ગુજરાતના રાજકારણમાં ત્રીજા વિકલ્પરૂપે આવેલી આમ આદમી પાર્ટીના કારણેનું મતવિભાજન હાલ કોંગ્રેસને ભારે નુકસાનકર્તા સાબિત થયુ
સુરતમાં 'આપ'ની ધમાકેદાર એન્ટ્રી, રાજકોટમાં કોંગ્રેસના સુપડા સાફ થવામાં 'આપ' પાર્ટીનું ફેકટર અસરકાર રહ્યુ
'આપ'નાં આઠ ઉમેદવારો એવા છે કે, જેઓ ભાજપનાં મુરતિયાઓને પછાડવામાં મામુલી અંતરે જ ચુકી ગયા
WatchGujarat ગુજરાતના રાજકારણમાં ત્રીજા વિકલ્પરૂપે આવેલી આમ આદમી પાર્ટીના કારણેનું મતવિભાજન હાલ કોંગ્રેસને ભારે નુકસાનકર્તા સાબિત થયુ છે. અને સુરતમાં 'આપ'ની ધમાકેદાર એન્ટ્રી પણ થઈ ચૂકી છે. રાજકોટમાં કોંગ્રેસના સુપડા સાફ થવામાં 'આપ' પાર્ટીનું ફેકટર અસરકાર રહ્યુ છે. તે આંકડા પરથી સ્પષ્ટ થાય છે. પણ 'આપ'નાં આઠ ઉમેદવારો એવા છે કે, જેઓ ભાજપનાં મુરતિયાઓને પછાડવામાં મામુલી અંતરે જ ચુકી ગયા છે. ત્યારે 'આપ'ની અવગણના આવનારા સમયમાં ભાજપને ભારે પડી શકે છે.
રાજકોટમાં 'આપ'ને તમામ 72 બેઠક પર ચૂંટણી લડી 3.43 લાખ મત અંકે કરવામા સફળતા મળી છે. તેની સામે કોંગ્રેસના 70 ઉમેદવારોએ 4.88 લાખ મત જ મેળવ્યા છે. પ્રથમ વખત જ આવેલી આપ પાર્ટી અને સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના મત વચ્ચે માત્ર 1.45 લાખનો જ ડિફરન્સ છે. એ જોતા એ તો માનવુ પડે કે, આમ આદમી પાર્ટી બેઠક જીતવામાં નિષ્ફળ રહી પરંતુ જનાધાર મેળવવામા અને વિકલ્પરૂપ પાર્ટી તરીકે સફળ રહી છે.
વોર્ડ નં.1, 4, 8, 9, 11 અને 14માં તો 'આપ' પાર્ટીએ કોંગ્રેસને પાછળ રાખીને બીજા ક્રમે સ્થાન મેળવ્યુ છે. ઉક્ત વોર્ડમાં આપ પાર્ટીના આઠ ઉમેદવારો તો એવા છે કે, જેને થોડા વધુ મત મળી ગયા હોત તો ભાજપનાં ઉમેદવારોને પછાડીને મનપાના રાજકારણમાં વિપક્ષ તરીકે પગદંડો જમાવી જાયન્ટ કિલર બનવાની ક્ષમતા બતાવી હતી. એટલું જ નહીં અમુક વોર્ડમાં તો 'આપ' કોંગ્રેસ કરતા પણ વધુ મત મેળવવામાં સફળ રહી છે. જેમાં વોર્ડ નં.1, 4, 8, 9, 11 અને 14માં 'આપ' પાર્ટી બીજા નંબરનો પક્ષ બન્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીને રાજકોટની જનતાએ સ્વીકારી નથી એવુ કહેવું કોઈપણ રીતે યોગ્ય નથી.
