ત્રિપુટી સામે 4.73 કરોડની ઠગાઇની ફરિયાદની ફરિયાદ નોંધાઇ હતી.
જો કે હાલ તપાસમાં ઠગાઇનો આંકડો 50 કરોડ સુધી પહોંચ્યો છે
પોલીસે કૌભાંડથી મેળવેલા નાણા કબ્જે કરવા આરોપીઓનાં રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી
WatchGujarat. 150 ફૂટના રીંગ રોડ પર સમય ટ્રેડિંગ અને આશિષ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લીમીટેડનાં નામથી રોકાણકારોને માસિક 10 ટકા વળતરની લાલચ આપીને કરોડોનું ફુલેકુ ફેરાવ્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે ચાલી રહેલી તપાસ દરમિયાન પોલીસે મુખ્ય સૂત્રધાર પ્રદિપ ખોડાભાઇ ડાવેરા અને તેના બે પાર્ટનર દિવ્યેશ અશોકભાઇ કાલાવડીયા તથા હિતેશ લુક્કાને ઝડપી લીધા છે. ત્રિપુટી સામે 4.73 કરોડની ઠગાઇની ફરિયાદની ફરિયાદ નોંધાઇ હતી. જો કે હાલ તપાસમાં ઠગાઇનો આંકડો 50 કરોડ સુધી પહોંચ્યો છે.
પોલીસે કૌભાંડથી મેળવેલા નાણા કબ્જે કરવા આરોપીઓનાં રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે. બનાવ અંગે જામનગર રોડ પર રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા રાજેશભાઇ વાઘેલાએ છેતરાયેલા અન્ય 110 રોકાણકાર સાથે મળીને રૂ 4.73 કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ત્રણેયને દબોચી લીધા છે.
આ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ વિગત આપતા જણાવ્યું હતું કે, કૌભાંડનો સૂત્રધાર પ્રદિપ ખોડાભાઇ ડાવેરા અગાઉ વલસાડમાં શેરબજારનું કામ કરતો હતો. વર્ષ 2017માં રાજકોટ આવી ગયેલા પ્રદિપે રોકાણકારોને શેર બજારમાં રોકાણનું 10 ટકા વળતર આપવાની લાલચ આપી રોકાણ શરૂ કરાવ્યું હતું.
રોકાણકારોની સંખ્યા વધવા લાગતા રૈયા ટેલીફોન એક્સચેન્જ નજીક સમય ટ્રેડિંગ નામથી પેઢી શરૂ કરી અને જુલાઇ 2019 માં શીતલપાર્ક નજીક ધ સ્પાયર બિલ્ડીંગમાં આશિષ ક્રેડિટ કો-ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી શરૂ કરી હતી. એજન્ટો મારફત રોકાણકારો પાસેથી ઉઘરાવેલા નાણાનું સમય ટ્રેડીંગ, આશિષ ક્રેડિટ અને સાઇ સમય ટ્રેડિંગમાં રોકાણ કરતો હતો.
રોકાણકારોને 11 મહિના સુધી વળતર આપ્યા પછી દર ત્રણ મહિને વળતર આપવાનું કહી નાણા દેવાનું બંધ કર્યું હતું. ડિસેમ્બર 2019 થી એકપણ રોકાણકારોને વળતર કે મૂડી પરત નહીં આપતા પોલીસમાં અરજી થઇ હતી. જેના આધારે આ ફરિયાદ નોંધવામાં આવી છે. જામનગરમાં પણ આ પેઢીની બ્રાંચમાં અનેક લોકો છેતરાયાની માહિતી મળતા એ દિશામાં તપાસ ચાલુ છે. તેમજ કૌભાંડિયા ત્રિપુટીએ છેતરપીંડીથી મેળવેલા નાણાનું ક્યાં ક્યાં રોકાણ કર્યું છે, સ્થાવર,જંગમ મિલકતો વસાવી છે કે કેમ? તે મામલે તપાસ કરવા કોવિડ રિપોર્ટ પછી આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ત્રિપુટી સામે 4.73 કરોડની ઠગાઇની ફરિયાદની ફરિયાદ નોંધાઇ હતી.
