈમાનદાર શાસન ચલાવીને સમગ્ર દેશમા કામની રાજનીતિની શરૂઆત કરી છે. અનેપાર્ટી આ કામની રાજનીતિ આખા દેશમાં પ્રસ્થાપિત કરવા સતત પ્રયત્ન કરી રહી છે, તેના ભાગ રૂપે ગુજરાતમાં પણ આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાનો નિર્ણય આમ આદમી પાર્ટીએ 6 મહિના પહેલા જાહેર કર્યો હતો.
રાજકોટમાં પણ રાજનીતિમાં બદલવાના ઉદેશ સાથે ઈમાનદાર, પ્રતિષ્ઠિત અને શિક્ષિત યુવાઓને પાર્ટીમા જોડીને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા પ્રેરિત કર્યા છે. જેથી રાજકોટમા આમ આદમી પાર્ટીના બેનર હેઠળ અનેક ક્રાંતિકારી યુવાનો અને યુવતીઓ આમ આદમી પાર્ટી માંથી ચૂંટણી લડી રહ્યા છે. અને ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. તેવે સમયે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વ આમ આદમી પાર્ટી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવે તે માટે સતત પ્રયત્નશીલ છે. અને ઘણા સમયથી દિલ્હીના કેબીનેટ મંત્રીઓ, ધારાસભ્યો અને પાર્ટીનાં કદાવર નેતાઓ ગુજરાતમાં સતત પ્રવાસો કરી રહ્યા છે.