કુવાડવા રોડ પોલીસ મથકમાં મહંત આપઘાત અંગે નોંધાયેલી ફરિયાદમાં 5 આરોપીઓ પૈકી 2 આરોપી ડો. નિમાવત અને એડવોકેટ રક્ષિત કલોલાએ જામીન અરજી કરી
હાઈકોર્ટે આ જામીન અરજી ફગાવીને ગત સપ્તાહે બન્ને આરોપીની ધરપકડ સામે સ્ટે આપ્યો
ક્રાઈમ બ્રાન્ચની બે-બે ટીમ કામ કરતી હોવા છતાં આ તમામ આરોપીઓનાં કોઈ લોકેશન મળતાં નથી
WatchGujarat. કાગદડી આશ્રમના મહંત જયરામદાસનાં આપઘાત કેસનાં આરોપી એડવોકેટ રક્ષિત કલોલા અને ડો. નિલેશ નિમાવત આજરોજ પોલીસ સમક્ષ નિવેદન આપવા પહોંચ્યા હતા. બંનેએ કાગદડી સ્થિત ખોડિયાર આશ્રમના મહંત આપઘાત કેસમાં હકીકત છૂપાવી આપઘાતને નેચરલ ડેથ બતાવી ગુનો આચર્યો હતો. જેમાં પુરાવા નાશ કરવા અને હકીકત છૂપાવવા તેમજ આપઘાત કરવા મજબૂર કરનાર સહિત કુલ 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જો કે એડ્વોકેટ અને ડોક્ટરની ધરપકડ સામે હાઇકોર્ટે સ્ટે આપ્યો હોય પોલીસ આ બંનેની ધરપકડ નહીં કરી શકે.
કુવાડવા રોડ પોલીસ મથકમાં મહંત આપઘાત અંગે નોંધાયેલી ફરિયાદમાં 5 આરોપીઓ પૈકી 2 આરોપી ડો. નિમાવત અને એડવોકેટ રક્ષિત કલોલાએ જામીન અરજી કરી હતી. જોકે હાઈકોર્ટે આ જામીન અરજી ફગાવીને ગત સપ્તાહે બન્ને આરોપીની ધરપકડ સામે સ્ટે આપ્યો હતો. બાદમાં આજે બન્ને આરોપીઓ કુવાડવા પોલીસ મથક ખાતે નિવેદન આપવા પહોંચતા અહીં પોલીસ દ્વારા તેમના નિવેદન લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ પૂછપરછમાં શું હકીકત સામે આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
ઉલ્લેખનીય છે કે, કાગદડી ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસે ગત તા.1 જૂનના રોજ આશ્રમમાં ઝેરી ટીકડા પી આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે પોલીસે આશ્રમના ટ્રસ્ટી રામજી લીંબાસિયાની ફરિયાદ પરથી અલ્પેશ પ્રતાપ સોલંકી, હિતેશ લખમણ જાદવ અને વિક્રમ સોહલા સામે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ આપઘાતના આ બનાવમાં કાવતરું રચી મહંતને મરવા મજબૂર કરવામાં એડવોકેટ રક્ષિત કલોલા તેમજ દેવ હોસ્પિટલના ડો.નિલેશ નિમાવતની પણ ભૂમિકા હોય ફરિયાદમાં બંનેના નામ આરોપી તરીકે ઉમેરાયા હતા.
જો કે આ કેસમાં પોલીસની ભૂમિકા પ્રથમથી શંકાસ્પદ રહી છે. અને પોલીસ આરોપીઓને બચાવવા માટેનાં પ્રયાસ કરતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહંતને આપઘાત કરવાની ફરજ પાડનાર તેમનો ભત્રીજો અલ્પેશ, તેનો બનેવી હિતેશ અને રાજકોટનો વિક્રમ સોહલા હજી ફરાર છે. ક્રાઈમ બ્રાન્ચની બે-બે ટીમ કામ કરતી હોવા છતાં આ તમામ આરોપીઓનાં કોઈ લોકેશન મળતાં નથી. જેને લઈને પોલીસ આરોપીઓને પકડી શકતી નથી કે તેની દાનતમાં ખોટ છે ? જેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. જો કે આ મુદ્દે પોલીસ તપાસ ચાલી રહી હોવાનું રટણ કરવા સિવાય કંઈપણ બોલવા તૈયાર નથી.
