ગુજરાત ઉદ્યોગો, વ્યાપાર, સેવાકીય અને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે
રાજકોટમાં દિવ્યાંગજનોમાં કૌશલ્ય નિર્માણ કરી તેમને આર્થિક રીતે પગભર થવા માટેની તક ડિસેબલ ITIમાં અપાય છે
બેંક ઓફ બરોડાનું મીની બેંક બ્રાંચ (કિયોસ્ક) ખોલ્યું છે, જેના થકી હું અનેક લોકોને જરૂરી બેંક સેવા પુરી પાડુ છું - પ્રભાબેન શિયાળ
એડમીશન મેળવનાર તમામ વિદ્યાર્થીને ITI તથા સમાજ કલ્યાણ વિભાગ તરફથી રૂપિયા 200થી 400 સુધીનું સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવે છે - માનસી તેરૈયા, ડિસેબલ ITI નાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અને ટેકનિકલ ઓફિસર
WatchGujarat. દરેક વ્યક્તિને સ્વરોજગાર મેળવવાનો એક સમાન હક્ક છે. જેના આધારે દિવ્યાંગ વ્યક્તિઓ પણ અન્યોની જેમ તાલીમબધ્ધ થઈને રોજગાર મેળવી શકે તેવા હેતુથી ગુજરાતના રાજકોટ જિલ્લામાં વર્ષ 2009 થી ડિસેબલ ITI ની શરૂઆત કરવામાં આવી છે. અહીં દિવ્યાંગોને માત્ર ડીગ્રી નહીં વિશિષ્ટ કૌશલ્યમ તાલીમ આપી કુશળ કર્મયોગી બનાવવામાં આવે છે.
સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવનાને ભારતના બંધારણના હાર્દસમા આમુખમાં સમાવવામાં આવી છે. ગુજરાત ઉદ્યોગો, વ્યાપાર, સેવાકીય અને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે. ત્યારે અહીં સમાજમાં વસતા દિવ્યાંગજનોમાં કૌશલ્ય નિર્માણ કરી તેમને આર્થિક રીતે પગભર થવા માટેની તક ડિસેબલ ITIમાં અપાય છે. અહીં તાલીમ મેળવ્યા બાદ સ્વરોજગારનું સર્જન કરીને દિવ્યાંગો આત્મસન્માન અને ગરિમા પૂર્ણ જીવન જીવી શકે છે. હાલ રાજકોટ ઉપરાંત વડોદરામાં પણ ડિસેબલ ITI કાર્યરત છે, જ્યારે સુરત ખાતે ડિસેબલ ITI માટેની મંજુરી આપવામાં આવી છે. આ તાલીમ અનેક દિવ્યાંગ ભાઈઓ-બહેનો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.
રાજકોટના ચુનારાવાડમાં રહેતા પ્રભાબેન શિયાળ કહે છે કે, ‘જન્મથી મારે પગની સમસ્યા છે. હું વ્યવસ્થિત ઉભી રહી નથી શકતી. પરંતુ મારા રોજીંદા કાર્યો સારી રીતે કરી શકુ છું. મારા પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. આર્થિક રીતે પગભર થવા માટે મેં ડિસેબલ ITI માંથી કોમ્પ્યુટરનો કોર્ષ કર્યો હતો. ત્યાંના શિક્ષકોએ મને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી કોમ્પ્યુટર વસાવવા માટે રૂ. 38 હજારની સહાય મેળવવામાં મદદ કરી. જેમાંથી મેં મારૂ કોમ્પ્યુટર વસાવ્યું. અને બેંક ઓફ બરોડાનું મીની બેંક બ્રાંચ (કિયોસ્ક) ખોલ્યું છે, જેના થકી હું અનેક લોકોને જરૂરી બેંક સેવા પુરી પાડુ છું. જેનું કમિશન અને સરકારની વિવિધ યોજનાઓ માટેના ઓનલાઈન ફોર્મ, પરીક્ષાના ફોર્મ, પ્રિન્ટીંગ અને સ્કેનિંગના નાના મોટા કામ ઘરેથી કરીને હું પ્રતિમાસ રૂ. 5થી 7 હજાર કમાઈ લઉં છું.’
