ગુજરાતમાં અત્યારે વસ્તીની દ્રષ્ટિએ પાટીદાર સમાજની સંખ્યા વિશાળ છે
કડવા પાટીદાર સમાજના આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો માં ખોડલના આંગણે એકત્ર થયા
કોઈપણ ચોક્કસ પક્ષની ચર્ચા થઈ નથી. પણ પક્ષમાં પાટીદાર આગેવાનોનું કાર્ય વધુ સારું બને તેવો વિચાર રજૂ કરવામાં આવ્યો
પૂર્વે ગુજરાત રાજકીય ક્ષેત્રે નિર્ણાયક એવો પાટીદાર સમાજ ભાજપ-કોંગ્રેસ તરફની પરંપરાગત વફાદારી છોડી આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યો હોય તેવું નરેશ પટેલનાં નિવેદન બાદ લાગી રહ્યું છે
Watchgujarat. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ દોઢ વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે આજે ખોડલધામમાં લેઉવા-કડવા પાટીદારોની ખાસ બેઠક મળી હતી. આ બેઠક બાદ પાટીદારોએ સાથે માં ખોડલનાં દર્શન કરીને ધ્વજા ચડાવી હતી. બાદમાં પત્રકારો સાથે વાતચીતમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે એક ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો હતો. અને જણાવ્યું હતું કે, હવેથી લેઉવા- કડવા નહીં માત્ર પાટીદાર કહેવાશે. આ સાથે જ અહીં હાજર 5 સંસ્થાનું ફેડરેશન બનાવવામાં આવશે. આ નિર્ણયને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પાટીદાર અગ્રણી હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને વધાવ્યો છે.
બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામનાં ટ્રસ્ટીઓ જ્યારે સીદસર ખાતે માં ઉમિયાનાં દર્શનાર્થે ગયા હતા, ત્યારે જ સીદસર મંદિરના ટ્રસ્ટીઓને અહીં માં ખોડલનાં દર્શન માટે આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેનો સ્વીકાર કરીને આજે કડવા પાટીદાર સમાજના આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો માં ખોડલના આંગણે એકત્ર થયા છે. અને ઘ્વજા ચડાવી છે. આજે યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત હવેથી લેઉવા કે કડવા નહીં માત્ર પાટીદાર કહેવાશે. અને અહીં જે સંસ્થાનાં આગેવાનો હાજર છે તેવી 5 સંસ્થાનાં એક ફેડરેશનની રચના કરવામાં આવશે. આ ફેડરેશન સમાજનાં વિકાસ માટે કામ કરશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે વસ્તીની દ્રષ્ટિએ પાટીદાર સમાજની સંખ્યા વિશાળ છે. અત્યારે વ્યવસાયથી લઈને રાજકારણમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. અને ટેક્સની ભરપાઈ કરવામાં પણ અમારો સમાજ કદાચ અવ્વલ છે. ત્યારે આ બેઠકમાં પાટીદાર સમાજના અધિકારો અને સમાજને વધુમાં વધુ પ્રભુત્વ મળે તે અંગે ચર્ચા કરવામાં આવી છે. જો કે કોઈપણ ચોક્કસ પક્ષની ચર્ચા થઈ નથી. પણ જે પક્ષમાં પાટીદાર આગેવાનો છે. તેનું કાર્ય વધુ સારું બને તેવો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. સાથે જ સરકાર તેમજ વહીવટી તંત્ર બન્નેમાં પાટીદાર સમાજને વધુમાં વધુ સ્થાન મળે તેની ચર્ચા કરી છે. સાથે જ ખોડલધામમાં માં ઉમિયાની મૂર્તિનાં સ્થાપન અંગે પણ ચર્ચા થઈ હોવાનું તેમણે કહ્યું છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં લગભગ છેલ્લા 25 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આંતરકલહ શરૂ થયો હતો. જે પાટીલના ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા પછી ચરમ ઉપર છે. તેમજ પાટીલ અને રૂપાણી જૂથ વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આગામી ચૂંટણી પૂર્વે ગુજરાત રાજકીય ક્ષેત્રે નિર્ણાયક એવો પાટીદાર સમાજ ભાજપ-કોંગ્રેસ તરફની પરંપરાગત વફાદારી છોડી આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યો હોય તેવું નરેશ પટેલનાં નિવેદન બાદ લાગી રહ્યું છે. જોકે આ મુદ્દે નરેશ પટેલે કોઈ સત્તાવાર નિવેદન આપવાનું ટાળ્યું છે.