'આપ' પાર્ટીમાં હારવા છતાં ભાજપને ભારે પડી શકે તેવા ઉમેદવારો
રાહુલ ભુવા(વોર્ડ નં.4)(મળેલ મત 9855)
ચેતન કમાણી(વોર્ડ નં.11)(મળેલ મત 9157)
દીપક મકવાણા(વોર્ડ નં.4)(મળેલ મત 8195)
અલ્પાબેન પટોળિયા(વોર્ડ નં.11)(મળેલ મત8045)
અલ્કાબેન ડાંગર(વોર્ડ નં.4)(મળેલ મત 7983)
શિવાલાલભાઇ પટેલ(વોર્ડ નં.8)(મળેલ મત 7237)
મીનાબા રાજદીપસિંહ(વોર્ડ નં.11)(મળેલ મત 7114)
પંકજ વાઘેલા(વોર્ડ નં.11)(મળેલ મત 7096)
ગુજરાતના રાજકારણમાં ત્રીજા વિકલ્પરૂપે આવેલી આમ આદમી પાર્ટીના કારણેનું મતવિભાજન હાલ કોંગ્રેસને ભારે નુકસાનકર્તા સાબિત થયુ
'આપ'નાં આઠ ઉમેદવારો એવા છે કે, જેઓ ભાજપનાં મુરતિયાઓને પછાડવામાં મામુલી અંતરે જ ચુકી ગયા
WatchGujarat ગુજરાતના રાજકારણમાં ત્રીજા વિકલ્પરૂપે આવેલી આમ આદમી પાર્ટીના કારણેનું મતવિભાજન હાલ કોંગ્રેસને ભારે નુકસાનકર્તા સાબિત થયુ છે. અને સુરતમાં 'આપ'ની ધમાકેદાર એન્ટ્રી પણ થઈ ચૂકી છે. રાજકોટમાં કોંગ્રેસના સુપડા સાફ થવામાં 'આપ' પાર્ટીનું ફેકટર અસરકાર રહ્યુ છે. તે આંકડા પરથી સ્પષ્ટ થાય છે. પણ 'આપ'નાં આઠ ઉમેદવારો એવા છે કે, જેઓ ભાજપનાં મુરતિયાઓને પછાડવામાં મામુલી અંતરે જ ચુકી ગયા છે. ત્યારે 'આપ'ની અવગણના આવનારા સમયમાં ભાજપને ભારે પડી શકે છે.
રાજકોટમાં 'આપ'ને તમામ 72 બેઠક પર ચૂંટણી લડી 3.43 લાખ મત અંકે કરવામા સફળતા મળી છે. તેની સામે કોંગ્રેસના 70 ઉમેદવારોએ 4.88 લાખ મત જ મેળવ્યા છે. પ્રથમ વખત જ આવેલી આપ પાર્ટી અને સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના મત વચ્ચે માત્ર 1.45 લાખનો જ ડિફરન્સ છે. એ જોતા એ તો માનવુ પડે કે, આમ આદમી પાર્ટી બેઠક જીતવામાં નિષ્ફળ રહી પરંતુ જનાધાર મેળવવામા અને વિકલ્પરૂપ પાર્ટી તરીકે સફળ રહી છે.
વોર્ડ નં.1, 4, 8, 9, 11 અને 14માં તો 'આપ' પાર્ટીએ કોંગ્રેસને પાછળ રાખીને બીજા ક્રમે સ્થાન મેળવ્યુ છે. ઉક્ત વોર્ડમાં આપ પાર્ટીના આઠ ઉમેદવારો તો એવા છે કે, જેને થોડા વધુ મત મળી ગયા હોત તો ભાજપનાં ઉમેદવારોને પછાડીને મનપાના રાજકારણમાં વિપક્ષ તરીકે પગદંડો જમાવી જાયન્ટ કિલર બનવાની ક્ષમતા બતાવી હતી. એટલું જ નહીં અમુક વોર્ડમાં તો 'આપ' કોંગ્રેસ કરતા પણ વધુ મત મેળવવામાં સફળ રહી છે. જેમાં વોર્ડ નં.1, 4, 8, 9, 11 અને 14માં 'આપ' પાર્ટી બીજા નંબરનો પક્ષ બન્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીને રાજકોટની જનતાએ સ્વીકારી નથી એવુ કહેવું કોઈપણ રીતે યોગ્ય નથી.
'આપ' પાર્ટીમાં હારવા છતાં ભાજપને ભારે પડી શકે તેવા ઉમેદવારો