જો કે હાલ તપાસમાં ઠગાઇનો આંકડો 50 કરોડ સુધી પહોંચ્યો છે
પોલીસે કૌભાંડથી મેળવેલા નાણા કબ્જે કરવા આરોપીઓનાં રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી
WatchGujarat. 150 ફૂટના રીંગ રોડ પર સમય ટ્રેડિંગ અને આશિષ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લીમીટેડનાં નામથી રોકાણકારોને માસિક 10 ટકા વળતરની લાલચ આપીને કરોડોનું ફુલેકુ ફેરાવ્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે ચાલી રહેલી તપાસ દરમિયાન પોલીસે મુખ્ય સૂત્રધાર પ્રદિપ ખોડાભાઇ ડાવેરા અને તેના બે પાર્ટનર દિવ્યેશ અશોકભાઇ કાલાવડીયા તથા હિતેશ લુક્કાને ઝડપી લીધા છે. ત્રિપુટી સામે 4.73 કરોડની ઠગાઇની ફરિયાદની ફરિયાદ નોંધાઇ હતી. જો કે હાલ તપાસમાં ઠગાઇનો આંકડો 50 કરોડ સુધી પહોંચ્યો છે.
પોલીસે કૌભાંડથી મેળવેલા નાણા કબ્જે કરવા આરોપીઓનાં રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે. બનાવ અંગે જામનગર રોડ પર રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા રાજેશભાઇ વાઘેલાએ છેતરાયેલા અન્ય 110 રોકાણકાર સાથે મળીને રૂ 4.73 કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ત્રણેયને દબોચી લીધા છે.
આ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ વિગત આપતા જણાવ્યું હતું કે, કૌભાંડનો સૂત્રધાર પ્રદિપ ખોડાભાઇ ડાવેરા અગાઉ વલસાડમાં શેરબજારનું કામ કરતો હતો. વર્ષ 2017માં રાજકોટ આવી ગયેલા પ્રદિપે રોકાણકારોને શેર બજારમાં રોકાણનું 10 ટકા વળતર આપવાની લાલચ આપી રોકાણ શરૂ કરાવ્યું હતું.
રોકાણકારોની સંખ્યા વધવા લાગતા રૈયા ટેલીફોન એક્સચેન્જ નજીક સમય ટ્રેડિંગ નામથી પેઢી શરૂ કરી અને જુલાઇ 2019 માં શીતલપાર્ક નજીક ધ સ્પાયર બિલ્ડીંગમાં આશિષ ક્રેડિટ કો-ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી શરૂ કરી હતી. એજન્ટો મારફત રોકાણકારો પાસેથી ઉઘરાવેલા નાણાનું સમય ટ્રેડીંગ, આશિષ ક્રેડિટ અને સાઇ સમય ટ્રેડિંગમાં રોકાણ કરતો હતો.
રોકાણકારોને 11 મહિના સુધી વળતર આપ્યા પછી દર ત્રણ મહિને વળતર આપવાનું કહી નાણા દેવાનું બંધ કર્યું હતું. ડિસેમ્બર 2019 થી એકપણ રોકાણકારોને વળતર કે મૂડી પરત નહીં આપતા પોલીસમાં અરજી થઇ હતી. જેના આધારે આ ફરિયાદ નોંધવામાં આવી છે. જામનગરમાં પણ આ પેઢીની બ્રાંચમાં અનેક લોકો છેતરાયાની માહિતી મળતા એ દિશામાં તપાસ ચાલુ છે. તેમજ કૌભાંડિયા ત્રિપુટીએ છેતરપીંડીથી મેળવેલા નાણાનું ક્યાં ક્યાં રોકાણ કર્યું છે, સ્થાવર,જંગમ મિલકતો વસાવી છે કે કેમ? તે મામલે તપાસ કરવા કોવિડ રિપોર્ટ પછી આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.