જેતપુર તાલુકાનાં મોટા ગુંદાળા ગામમાં પિતા પુત્રનાં સંબંધો પર લાંછન લગાવતી ઘટના સામે આવી
પોલીસે આરોપી પુત્રને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો
WatchGujarat જેતપુર તાલુકાનાં મોટા ગુંદાળા ગામમાં પિતા પુત્રનાં સંબંધો પર લાંછન લગાવતી ઘટના સામે આવી છે. જેમાં કળિયુગી પુત્રએ નજીવી બાબતે ઉશ્કેરાઈને ન માત્ર પિતાને માર માર્યો હતો. પરંતુ ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં સામે આવતી માહિતી મુજબ પુત્રએ પિતાને પૂછ્યા વિના જ ઘરમાં સમારકામ કરાવવા રેતી મંગાવી હતી. જેને લઈને ગુસ્સે થયેલા પિતાએ કડવા વેણ કહેતા નરાધમ પુત્રએ તેના પિતાની હત્યા કરી છે. જોકે પોલીસે આ આરોપી પુત્ર રાજુને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.
પોલીસનાં જણાવ્યા મુજબ, મોટા ગુંદાળા ગામ ખાતે રહેતા 41 વર્ષીય પુત્ર રાજુ અમીપરાએ ઘરની મરામત કરવા માટે રેતી મંગાવી હતી. ફળિયામાં રેતીનો ઢગલો જોઈ તેના 61 વર્ષીય પિતા મથુરભાઈ ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે, 'મને પૂછયા વિના રેતી કેમ મંગાવી?' જેને લઈ પુત્ર પણ સામે બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યો હતો. દરમિયાન વૃદ્ધ પિતાએ કહ્યું કે, 'આ ઘર મારું છે, તું મકાન ખાલી કરીને જતો રહે.' આ સાંભળી રાજુ વધુ ઉશ્કેરાયો હતો. અને ઢીકાપાટુનો માર મારીને ફળિયામાં જ પડેલી સૂતરની દોરી વડે પિતાને ગળેટૂંપો આપી દેતા ઘટનાસ્થળે જ પિતાનું મોત નિપજ્યું હતું.
ઘરના ફળિયામાં ખૂની ખેલ ખેલી ને પિતાને મોતને ઘાટ ઉતાર્યા બાદ રાજુએ અંદર રહેલા પોતાના માતાને વાત કરીને મોટાભાઈને પણ ફોન કરી બોલાવ્યા હતા. અને આસપાસના લોકો એકઠા થવા લાગતા રાજુ પલાયન થઈ ગયો હતો. મોડીરાતે જેતપુર તાલુકા પોલીસે આ બનાવ અંગે મૃતક મથુરભાઈના મોટા પુત્ર વિનુભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી રાજુને ઝડપી લીધો છે.
માતા શારીરિક રીતે ખૂબ અશક્ત હોવાથી આ બનાવ સમયે ઘરની અંદર જ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ મૃતક મથુરભાઈનાં બંને પૂત્રો અપરિણીત હોવાનું અને રાજુને અવારનવાર કોઈને કોઈ બાબતે પિતા સાથે ઝઘડા થતા હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
જેતપુર તાલુકાનાં મોટા ગુંદાળા ગામમાં પિતા પુત્રનાં સંબંધો પર લાંછન લગાવતી ઘટના સામે આવી
WatchGujarat જેતપુર તાલુકાનાં મોટા ગુંદાળા ગામમાં પિતા પુત્રનાં સંબંધો પર લાંછન લગાવતી ઘટના સામે આવી છે. જેમાં કળિયુગી પુત્રએ નજીવી બાબતે ઉશ્કેરાઈને ન માત્ર પિતાને માર માર્યો હતો. પરંતુ ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં સામે આવતી માહિતી મુજબ પુત્રએ પિતાને પૂછ્યા વિના જ ઘરમાં સમારકામ કરાવવા રેતી મંગાવી હતી. જેને લઈને ગુસ્સે થયેલા પિતાએ કડવા વેણ કહેતા નરાધમ પુત્રએ તેના પિતાની હત્યા કરી છે. જોકે પોલીસે આ આરોપી પુત્ર રાજુને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.
પોલીસનાં જણાવ્યા મુજબ, મોટા ગુંદાળા ગામ ખાતે રહેતા 41 વર્ષીય પુત્ર રાજુ અમીપરાએ ઘરની મરામત કરવા માટે રેતી મંગાવી હતી. ફળિયામાં રેતીનો ઢગલો જોઈ તેના 61 વર્ષીય પિતા મથુરભાઈ ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે, 'મને પૂછયા વિના રેતી કેમ મંગાવી?' જેને લઈ પુત્ર પણ સામે બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યો હતો. દરમિયાન વૃદ્ધ પિતાએ કહ્યું કે, 'આ ઘર મારું છે, તું મકાન ખાલી કરીને જતો રહે.' આ સાંભળી રાજુ વધુ ઉશ્કેરાયો હતો. અને ઢીકાપાટુનો માર મારીને ફળિયામાં જ પડેલી સૂતરની દોરી વડે પિતાને ગળેટૂંપો આપી દેતા ઘટનાસ્થળે જ પિતાનું મોત નિપજ્યું હતું.
ઘરના ફળિયામાં ખૂની ખેલ ખેલી ને પિતાને મોતને ઘાટ ઉતાર્યા બાદ રાજુએ અંદર રહેલા પોતાના માતાને વાત કરીને મોટાભાઈને પણ ફોન કરી બોલાવ્યા હતા. અને આસપાસના લોકો એકઠા થવા લાગતા રાજુ પલાયન થઈ ગયો હતો. મોડીરાતે જેતપુર તાલુકા પોલીસે આ બનાવ અંગે મૃતક મથુરભાઈના મોટા પુત્ર વિનુભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી રાજુને ઝડપી લીધો છે.
માતા શારીરિક રીતે ખૂબ અશક્ત હોવાથી આ બનાવ સમયે ઘરની અંદર જ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ મૃતક મથુરભાઈનાં બંને પૂત્રો અપરિણીત હોવાનું અને રાજુને અવારનવાર કોઈને કોઈ બાબતે પિતા સાથે ઝઘડા થતા હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.