ગુજરાતમાં અત્યારે વસ્તીની દ્રષ્ટિએ પાટીદાર સમાજની સંખ્યા વિશાળ છે
કડવા પાટીદાર સમાજના આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો માં ખોડલના આંગણે એકત્ર થયા
કોઈપણ ચોક્કસ પક્ષની ચર્ચા થઈ નથી. પણ પક્ષમાં પાટીદાર આગેવાનોનું કાર્ય વધુ સારું બને તેવો વિચાર રજૂ કરવામાં આવ્યો
પૂર્વે ગુજરાત રાજકીય ક્ષેત્રે નિર્ણાયક એવો પાટીદાર સમાજ ભાજપ-કોંગ્રેસ તરફની પરંપરાગત વફાદારી છોડી આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યો હોય તેવું નરેશ પટેલનાં નિવેદન બાદ લાગી રહ્યું છે
Watchgujarat. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ દોઢ વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે આજે ખોડલધામમાં લેઉવા-કડવા પાટીદારોની ખાસ બેઠક મળી હતી. આ બેઠક બાદ પાટીદારોએ સાથે માં ખોડલનાં દર્શન કરીને ધ્વજા ચડાવી હતી. બાદમાં પત્રકારો સાથે વાતચીતમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે એક ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો હતો. અને જણાવ્યું હતું કે, હવેથી લેઉવા- કડવા નહીં માત્ર પાટીદાર કહેવાશે. આ સાથે જ અહીં હાજર 5 સંસ્થાનું ફેડરેશન બનાવવામાં આવશે. આ નિર્ણયને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પાટીદાર અગ્રણી હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને વધાવ્યો છે.
બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામનાં ટ્રસ્ટીઓ જ્યારે સીદસર ખાતે માં ઉમિયાનાં દર્શનાર્થે ગયા હતા, ત્યારે જ સીદસર મંદિરના ટ્રસ્ટીઓને અહીં માં ખોડલનાં દર્શન માટે આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેનો સ્વીકાર કરીને આજે કડવા પાટીદાર સમાજના આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો માં ખોડલના આંગણે એકત્ર થયા છે. અને ઘ્વજા ચડાવી છે. આજે યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત હવેથી લેઉવા કે કડવા નહીં માત્ર પાટીદાર કહેવાશે. અને અહીં જે સંસ્થાનાં આગેવાનો હાજર છે તેવી 5 સંસ્થાનાં એક ફેડરેશનની રચના કરવામાં આવશે. આ ફેડરેશન સમાજનાં વિકાસ માટે કામ કરશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે વસ્તીની દ્રષ્ટિએ પાટીદાર સમાજની સંખ્યા વિશાળ છે. અત્યારે વ્યવસાયથી લઈને રાજકારણમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. અને ટેક્સની ભરપાઈ કરવામાં પણ અમારો સમાજ કદાચ અવ્વલ છે. ત્યારે આ બેઠકમાં પાટીદાર સમાજના અધિકારો અને સમાજને વધુમાં વધુ પ્રભુત્વ મળે તે અંગે ચર્ચા કરવામાં આવી છે. જો કે કોઈપણ ચોક્કસ પક્ષની ચર્ચા થઈ નથી. પણ જે પક્ષમાં પાટીદાર આગેવાનો છે. તેનું કાર્ય વધુ સારું બને તેવો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. સાથે જ સરકાર તેમજ વહીવટી તંત્ર બન્નેમાં પાટીદાર સમાજને વધુમાં વધુ સ્થાન મળે તેની ચર્ચા કરી છે. સાથે જ ખોડલધામમાં માં ઉમિયાની મૂર્તિનાં સ્થાપન અંગે પણ ચર્ચા થઈ હોવાનું તેમણે કહ્યું છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં લગભગ છેલ્લા 25 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આંતરકલહ શરૂ થયો હતો. જે પાટીલના ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા પછી ચરમ ઉપર છે. તેમજ પાટીલ અને રૂપાણી જૂથ વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આગામી ચૂંટણી પૂર્વે ગુજરાત રાજકીય ક્ષેત્રે નિર્ણાયક એવો પાટીદાર સમાજ ભાજપ-કોંગ્રેસ તરફની પરંપરાગત વફાદારી છોડી આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યો હોય તેવું નરેશ પટેલનાં નિવેદન બાદ લાગી રહ્યું છે. જોકે આ મુદ્દે નરેશ પટેલે કોઈ સત્તાવાર નિવેદન આપવાનું ટાળ્યું છે.