શહેરમાં કોરોના પોઝીટીવ કેસની સાથે સાથે મૃતકોની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાઇ રહ્યો છે.
સરકારી હોસ્પિટલમાં દર્દીઓનાં ડબલ વધારાને પહોંચી વળવાની સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો
WatchGujarat શહેરમાં કોરોના પોઝીટીવ કેસની સાથે સાથે મૃતકોની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાઇ રહ્યો છે. ગઈકાલે 9 દર્દીઓનાં કોરોનાથી મોત નિપજ્યા હતા. ત્યારે આજે સવારે 8 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન કાળમુખા કોરોનાએ વધુ 11 લોકોનો ભોગ લેતા શહેરમાં ફફડાટ ફેલાયો છે. એટલું જ નહીં હાલમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં પણ સતત વધારો થતાં શહેરની મોટા ભાગની ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ચૂકી છે. જો કે સરકારી હોસ્પિટલમાં દર્દીઓનાં ડબલ વધારાને પહોંચી વળવાની સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં જ વધુ 11 દર્દીઓનાં કોરોનાથી મોત નિપજ્યા છે. જો કે ગઈકાલે થયેલા 9 દર્દીઓના મોત પૈકી એક પણ દર્દીનું મોત કોરોનાથી નહીં થયું હોવાનું ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરાયું છે. બીજીતરફ ગત સાંજ સુધીમાં કોરોનાનાં કુલ દર્દીઓની સંખ્યા 19,093 પર પહોંચી છે. તેમજ 129 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા હાલ 956 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે રિકવરી રેઈટ સતત ઘટી 94.26% નાં તળિયે પહોંચતા આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઇ છે. અને ઠેર-ઠેર ટેસ્ટિંગ તેમજ વેકસીનેશનની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે.
રાજકોટ એરપોર્ટ પર આજથી કોરોના ટેસ્ટ શરૂ કરાયા
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકાર દ્વારા બહારથી આવતા લોકોનું ચેકીંગ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જે અંતર્ગત મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓ અને એરપોર્ટ ડાયરેક્ટર વચ્ચે ટેસ્ટિંગને લઈ એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં નક્કી થયા મુજબ, આજથી એરપોર્ટ પર આવતા બધા મુસાફરોનો એન્ટિજન ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે. મનપા આરોગ્ય વિભાગનાં અધિકારીઓ આ માટે સતત એરપોર્ટ ઉપર તૈનાત રહેશે. અને શંકાસ્પદ લાગતા મુસાફરને તરત જ કવોરંટાઇન કરવામાં આવશે. તેમજ જરૂર પડ્યે તેને સારવારમાં ખસેડાશે.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે. તેમજ ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ સાથે મળીને વેકસીનેશનની કામગીરી કરવામાં આવી રહીછે. જેમાં 31/03/2021 ના રોજ સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે કોરોના સામેની રસીકરણમાં સાંજ સુધીમાં પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, 60 વર્ષથી મોટી ઉંમરના અને 45 થી 59 વર્ષના કોમોર્બીડીટી ધરાવતા લોકો સહિત કુલ 11215 નાગરિકોએ રસી લીધી હતી. અને આજથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનું પણ વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે.
શહેરમાં કોરોના પોઝીટીવ કેસની સાથે સાથે મૃતકોની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાઇ રહ્યો છે.
સરકારી હોસ્પિટલમાં દર્દીઓનાં ડબલ વધારાને પહોંચી વળવાની સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો
WatchGujarat શહેરમાં કોરોના પોઝીટીવ કેસની સાથે સાથે મૃતકોની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાઇ રહ્યો છે. ગઈકાલે 9 દર્દીઓનાં કોરોનાથી મોત નિપજ્યા હતા. ત્યારે આજે સવારે 8 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન કાળમુખા કોરોનાએ વધુ 11 લોકોનો ભોગ લેતા શહેરમાં ફફડાટ ફેલાયો છે. એટલું જ નહીં હાલમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં પણ સતત વધારો થતાં શહેરની મોટા ભાગની ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ચૂકી છે. જો કે સરકારી હોસ્પિટલમાં દર્દીઓનાં ડબલ વધારાને પહોંચી વળવાની સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં જ વધુ 11 દર્દીઓનાં કોરોનાથી મોત નિપજ્યા છે. જો કે ગઈકાલે થયેલા 9 દર્દીઓના મોત પૈકી એક પણ દર્દીનું મોત કોરોનાથી નહીં થયું હોવાનું ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરાયું છે. બીજીતરફ ગત સાંજ સુધીમાં કોરોનાનાં કુલ દર્દીઓની સંખ્યા 19,093 પર પહોંચી છે. તેમજ 129 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા હાલ 956 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે રિકવરી રેઈટ સતત ઘટી 94.26% નાં તળિયે પહોંચતા આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઇ છે. અને ઠેર-ઠેર ટેસ્ટિંગ તેમજ વેકસીનેશનની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે.
રાજકોટ એરપોર્ટ પર આજથી કોરોના ટેસ્ટ શરૂ કરાયા
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકાર દ્વારા બહારથી આવતા લોકોનું ચેકીંગ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જે અંતર્ગત મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓ અને એરપોર્ટ ડાયરેક્ટર વચ્ચે ટેસ્ટિંગને લઈ એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં નક્કી થયા મુજબ, આજથી એરપોર્ટ પર આવતા બધા મુસાફરોનો એન્ટિજન ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે. મનપા આરોગ્ય વિભાગનાં અધિકારીઓ આ માટે સતત એરપોર્ટ ઉપર તૈનાત રહેશે. અને શંકાસ્પદ લાગતા મુસાફરને તરત જ કવોરંટાઇન કરવામાં આવશે. તેમજ જરૂર પડ્યે તેને સારવારમાં ખસેડાશે.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે. તેમજ ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ સાથે મળીને વેકસીનેશનની કામગીરી કરવામાં આવી રહીછે. જેમાં 31/03/2021 ના રોજ સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે કોરોના સામેની રસીકરણમાં સાંજ સુધીમાં પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, 60 વર્ષથી મોટી ઉંમરના અને 45 થી 59 વર્ષના કોમોર્બીડીટી ધરાવતા લોકો સહિત કુલ 11215 નાગરિકોએ રસી લીધી હતી. અને આજથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનું પણ વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે.