55 વર્ષીય હરિભાઈ ચનાભાઈ સીતાપરાએ વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો
આધેડને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
છેલ્લા ઘણા સમયથી દંપતી વચ્ચે દારૂ પીવાના પૈસા બાબતે ઝગડો થતો હોવાનું બી ડિવિઝન પોલીસે જણાવ્યું
WatchGujarat. ગોવિંદબાગ નજીકનાં બ્રાહ્મણીયાપરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં દારૂ પીવા બાબતેના પૈસા માંગી પતિએ તેની પત્નીને માથામાં દસ્તો મારી દીધો હતો. પરંતુ બાદમાં રાત્રીના સમયે અફસોસ થતા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. હાલ પતિનાં હુમલામાં ઘાયલ પત્નીને સારવારમાં ખસેડી પોલીસે મૃતક પતિની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બ્રાહણીયાપરામાં રહેતા 55 વર્ષીય હરિભાઈ ચનાભાઈ સીતાપરાએ વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. જેને લઈને આધેડને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જેને પગલે પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં પત્ની સરોજબેને જણાવ્યું હતું કે, પતિએ દારૂ પીવાના પૈસા માંગતા ઝગડો થયો હતો.
પોતે પૈસા આપવાની ના પાડતા તેના પતિ હરિભાઈએ માથામાં દસ્તો ઝીંકી દઈ મારકુટ કરી હતી. અને રાત્રીના સમયે ઇજાગ્રસ્ત હાલતમાં સરોજબેન સીતાપરાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં મારામારી અંગેનો પસ્તાવો થતા ઉપરાંત પોલીસ પકડીને મારશે તેવી બીકથી રાત્રીના સમયે તેના પતિએ પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બાદમાં સવારે સિવિલ હોસ્પિટલથી પરત ફરેલો કોળી પરિવાર હરિભાઈની લટકતી લાશ જોઈને હેબતાઈ ગયો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક દાણાપીઠમાં છકડો રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં 2 પુત્ર તેમજ 1 પુત્રી છે. છેલ્લા ઘણા સમયથી દંપતી વચ્ચે દારૂ પીવાના પૈસા બાબતે ઝગડો થતો હોવાનું બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું.
આધેડને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
છેલ્લા ઘણા સમયથી દંપતી વચ્ચે દારૂ પીવાના પૈસા બાબતે ઝગડો થતો હોવાનું બી ડિવિઝન પોલીસે જણાવ્યું
WatchGujarat. ગોવિંદબાગ નજીકનાં બ્રાહ્મણીયાપરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં દારૂ પીવા બાબતેના પૈસા માંગી પતિએ તેની પત્નીને માથામાં દસ્તો મારી દીધો હતો. પરંતુ બાદમાં રાત્રીના સમયે અફસોસ થતા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. હાલ પતિનાં હુમલામાં ઘાયલ પત્નીને સારવારમાં ખસેડી પોલીસે મૃતક પતિની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બ્રાહણીયાપરામાં રહેતા 55 વર્ષીય હરિભાઈ ચનાભાઈ સીતાપરાએ વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. જેને લઈને આધેડને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જેને પગલે પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં પત્ની સરોજબેને જણાવ્યું હતું કે, પતિએ દારૂ પીવાના પૈસા માંગતા ઝગડો થયો હતો.
પોતે પૈસા આપવાની ના પાડતા તેના પતિ હરિભાઈએ માથામાં દસ્તો ઝીંકી દઈ મારકુટ કરી હતી. અને રાત્રીના સમયે ઇજાગ્રસ્ત હાલતમાં સરોજબેન સીતાપરાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં મારામારી અંગેનો પસ્તાવો થતા ઉપરાંત પોલીસ પકડીને મારશે તેવી બીકથી રાત્રીના સમયે તેના પતિએ પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બાદમાં સવારે સિવિલ હોસ્પિટલથી પરત ફરેલો કોળી પરિવાર હરિભાઈની લટકતી લાશ જોઈને હેબતાઈ ગયો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક દાણાપીઠમાં છકડો રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં 2 પુત્ર તેમજ 1 પુત્રી છે. છેલ્લા ઘણા સમયથી દંપતી વચ્ચે દારૂ પીવાના પૈસા બાબતે ઝગડો થતો હોવાનું બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું.