લીંબુ - બટાકા સિવાયના તમામ શાકભાજીનો ભાવ માત્ર 2 થી 3 રૂ. કિલો બોલાયો
બજારમાં 10 થી 50 રૂ. કિલો સુધીના ભાવે શાકભાજી વેચાઈ રહીં છે
ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ મળતા ન હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું
[caption id="attachment_1391824" align="aligncenter" width="1280"] શાકભાજીનાં પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોમાં રોષ, લીલા શાકભાજી રસ્તા પર ફેંકી ઠાલવ્યો આક્રોશ[/caption]
WatchGujarat. શાકભાજીની આવકમાં મોટો વધારો થતાં ભાવો તળિયે પહોંચ્યા છે. યાર્ડમાં શાકભાજીનો પાક વેચવા માટે આવેલા ખેડૂતોને કિલો દિઠ માત્ર 2 થી 3 રૂપિયા જ ભાવ મળતાં જગતનો તાત રોષે ભરાયો હતો અને નારાજ ખેડૂતોએ તમામ શાકભાજી રોડ ફેંકી દઈ આક્રોશ ઠાલવ્યો હતો. આજે યાર્ડમાં લીંબુ - બટાકા સિવાયના તમામ શાકભાજીનો ભાવ માત્ર 2 થી 3 રૂ. કિલો બોલાયો હતો. જોકે બજારમાં 10 થી 50 રૂ. કિલો સુધીના ભાવે શાકભાજી વેચાઈ રહીં છે. ખેડૂતો કહે છે કે, પોષણક્ષમ ભાવ નહીં મળતાં મજૂરી અને ભાડાની રકમ પણ ખિસ્સામાંથી આપવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સરકારે તાત્કાલિક આ મુદ્દે પગલાં લેવા જરૂરી છે.
[caption id="attachment_1391822" align="aligncenter" width="1600"] Rajkot Market Green Vegetables Thrown[/caption]
હાલ એકબાજુ ખેડૂતો પર કુદરત પણ રૂઠી ગઇ હોય તેમ ચાલુ ચોમાસામાં માત્ર 3 ઈંચ જેટલો જ વરસાદ પડ્યો છે. ત્યારે ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ મળતા ન હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. હાલ યાર્ડનાં વેપારીઓ દ્વારા ગુવાર સહિતના અનેક શાકભાજીના એકમણ દીઠ રૂ.30 અને મરચા એક કિલોના રૂ.2 જ ચૂકવવામાં આવે છે. જેના કારણે ખેડૂતો નાછૂટકે પોતાના શાકભાજી રોડ પર ફેંકી દેવા મજબૂર બન્યા હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું.
[caption id="attachment_1391826" align="aligncenter" width="1280"] શાકભાજીનાં પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોમાં રોષ, લીલા શાકભાજી રસ્તા પર ફેંકી ઠાલવ્યો આક્રોશ[/caption]
એક તરફ ખેડૂતો દ્વારા મોંઘાદાટ બિયારણો અને દવાના રૂપિયા ખર્ચી પોતાની વાડી-ખેતરોમાં શાકભાજી ઉગાડે છે. પરંતુ ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આ શાકભાજી વેચવા જાય છે ત્યારે પૂરતો ભાવ મળતો ન હોવાથી ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. તાજેતરમાં જ વીંછિયાના રેવાણીયા રોડ પર ખેડૂતોએ ગુવાર સહિતના શાકભાજી રોડ પર જ ફેંકી દઈ રોષ વ્યક્ત કર્યો હતો. વીંછિયા પંથકના ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો શાકભાજીના ભાવ માત્ર રૂ.30 જ મળતા હોવાથી ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
[caption id="attachment_1391824" align="aligncenter" width="1280"] શાકભાજીનાં પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોમાં રોષ, લીલા શાકભાજી રસ્તા પર ફેંકી ઠાલવ્યો આક્રોશ[/caption]
ઉલ્લેખનીય છે કે, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘણા સમયથી બંધ રહેલી મગફળીની આવક ફરીવાર ચાલુ થઈ છે. કાલાવડ અને હળવદના ખેડૂતો મગફળીનો પાક લઈને યાર્ડમાં પહોંચ્યાં છે. આ વખતે ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું છે. જેથી મગફળી સારા પ્રમાણમાં તૈયાર થઈ ગઈ છે. સરેરાશ દરરોજ રાજકોટ યાર્ડમાં 200 મણ મગફળીની આવક થઈ રહી છે. હાલ મગફળી ભેજવાળી હોય અને થોડી ડેમેજ હોવાથી ખેડૂતોને ગતવર્ષની તુલનાએ ભાવ પ્રમાણમાં ઓછા 900 રૂપિયાથી લઈ 1050 રૂપિયા સુધી મળી રહ્યા છે. જે ગતવર્ષે 900 - 1100 રૂપિયા ભાવ હતા.
