આ વર્ષે પ્રારંભથી જ ચોમાસું નબળું રહ્યું છે. ઓછા પ્રમાણમાં વરસાદ થતાં ગમે તેમ કરીને ખેડૂતોએ પાક ઉગાડેલ છે - દિલીપ સખીયા
સંઘના અગ્રણીઓ ખેડૂતો સાથે મળીને આ પ્રકારના કોઈપણ દેખાવો કરે તે પહેલાં જ આગેવાનોની અટકાયત કરી
ઘાસચારાની વ્યવસ્થા કરી તાત્કાલિકના ધોરણે ઘાસચારાનું વિતરણ કરાવવા સહિત અનેક પ્રશ્ને કરી માંગ
WatchGujarat. ચાલુ વર્ષે વરસાદ ખેંચાઈ જતા પાક નિષ્ફળ જવાની શક્યતા ઉભી થઇ છે. ત્યારે આજે વીંછીયામાં ભારતીય કિસાન સંઘનાં આગેવાનોની ખેડૂતો સાથે એક બેઠક મળી હતી. આ બેઠકમાં જ સિંચાઈનાં પાણી મુદ્દે માર્કેટિંગ યાર્ડમાં વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કરાયો હતો. જો કે સંઘના અગ્રણીઓ ખેડૂતો સાથે મળીને આ પ્રકારના કોઈપણ દેખાવો કરે તે પહેલાં જ આગેવાનોની અટકાયત કરી હોવાનો આક્ષેપ કિસાન સંઘ દ્વારા કરાયો છે.
આ બેઠક અંગે કિસાન સંઘનાં પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રારંભથી જ ચોમાસું નબળું રહ્યું છે. ઓછા પ્રમાણમાં વરસાદ થતાં ગમે તેમ કરીને ખેડૂતોએ પાક ઉગાડેલ છે. પરંતુ ત્યારબાદ સતત આજે કેટલાય સમયથી બિલકુલ વરસાદ પડેલ નથી. આ વર્ષે વરસાદ ખૂબ ઓછો નોંધાયેલ છે. ત્યારે ખેતી બચાવવા ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ જે પ્રકારની સર્વત્ર પરિસ્થિતિ નિર્માણ થયેલ છે. ત્યારે ખેડૂતોનાં હિત માટે નીચે મુજબ તત્કાલ કાર્યવાહી હાથ ધરવા રજૂઆત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત વિંછીયા તાલુકામાં ૨ થી ૩ ઇંચ પણ વરસાદ થયેલ નથી. ઉપરાંત કેટલાય ગામો એવા છે કે જ્યાં 4 અઠવાડીયા સુધી બિલકુલ કે માત્ર કહેવા પૂરતા છાટા પડેલ છે. જેનાથી ખેતી પાકોને બિલકુલ રાહત નથી. ત્યારે આવા સમયમાં યોગ્ય દિશામાં કાર્યવાહી કરવા તમામ વહીવટીતંત્રને આદેશ કરવા રજૂઆત છે.
જે ડેમોમાં પીવાના પાણીના જથ્થા સિવાયનો જથ્થો છે ત્યાં સમયપત્રક બનાવીને વધુમાં વધુ અને વહેલામાં વહેલી તકે ખેતી પાકો બચાવવા માટે આયોજન કરવા રજૂઆત છે.
વિંછીયા તાલુકામાં છુટા પશુધન, ગૌશાળા-પાંજરાપોળ કે સંભવિત દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારના ખેડૂતોની જરૂરીયાતોને ધ્યાને લઈ
ઘાસચારાની વ્યવસ્થા કરી તાત્કાલિકના ધોરણે ઘાસચારાનું વિતરણ કરાવો. વિંછીયા તાલુકાના નાના-મોટા ઘણા ચેકડેમો તૂટેલા છે. તેને હિસાબે પડેલ વરસાદનો પાણીનો સ્ટોક થઈ શકતો નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી.
વિંછીયા તાલુકામાં સૌની યોજનાથી એક પણ ડેમ કે નદી તળાવો ભરવામાં આવેલ નથી.
ગયા વર્ષે નર્મદા ઓવરફ્લો હોવા છતાં પણ સૌરાષ્ટ્રને ખેતી માટે પાણી મળેલ નથી. તો આ સૌની યોજનામાં થયેલ આટલો મોટો ખર્ચ અને આટલી મોટી જાહેરાતો લોકો માટે શું કામની ?
સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન કલ્પસર યોજનાને સરકારે તાત્કાલિક અમલવારી કરીવી જોઈએ જેથી કરીને સૌરાષ્ટ્રમાં પાણીનો પ્રશ્નક્યારેય પણ ઉદ્ભવે નહિ.
વિંછીયા તાલુકામાં ખેડૂતો ખેતી સાથે પશુપાલન પણ કરી રહ્યા છે. પશુપાલનનો મુખ્ય ખોરાક કપાસિયા ખોળ છે. તે શુધ્ધ કપાસિયા ખોળના નામે તેની અંદર ઘણી બધી ભેળસેળ થઈ રહી છે. ભારતીય કિસાન સંધ દ્વારા શુધ્ધ કપાસિયા ખોળ અને અન્ય ભેળસેળને કેટલફીડ નામ આપવું જોઈએ.
