રાજકોટ એરપોર્ટ તેમજ એસટી અને રેલ્વે સ્ટેશન ઉપર ગુજરાતની બહારથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાયો
સ્પાઇસ જેટની ફલાઇટમાં 80 થી વધુ મુસાફરો હતા, આ પૈકી જે 15 મુસાફરોએ ટેસ્ટ કરાવ્યા તેમને તો ઘરે જવા દેવાયા
WatchGujarat આજથી રાજકોટ એરપોર્ટ તેમજ એસટી અને રેલ્વે સ્ટેશન ઉપર ગુજરાતની બહારથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે. જો કે આજે પ્રથમ દિવસે જ ભારે ધમાલ થઈ હતી. જેમાં સ્પાઇસ જેટની ફલાઇટમાં 80 થી વધુ મુસાફરો હતા, આ પૈકી જે 15 મુસાફરોએ ટેસ્ટ કરાવ્યા તેમને તો ઘરે જવા દેવાયા હતા. પરંતુ અન્ય કેટલાક મુસાફરોએ રૂ. 800 આપવાની ના પાડી સરકારી ટેસ્ટ માટેનો આગ્રહ રાખતા તેઓને એરપોર્ટમાં બેસાડી દેવાયા હતા. જેને લઈને આ મુસાફરોએ ભારે હોબાળો કર્યો હતો.
રાજ્ય સરકારના આદેશ મુજબ જે મુસાફરોએ 72 કલાક પહેલા ટેસ્ટ નહી કરાવ્યો હોય અને સર્ટીફીકેટ નહી હોય તેને ટેસ્ટ વગર રાજકોટમાં એન્ટ્રી આપવામાં આવતી નથી. આ મામલે પોલીસ તેમજ કોર્પોરેશનની ટીમો દ્વારા કડક ચેકીંગ શરૂ કરી દેવાયું છે. દરમિયાન આજે રાજકોટ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ બાબતે ભારે ધમાલ થઈ હતી. જેમાં સવારે 8 વાગ્યે દિલ્હીથી રાજકોટ આવતી સ્પાઇસ જેટની ફલાઇટમાં કુલ 80 મુસાફરો આવી પહોંચ્યા હતા. પરંતુ તેમાં 30 થી 35 મુસાફરો RT-PCR ટેસ્ટ વિનાના નીકળતા આ તમામને એરપોર્ટની અંદર રોકી દેવાયા હતા.
એરપોર્ટ સતાધીશો દ્વારા 30-35 મુસાફરોનાં ટેસ્ટ માટે એક ખાનગી લેબોરેટરીનાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા. આ સ્ટાફ દ્વારા 15નો ટેસ્ટ કરી તેમને જવા દેવાયા હતા. પરંતુ અમુક મુસાફરોએ સરકારી ટેસ્ટનો જ આગ્રહ રાખતા અને રૂ. 800 દેવાની ના પાડતા ધમાલ થઇ હતી. આ તમામને એરપોર્ટની બહાર નહી જવા દેવાતા એરપોર્ટ સતાવાળાઓ અને આવેલ મુસાફરો વચ્ચે શાબ્દીક ટપાટપી થઇ હતી. અને આ મુસાફરોને ત્રણેક કલાક બેસાડી દેવાતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
રાજકોટ એરપોર્ટ તેમજ એસટી અને રેલ્વે સ્ટેશન ઉપર ગુજરાતની બહારથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાયો
સ્પાઇસ જેટની ફલાઇટમાં 80 થી વધુ મુસાફરો હતા, આ પૈકી જે 15 મુસાફરોએ ટેસ્ટ કરાવ્યા તેમને તો ઘરે જવા દેવાયા
WatchGujaratઆજથી રાજકોટ એરપોર્ટ તેમજ એસટી અને રેલ્વે સ્ટેશન ઉપર ગુજરાતની બહારથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે. જો કે આજે પ્રથમ દિવસે જ ભારે ધમાલ થઈ હતી. જેમાં સ્પાઇસ જેટની ફલાઇટમાં 80 થી વધુ મુસાફરો હતા, આ પૈકી જે 15 મુસાફરોએ ટેસ્ટ કરાવ્યા તેમને તો ઘરે જવા દેવાયા હતા. પરંતુ અન્ય કેટલાક મુસાફરોએ રૂ. 800 આપવાની ના પાડી સરકારી ટેસ્ટ માટેનો આગ્રહ રાખતા તેઓને એરપોર્ટમાં બેસાડી દેવાયા હતા. જેને લઈને આ મુસાફરોએ ભારે હોબાળો કર્યો હતો.
રાજ્ય સરકારના આદેશ મુજબ જે મુસાફરોએ 72 કલાક પહેલા ટેસ્ટ નહી કરાવ્યો હોય અને સર્ટીફીકેટ નહી હોય તેને ટેસ્ટ વગર રાજકોટમાં એન્ટ્રી આપવામાં આવતી નથી. આ મામલે પોલીસ તેમજ કોર્પોરેશનની ટીમો દ્વારા કડક ચેકીંગ શરૂ કરી દેવાયું છે. દરમિયાન આજે રાજકોટ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ બાબતે ભારે ધમાલ થઈ હતી. જેમાં સવારે 8 વાગ્યે દિલ્હીથી રાજકોટ આવતી સ્પાઇસ જેટની ફલાઇટમાં કુલ 80 મુસાફરો આવી પહોંચ્યા હતા. પરંતુ તેમાં 30 થી 35 મુસાફરો RT-PCR ટેસ્ટ વિનાના નીકળતા આ તમામને એરપોર્ટની અંદર રોકી દેવાયા હતા.
એરપોર્ટ સતાધીશો દ્વારા 30-35 મુસાફરોનાં ટેસ્ટ માટે એક ખાનગી લેબોરેટરીનાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા. આ સ્ટાફ દ્વારા 15નો ટેસ્ટ કરી તેમને જવા દેવાયા હતા. પરંતુ અમુક મુસાફરોએ સરકારી ટેસ્ટનો જ આગ્રહ રાખતા અને રૂ. 800 દેવાની ના પાડતા ધમાલ થઇ હતી. આ તમામને એરપોર્ટની બહાર નહી જવા દેવાતા એરપોર્ટ સતાવાળાઓ અને આવેલ મુસાફરો વચ્ચે શાબ્દીક ટપાટપી થઇ હતી. અને આ મુસાફરોને ત્રણેક કલાક બેસાડી દેવાતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.