લીંબુ - બટાકા સિવાયના તમામ શાકભાજીનો ભાવ માત્ર 2 થી 3 રૂ. કિલો બોલાયો
બજારમાં 10 થી 50 રૂ. કિલો સુધીના ભાવે શાકભાજી વેચાઈ રહીં છે
ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ મળતા ન હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું
[caption id="attachment_1391824" align="aligncenter" width="1280"] શાકભાજીનાં પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોમાં રોષ, લીલા શાકભાજી રસ્તા પર ફેંકી ઠાલવ્યો આક્રોશ[/caption]
WatchGujarat. શાકભાજીની આવકમાં મોટો વધારો થતાં ભાવો તળિયે પહોંચ્યા છે. યાર્ડમાં શાકભાજીનો પાક વેચવા માટે આવેલા ખેડૂતોને કિલો દિઠ માત્ર 2 થી 3 રૂપિયા જ ભાવ મળતાં જગતનો તાત રોષે ભરાયો હતો અને નારાજ ખેડૂતોએ તમામ શાકભાજી રોડ ફેંકી દઈ આક્રોશ ઠાલવ્યો હતો. આજે યાર્ડમાં લીંબુ - બટાકા સિવાયના તમામ શાકભાજીનો ભાવ માત્ર 2 થી 3 રૂ. કિલો બોલાયો હતો. જોકે બજારમાં 10 થી 50 રૂ. કિલો સુધીના ભાવે શાકભાજી વેચાઈ રહીં છે. ખેડૂતો કહે છે કે, પોષણક્ષમ ભાવ નહીં મળતાં મજૂરી અને ભાડાની રકમ પણ ખિસ્સામાંથી આપવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સરકારે તાત્કાલિક આ મુદ્દે પગલાં લેવા જરૂરી છે.
[caption id="attachment_1391822" align="aligncenter" width="1600"] Rajkot Market Green Vegetables Thrown[/caption]
હાલ એકબાજુ ખેડૂતો પર કુદરત પણ રૂઠી ગઇ હોય તેમ ચાલુ ચોમાસામાં માત્ર 3 ઈંચ જેટલો જ વરસાદ પડ્યો છે. ત્યારે ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ મળતા ન હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. હાલ યાર્ડનાં વેપારીઓ દ્વારા ગુવાર સહિતના અનેક શાકભાજીના એકમણ દીઠ રૂ.30 અને મરચા એક કિલોના રૂ.2 જ ચૂકવવામાં આવે છે. જેના કારણે ખેડૂતો નાછૂટકે પોતાના શાકભાજી રોડ પર ફેંકી દેવા મજબૂર બન્યા હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું.
[caption id="attachment_1391826" align="aligncenter" width="1280"] શાકભાજીનાં પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોમાં રોષ, લીલા શાકભાજી રસ્તા પર ફેંકી ઠાલવ્યો આક્રોશ[/caption]
એક તરફ ખેડૂતો દ્વારા મોંઘાદાટ બિયારણો અને દવાના રૂપિયા ખર્ચી પોતાની વાડી-ખેતરોમાં શાકભાજી ઉગાડે છે. પરંતુ ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આ શાકભાજી વેચવા જાય છે ત્યારે પૂરતો ભાવ મળતો ન હોવાથી ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. તાજેતરમાં જ વીંછિયાના રેવાણીયા રોડ પર ખેડૂતોએ ગુવાર સહિતના શાકભાજી રોડ પર જ ફેંકી દઈ રોષ વ્યક્ત કર્યો હતો. વીંછિયા પંથકના ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો શાકભાજીના ભાવ માત્ર રૂ.30 જ મળતા હોવાથી ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
[caption id="attachment_1391824" align="aligncenter" width="1280"] શાકભાજીનાં પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોમાં રોષ, લીલા શાકભાજી રસ્તા પર ફેંકી ઠાલવ્યો આક્રોશ[/caption]
ઉલ્લેખનીય છે કે, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘણા સમયથી બંધ રહેલી મગફળીની આવક ફરીવાર ચાલુ થઈ છે. કાલાવડ અને હળવદના ખેડૂતો મગફળીનો પાક લઈને યાર્ડમાં પહોંચ્યાં છે. આ વખતે ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું છે. જેથી મગફળી સારા પ્રમાણમાં તૈયાર થઈ ગઈ છે. સરેરાશ દરરોજ રાજકોટ યાર્ડમાં 200 મણ મગફળીની આવક થઈ રહી છે. હાલ મગફળી ભેજવાળી હોય અને થોડી ડેમેજ હોવાથી ખેડૂતોને ગતવર્ષની તુલનાએ ભાવ પ્રમાણમાં ઓછા 900 રૂપિયાથી લઈ 1050 રૂપિયા સુધી મળી રહ્યા છે. જે ગતવર્ષે 900 - 1100 રૂપિયા ભાવ હતા.