કુવાડવા રોડ પોલીસ મથકમાં મહંત આપઘાત અંગે નોંધાયેલી ફરિયાદમાં 5 આરોપીઓ પૈકી 2 આરોપી ડો. નિમાવત અને એડવોકેટ રક્ષિત કલોલાએ જામીન અરજી કરી
હાઈકોર્ટે આ જામીન અરજી ફગાવીને ગત સપ્તાહે બન્ને આરોપીની ધરપકડ સામે સ્ટે આપ્યો
ક્રાઈમ બ્રાન્ચની બે-બે ટીમ કામ કરતી હોવા છતાં આ તમામ આરોપીઓનાં કોઈ લોકેશન મળતાં નથી
WatchGujarat. કાગદડી આશ્રમના મહંત જયરામદાસનાં આપઘાત કેસનાં આરોપી એડવોકેટ રક્ષિત કલોલા અને ડો. નિલેશ નિમાવત આજરોજ પોલીસ સમક્ષ નિવેદન આપવા પહોંચ્યા હતા. બંનેએ કાગદડી સ્થિત ખોડિયાર આશ્રમના મહંત આપઘાત કેસમાં હકીકત છૂપાવી આપઘાતને નેચરલ ડેથ બતાવી ગુનો આચર્યો હતો. જેમાં પુરાવા નાશ કરવા અને હકીકત છૂપાવવા તેમજ આપઘાત કરવા મજબૂર કરનાર સહિત કુલ 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જો કે એડ્વોકેટ અને ડોક્ટરની ધરપકડ સામે હાઇકોર્ટે સ્ટે આપ્યો હોય પોલીસ આ બંનેની ધરપકડ નહીં કરી શકે.
કુવાડવા રોડ પોલીસ મથકમાં મહંત આપઘાત અંગે નોંધાયેલી ફરિયાદમાં 5 આરોપીઓ પૈકી 2 આરોપી ડો. નિમાવત અને એડવોકેટ રક્ષિત કલોલાએ જામીન અરજી કરી હતી. જોકે હાઈકોર્ટે આ જામીન અરજી ફગાવીને ગત સપ્તાહે બન્ને આરોપીની ધરપકડ સામે સ્ટે આપ્યો હતો. બાદમાં આજે બન્ને આરોપીઓ કુવાડવા પોલીસ મથક ખાતે નિવેદન આપવા પહોંચતા અહીં પોલીસ દ્વારા તેમના નિવેદન લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ પૂછપરછમાં શું હકીકત સામે આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
ઉલ્લેખનીય છે કે, કાગદડી ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસે ગત તા.1 જૂનના રોજ આશ્રમમાં ઝેરી ટીકડા પી આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે પોલીસે આશ્રમના ટ્રસ્ટી રામજી લીંબાસિયાની ફરિયાદ પરથી અલ્પેશ પ્રતાપ સોલંકી, હિતેશ લખમણ જાદવ અને વિક્રમ સોહલા સામે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ આપઘાતના આ બનાવમાં કાવતરું રચી મહંતને મરવા મજબૂર કરવામાં એડવોકેટ રક્ષિત કલોલા તેમજ દેવ હોસ્પિટલના ડો.નિલેશ નિમાવતની પણ ભૂમિકા હોય ફરિયાદમાં બંનેના નામ આરોપી તરીકે ઉમેરાયા હતા.
જો કે આ કેસમાં પોલીસની ભૂમિકા પ્રથમથી શંકાસ્પદ રહી છે. અને પોલીસ આરોપીઓને બચાવવા માટેનાં પ્રયાસ કરતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહંતને આપઘાત કરવાની ફરજ પાડનાર તેમનો ભત્રીજો અલ્પેશ, તેનો બનેવી હિતેશ અને રાજકોટનો વિક્રમ સોહલા હજી ફરાર છે. ક્રાઈમ બ્રાન્ચની બે-બે ટીમ કામ કરતી હોવા છતાં આ તમામ આરોપીઓનાં કોઈ લોકેશન મળતાં નથી. જેને લઈને પોલીસ આરોપીઓને પકડી શકતી નથી કે તેની દાનતમાં ખોટ છે ? જેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. જો કે આ મુદ્દે પોલીસ તપાસ ચાલી રહી હોવાનું રટણ કરવા સિવાય કંઈપણ બોલવા તૈયાર નથી.