ડિસેબલ ITI નાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અને ટેકનિકલ ઓફિસર માનસી તેરૈયાએ જણાવ્યું હતું કે, અમારા કેમ્પસ ખાતે 7 જેટલા કોર્સ ચલાવવામાં આવે છે. જેમાં કોમ્પ્યુટર ઓપરેટર, કટીંગ એન્ડ સ્યુઈંગ, ડેસ્કટોપ પબ્લીસીટી ઓપરેટર, હેર એન્ડ સ્કીન કેર જેવા કોર્ષનો સમયગાળો એક વર્ષનો છે, જ્યારે ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્ટોર ઓપરેશન આસીસ્ટન્ટ, રીટેલ સ્ટોર એસોસિએટ જેવા 3 માસનો સમયગાળો ધરાવતા કોર્ષનો ચાલુ વર્ષથી સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ કોર્ષમાં પ્રવેશ માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે.
એડમિશનની પ્રક્રિયા બાબતે તેમણે જણાવ્યું હતું કે, આ માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વોકેશનલ રીહેબીલીટેશન કમિટી (વી.આર.સી.) ની સ્થાપના કરવામાં આવે છે. જે અંતર્ગત એડમિશન માટેની અરજી પ્રમાણેનાં ડોક્ટરો અમદાવાદથી આવી વિદ્યાર્થીઓની ડીસેબીલીટી ચેક કરીને તે ક્યા કોર્ષમાં એડમીશન મેળવવા માટે સક્ષમ છે તે નક્કી કરે છે. અને ત્યારબાદ એડમિશન આપવામાં આવે છે. એડમીશન મેળવનાર તમામ વિદ્યાર્થીને ITI તથા સમાજ કલ્યાણ વિભાગ તરફથી રૂપિયા 200થી 400 સુધીનું સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, અહીં પ્રતિ વર્ષ 60થી 70 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન લે છે. કોરોના કાળમાં આમારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવું મારા અને અમારા શિક્ષકો માટે ખુબ જ કપરૂ હતું. અમારા દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં મુંગા બહેરા તથા અંધજનોનો સમાવેશ થાય છે. અમારા શિક્ષકો વિડીયો બનાવીએ તેઓને વોટ્સએપ પર મોકલીને અભ્યાસ કરાવતા હતા. વિદ્યાર્થીઓ વિડીયો જોઈને-સાંભળીને અભ્યાસ કરતાં હતા. જે વિદ્યાર્થીઓ વિડીયો જોઈ કે સાંભળી શકતા નહોતા તેમને તેમના વાલીઓ સાઈન લેંગ્વેજ વડે વિડીયોની માહિતી આપી અભ્યાસ કરાવતા હતા.
ગુજરાત ઉદ્યોગો, વ્યાપાર, સેવાકીય અને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે
રાજકોટમાં દિવ્યાંગજનોમાં કૌશલ્ય નિર્માણ કરી તેમને આર્થિક રીતે પગભર થવા માટેની તક ડિસેબલ ITIમાં અપાય છે
બેંક ઓફ બરોડાનું મીની બેંક બ્રાંચ (કિયોસ્ક) ખોલ્યું છે, જેના થકી હું અનેક લોકોને જરૂરી બેંક સેવા પુરી પાડુ છું - પ્રભાબેન શિયાળ
એડમીશન મેળવનાર તમામ વિદ્યાર્થીને ITI તથા સમાજ કલ્યાણ વિભાગ તરફથી રૂપિયા 200થી 400 સુધીનું સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવે છે - માનસી તેરૈયા, ડિસેબલ ITI નાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અને ટેકનિકલ ઓફિસર
WatchGujarat. દરેક વ્યક્તિને સ્વરોજગાર મેળવવાનો એક સમાન હક્ક છે. જેના આધારે દિવ્યાંગ વ્યક્તિઓ પણ અન્યોની જેમ તાલીમબધ્ધ થઈને રોજગાર મેળવી શકે તેવા હેતુથી ગુજરાતના રાજકોટ જિલ્લામાં વર્ષ 2009 થી ડિસેબલ ITI ની શરૂઆત કરવામાં આવી છે. અહીં દિવ્યાંગોને માત્ર ડીગ્રી નહીં વિશિષ્ટ કૌશલ્યમ તાલીમ આપી કુશળ કર્મયોગી બનાવવામાં આવે છે.
સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવનાને ભારતના બંધારણના હાર્દસમા આમુખમાં સમાવવામાં આવી છે. ગુજરાત ઉદ્યોગો, વ્યાપાર, સેવાકીય અને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે. ત્યારે અહીં સમાજમાં વસતા દિવ્યાંગજનોમાં કૌશલ્ય નિર્માણ કરી તેમને આર્થિક રીતે પગભર થવા માટેની તક ડિસેબલ ITIમાં અપાય છે. અહીં તાલીમ મેળવ્યા બાદ સ્વરોજગારનું સર્જન કરીને દિવ્યાંગો આત્મસન્માન અને ગરિમા પૂર્ણ જીવન જીવી શકે છે. હાલ રાજકોટ ઉપરાંત વડોદરામાં પણ ડિસેબલ ITI કાર્યરત છે, જ્યારે સુરત ખાતે ડિસેબલ ITI માટેની મંજુરી આપવામાં આવી છે. આ તાલીમ અનેક દિવ્યાંગ ભાઈઓ-બહેનો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.