આ વર્ષે પ્રારંભથી જ ચોમાસું નબળું રહ્યું છે. ઓછા પ્રમાણમાં વરસાદ થતાં ગમે તેમ કરીને ખેડૂતોએ પાક ઉગાડેલ છે - દિલીપ સખીયા
સંઘના અગ્રણીઓ ખેડૂતો સાથે મળીને આ પ્રકારના કોઈપણ દેખાવો કરે તે પહેલાં જ આગેવાનોની અટકાયત કરી
ઘાસચારાની વ્યવસ્થા કરી તાત્કાલિકના ધોરણે ઘાસચારાનું વિતરણ કરાવવા સહિત અનેક પ્રશ્ને કરી માંગ
WatchGujarat. ચાલુ વર્ષે વરસાદ ખેંચાઈ જતા પાક નિષ્ફળ જવાની શક્યતા ઉભી થઇ છે. ત્યારે આજે વીંછીયામાં ભારતીય કિસાન સંઘનાં આગેવાનોની ખેડૂતો સાથે એક બેઠક મળી હતી. આ બેઠકમાં જ સિંચાઈનાં પાણી મુદ્દે માર્કેટિંગ યાર્ડમાં વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કરાયો હતો. જો કે સંઘના અગ્રણીઓ ખેડૂતો સાથે મળીને આ પ્રકારના કોઈપણ દેખાવો કરે તે પહેલાં જ આગેવાનોની અટકાયત કરી હોવાનો આક્ષેપ કિસાન સંઘ દ્વારા કરાયો છે.
આ બેઠક અંગે કિસાન સંઘનાં પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રારંભથી જ ચોમાસું નબળું રહ્યું છે. ઓછા પ્રમાણમાં વરસાદ થતાં ગમે તેમ કરીને ખેડૂતોએ પાક ઉગાડેલ છે. પરંતુ ત્યારબાદ સતત આજે કેટલાય સમયથી બિલકુલ વરસાદ પડેલ નથી. આ વર્ષે વરસાદ ખૂબ ઓછો નોંધાયેલ છે. ત્યારે ખેતી બચાવવા ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ જે પ્રકારની સર્વત્ર પરિસ્થિતિ નિર્માણ થયેલ છે. ત્યારે ખેડૂતોનાં હિત માટે નીચે મુજબ તત્કાલ કાર્યવાહી હાથ ધરવા રજૂઆત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત વિંછીયા તાલુકામાં ૨ થી ૩ ઇંચ પણ વરસાદ થયેલ નથી. ઉપરાંત કેટલાય ગામો એવા છે કે જ્યાં 4 અઠવાડીયા સુધી બિલકુલ કે માત્ર કહેવા પૂરતા છાટા પડેલ છે. જેનાથી ખેતી પાકોને બિલકુલ રાહત નથી. ત્યારે આવા સમયમાં યોગ્ય દિશામાં કાર્યવાહી કરવા તમામ વહીવટીતંત્રને આદેશ કરવા રજૂઆત છે.
જે ડેમોમાં પીવાના પાણીના જથ્થા સિવાયનો જથ્થો છે ત્યાં સમયપત્રક બનાવીને વધુમાં વધુ અને વહેલામાં વહેલી તકે ખેતી પાકો બચાવવા માટે આયોજન કરવા રજૂઆત છે.
વિંછીયા તાલુકામાં છુટા પશુધન, ગૌશાળા-પાંજરાપોળ કે સંભવિત દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારના ખેડૂતોની જરૂરીયાતોને ધ્યાને લઈ
ઘાસચારાની વ્યવસ્થા કરી તાત્કાલિકના ધોરણે ઘાસચારાનું વિતરણ કરાવો. વિંછીયા તાલુકાના નાના-મોટા ઘણા ચેકડેમો તૂટેલા છે. તેને હિસાબે પડેલ વરસાદનો પાણીનો સ્ટોક થઈ શકતો નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી.
વિંછીયા તાલુકામાં સૌની યોજનાથી એક પણ ડેમ કે નદી તળાવો ભરવામાં આવેલ નથી.
ગયા વર્ષે નર્મદા ઓવરફ્લો હોવા છતાં પણ સૌરાષ્ટ્રને ખેતી માટે પાણી મળેલ નથી. તો આ સૌની યોજનામાં થયેલ આટલો મોટો ખર્ચ અને આટલી મોટી જાહેરાતો લોકો માટે શું કામની ?
સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન કલ્પસર યોજનાને સરકારે તાત્કાલિક અમલવારી કરીવી જોઈએ જેથી કરીને સૌરાષ્ટ્રમાં પાણીનો પ્રશ્નક્યારેય પણ ઉદ્ભવે નહિ.
વિંછીયા તાલુકામાં ખેડૂતો ખેતી સાથે પશુપાલન પણ કરી રહ્યા છે. પશુપાલનનો મુખ્ય ખોરાક કપાસિયા ખોળ છે. તે શુધ્ધ કપાસિયા ખોળના નામે તેની અંદર ઘણી બધી ભેળસેળ થઈ રહી છે. ભારતીય કિસાન સંધ દ્વારા શુધ્ધ કપાસિયા ખોળ અને અન્ય ભેળસેળને કેટલફીડ નામ આપવું જોઈએ.