રાજકોટ મનપાની સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ઉદય કાનગડે તો છેલ્લી કમિટિ બેઠક મળી ત્યારે પોતે ચૂંટણી લડવા માંગતા ન હોવાનું જાહેર કર્યું હતું.
2015-2020ની ટર્મના ડઝનેક કોર્પોરેટરોને પણ પડતા મુકાય તેવી પૂરતી સંભાવના પાટીલનાં નિર્ણયને લઈને જોવા મળી રહી છે.
WatchGujarat ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે 60 વર્ષથી મોટી ઉંમરના અને ત્રણ ટર્મ ચૂંટણી લડયા હોય તેવા નેતાઓને પડતા મુકવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેને લઈને રાજકોટ મહાપાલિકામાં રૂપાણીની નજીકના ગણાતા અને પદ ઉપર હોય કે ન હોય છતાં પણ પડયો બોલ ઝીલાતો હતો તેવા નેતાઓને પણ હવે ટિકીટ નહીં મળે. આ સિવાયના પણ અનેક સિનિયરોએ ઘરે બેસી જવાનો વારો આવ્યો છે.
મુખ્યમંત્રી રૂપાણીની અત્યંત નજીકના ગણાતા નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી, અનિલ રાઠોડને પણ હવે ટિકીટ નહીં મળે તો ડો.જયમન ઉપાધ્યાયની સાથે સાથે 2015-2020ની ટર્મના ડઝનેક કોર્પોરેટરોને પણ પડતા મુકાય તેવી પૂરતી સંભાવના પાટીલનાં નિર્ણયને લઈને જોવા મળી રહી છે. તેમજ તેમને ટિકિટ મેળવવા માંથી મુક્તિ મળે તેવા નિર્દેશ ભાજપના સૂત્રોમાંથી મળ્યા છે. જો કે આ પૈકી રાજકોટ મનપાની સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ઉદય કાનગડે તો છેલ્લી કમિટિ બેઠક મળી ત્યારે પોતે ચૂંટણી લડવા માંગતા ન હોવાનું જાહેર કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પ્રદેશ ભાજપની નીતિથી એક તરફ વગદાર નેતાની સાથે પેનલ જીતવાના ચાન્સ વધતા તે ઘટવાનું જોખમ રહેશે તેમ કેટલાકનું માનવવું છે. પરંતુ, ભાજપમાં એકંદરે પક્ષના કાર્યકરોનું નેટવર્ક, સંગઠન જ ચૂંટણી જીતાડતું હોય છે. તેમજ આ નિયમ અમલમાં ચૂસ્ત રીતે મુકાય તો વર્ષોથી પક્ષનું કામ કરતા અન્ય કાર્યકરોને ટિકીટના ચાન્સ અને ઉત્સાહ વધશે. સાથે જ મનપામાં 2005થી સતત ત્રણ ટર્મ શાસકપક્ષમાં રહેલા બે-ચાર નેતાઓનું જ ચાલે છે, તેવા એકહથ્થુ શાસનને પણ બ્રેક લાગવાની પૂરતી સંભાવના છે.
રાજકોટ મનપાની સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ઉદય કાનગડે તો છેલ્લી કમિટિ બેઠક મળી ત્યારે પોતે ચૂંટણી લડવા માંગતા ન હોવાનું જાહેર કર્યું હતું.
2015-2020ની ટર્મના ડઝનેક કોર્પોરેટરોને પણ પડતા મુકાય તેવી પૂરતી સંભાવના પાટીલનાં નિર્ણયને લઈને જોવા મળી રહી છે.
WatchGujarat ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે 60 વર્ષથી મોટી ઉંમરના અને ત્રણ ટર્મ ચૂંટણી લડયા હોય તેવા નેતાઓને પડતા મુકવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેને લઈને રાજકોટ મહાપાલિકામાં રૂપાણીની નજીકના ગણાતા અને પદ ઉપર હોય કે ન હોય છતાં પણ પડયો બોલ ઝીલાતો હતો તેવા નેતાઓને પણ હવે ટિકીટ નહીં મળે. આ સિવાયના પણ અનેક સિનિયરોએ ઘરે બેસી જવાનો વારો આવ્યો છે.
મુખ્યમંત્રી રૂપાણીની અત્યંત નજીકના ગણાતા નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી, અનિલ રાઠોડને પણ હવે ટિકીટ નહીં મળે તો ડો.જયમન ઉપાધ્યાયની સાથે સાથે 2015-2020ની ટર્મના ડઝનેક કોર્પોરેટરોને પણ પડતા મુકાય તેવી પૂરતી સંભાવના પાટીલનાં નિર્ણયને લઈને જોવા મળી રહી છે. તેમજ તેમને ટિકિટ મેળવવા માંથી મુક્તિ મળે તેવા નિર્દેશ ભાજપના સૂત્રોમાંથી મળ્યા છે. જો કે આ પૈકી રાજકોટ મનપાની સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ઉદય કાનગડે તો છેલ્લી કમિટિ બેઠક મળી ત્યારે પોતે ચૂંટણી લડવા માંગતા ન હોવાનું જાહેર કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પ્રદેશ ભાજપની નીતિથી એક તરફ વગદાર નેતાની સાથે પેનલ જીતવાના ચાન્સ વધતા તે ઘટવાનું જોખમ રહેશે તેમ કેટલાકનું માનવવું છે. પરંતુ, ભાજપમાં એકંદરે પક્ષના કાર્યકરોનું નેટવર્ક, સંગઠન જ ચૂંટણી જીતાડતું હોય છે. તેમજ આ નિયમ અમલમાં ચૂસ્ત રીતે મુકાય તો વર્ષોથી પક્ષનું કામ કરતા અન્ય કાર્યકરોને ટિકીટના ચાન્સ અને ઉત્સાહ વધશે. સાથે જ મનપામાં 2005થી સતત ત્રણ ટર્મ શાસકપક્ષમાં રહેલા બે-ચાર નેતાઓનું જ ચાલે છે, તેવા એકહથ્થુ શાસનને પણ બ્રેક લાગવાની પૂરતી સંભાવના છે.