રાજકોટના ચુનારાવાડમાં રહેતા પ્રભાબેન શિયાળ કહે છે કે, ‘જન્મથી મારે પગની સમસ્યા છે. હું વ્યવસ્થિત ઉભી રહી નથી શકતી. પરંતુ મારા રોજીંદા કાર્યો સારી રીતે કરી શકુ છું. મારા પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. આર્થિક રીતે પગભર થવા માટે મેં ડિસેબલ ITI માંથી કોમ્પ્યુટરનો કોર્ષ કર્યો હતો. ત્યાંના શિક્ષકોએ મને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી કોમ્પ્યુટર વસાવવા માટે રૂ. 38 હજારની સહાય મેળવવામાં મદદ કરી. જેમાંથી મેં મારૂ કોમ્પ્યુટર વસાવ્યું. અને બેંક ઓફ બરોડાનું મીની બેંક બ્રાંચ (કિયોસ્ક) ખોલ્યું છે, જેના થકી હું અનેક લોકોને જરૂરી બેંક સેવા પુરી પાડુ છું. જેનું કમિશન અને સરકારની વિવિધ યોજનાઓ માટેના ઓનલાઈન ફોર્મ, પરીક્ષાના ફોર્મ, પ્રિન્ટીંગ અને સ્કેનિંગના નાના મોટા કામ ઘરેથી કરીને હું પ્રતિમાસ રૂ. 5થી 7 હજાર કમાઈ લઉં છું.’
ડિસેબલ ITI નાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અને ટેકનિકલ ઓફિસર માનસી તેરૈયાએ જણાવ્યું હતું કે, અમારા કેમ્પસ ખાતે 7 જેટલા કોર્સ ચલાવવામાં આવે છે. જેમાં કોમ્પ્યુટર ઓપરેટર, કટીંગ એન્ડ સ્યુઈંગ, ડેસ્કટોપ પબ્લીસીટી ઓપરેટર, હેર એન્ડ સ્કીન કેર જેવા કોર્ષનો સમયગાળો એક વર્ષનો છે, જ્યારે ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્ટોર ઓપરેશન આસીસ્ટન્ટ, રીટેલ સ્ટોર એસોસિએટ જેવા 3 માસનો સમયગાળો ધરાવતા કોર્ષનો ચાલુ વર્ષથી સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ કોર્ષમાં પ્રવેશ માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે.
એડમિશનની પ્રક્રિયા બાબતે તેમણે જણાવ્યું હતું કે, આ માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વોકેશનલ રીહેબીલીટેશન કમિટી (વી.આર.સી.) ની સ્થાપના કરવામાં આવે છે. જે અંતર્ગત એડમિશન માટેની અરજી પ્રમાણેનાં ડોક્ટરો અમદાવાદથી આવી વિદ્યાર્થીઓની ડીસેબીલીટી ચેક કરીને તે ક્યા કોર્ષમાં એડમીશન મેળવવા માટે સક્ષમ છે તે નક્કી કરે છે. અને ત્યારબાદ એડમિશન આપવામાં આવે છે. એડમીશન મેળવનાર તમામ વિદ્યાર્થીને ITI તથા સમાજ કલ્યાણ વિભાગ તરફથી રૂપિયા 200થી 400 સુધીનું સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, અહીં પ્રતિ વર્ષ 60થી 70 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન લે છે. કોરોના કાળમાં આમારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવું મારા અને અમારા શિક્ષકો માટે ખુબ જ કપરૂ હતું. અમારા દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં મુંગા બહેરા તથા અંધજનોનો સમાવેશ થાય છે. અમારા શિક્ષકો વિડીયો બનાવીએ તેઓને વોટ્સએપ પર મોકલીને અભ્યાસ કરાવતા હતા. વિદ્યાર્થીઓ વિડીયો જોઈને-સાંભળીને અભ્યાસ કરતાં હતા. જે વિદ્યાર્થીઓ વિડીયો જોઈ કે સાંભળી શકતા નહોતા તેમને તેમના વાલીઓ સાઈન લેંગ્વેજ વડે વિડીયોની માહિતી આપી અભ્યાસ કરાવતા હતા.