રાજ્યની તમામ ચૂંટણીઓમાં સામાન્ય રીતે પાટીદાર સમાજ મોટું વર્ચસ્વ ધરાવે છે
સામાન્ય રીતે સમાજનાં વિકાસનું ગાણું ગાનાર નરેશ પટેલે આજે વાતચીતની શરૂઆતમાં રાજકીય ચર્ચા કરવામાં આવનાર હોવાનું ખૂલીને સ્વીકાર્યું
પાટીદાર સમાજ ઈચ્છે કે મુખ્યમંત્રીની ખુરશી પર કોઈ પાટીદારને સ્થાન મળે – નરેશ પટેલ
હાર્દિક પટેલનું નામ લીધા વિના કોંગ્રેસમાં પણ પાટીદારને મહત્વનું સ્થાન મળનાર છે તેવો ઉલ્લેખ કર્યો
Watchgujarat. ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આજરોજ ખોડલધામમાં લેઉવા-કડવા પાટીદારોની મહત્વની બેઠક મળી હતી. જેમાં ઉમિયાધામ અને ખોડલધામનાં આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા. આ બેઠક અંગે ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલે મીડિયા સાથે ખાસ વાતચીત કરી છે. જેમાં તેઓ ખૂલીને બોલ્યા હતા અને જણાવ્યું હતું કે, દરેક સમાજ ઈચ્છે કે મુખ્યમંત્રી તેના હોય, તો સાથે જ ગુજરાતમાં ક્યારેય ત્રીજો મોરચો સફળ ન રહ્યો હોવાનું જણાવી 'આપ'ની કામગીરી સારી હોવાથી આ માન્યતા બદલાઈ તેને સ્થાન મળી શકે તેવું સૂચક નિવેદન પણ આપ્યું છે.
https://youtu.be/Se5loL4P3Zw
સામાન્ય રીતે સમાજનાં વિકાસનું ગાણું ગાનાર નરેશ પટેલે આજે વાતચીતની શરૂઆતમાં રાજકીય ચર્ચા કરવામાં આવનાર હોવાનું ખૂલીને સ્વીકાર્યું હતું. અને કહ્યું હતું કે, રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ પટેલ બાદ હજુસુધી તેમના જેવો આગેવાન સમાજને મળ્યો નથી. દરેક સમાજની ઈચ્છા હોય કે મુખ્યમંત્રી તેના સમાજનાં હોવા જોઈએ. એ જ રીતે પાટીદાર સમાજ પણ ઈચ્છે કે મુખ્યમંત્રીની ખુરશી પર કોઈ પાટીદારને સ્થાન મળે. જો કે હાલમાં કોઈ પક્ષમાં આ માટે દાવેદાર ગણી શકાય તેવા નેતા છે કે નહીં તે પ્રશ્નનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું. પરંતુ ગુજરાતના ઇતિહાસમાં ત્રીજા મોરચને સ્થાન ન મળ્યું હોવાનું જણાવતા આમ આદમી પાર્ટીનાં કામનાં વખાણ કર્યા હતા. તેમજ 'આપ' ને ગુજરાતમાં સ્થાન મળવાની શક્યતા હોવાનું મહત્વનું નિવેદન કર્યું હતું. સાથે જ પોતે ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. સાથે જ હાર્દિક પટેલનું નામ લીધા વિના કોંગ્રેસમાં પણ પાટીદારને મહત્વનું સ્થાન મળનાર છે તેવો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
આ બેઠકમાં નરેશ પટેલ ઉપરાંત મથુર સવાણી-સુરત, લવજી બાદશાહ-સુરત, જયરામ પટેલ-સીદસર મંદિર, દિલીપ નેતા-ઊંઝા મંદિર, વાસુદેવ પટેલ-સોલા ઉમિયા કેમ્પસ, રમેશ દૂધવાળા-સોલા ઉમિયા કેમ્પસ, ગગજી સુતરીયા-સરદાર ધામ અને ખોડલધામનાં ટ્રસ્ટી દિનેશ કુંભાણી સહિતના પાટીદાર આગેવાનો હાજર રહ્યા છે. તેમજ સમાજના વિકાસ સહિત રાજકીય બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યની તમામ ચૂંટણીઓમાં સામાન્ય રીતે પાટીદાર સમાજ મોટું વર્ચસ્વ ધરાવે છે. આ માટે જ તમામ રાજકીય પક્ષો પાટીદાર સમાજને તેની સાથે રાખવાના સતત પ્રયાસો કરતા હોય છે. તેમાં પણ જ્યારે લેઉવા-કડવા પાટીદાર એકસાથે આવે ત્યારે તો ચોક્કસપણે સરકાર બનાવી કે ઉથલાવી શકવાની તાકાત ધરાવે છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો પણ આ બેઠક ઉપર ખાસ નજર રાખી રહ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
રાજ્યની તમામ ચૂંટણીઓમાં સામાન્ય રીતે પાટીદાર સમાજ મોટું વર્ચસ્વ ધરાવે છે
સામાન્ય રીતે સમાજનાં વિકાસનું ગાણું ગાનાર નરેશ પટેલે આજે વાતચીતની શરૂઆતમાં રાજકીય ચર્ચા કરવામાં આવનાર હોવાનું ખૂલીને સ્વીકાર્યું
પાટીદાર સમાજ ઈચ્છે કે મુખ્યમંત્રીની ખુરશી પર કોઈ પાટીદારને સ્થાન મળે – નરેશ પટેલ
હાર્દિક પટેલનું નામ લીધા વિના કોંગ્રેસમાં પણ પાટીદારને મહત્વનું સ્થાન મળનાર છે તેવો ઉલ્લેખ કર્યો
Watchgujarat. ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આજરોજ ખોડલધામમાં લેઉવા-કડવા પાટીદારોની મહત્વની બેઠક મળી હતી. જેમાં ઉમિયાધામ અને ખોડલધામનાં આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા. આ બેઠક અંગે ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલે મીડિયા સાથે ખાસ વાતચીત કરી છે. જેમાં તેઓ ખૂલીને બોલ્યા હતા અને જણાવ્યું હતું કે, દરેક સમાજ ઈચ્છે કે મુખ્યમંત્રી તેના હોય, તો સાથે જ ગુજરાતમાં ક્યારેય ત્રીજો મોરચો સફળ ન રહ્યો હોવાનું જણાવી 'આપ'ની કામગીરી સારી હોવાથી આ માન્યતા બદલાઈ તેને સ્થાન મળી શકે તેવું સૂચક નિવેદન પણ આપ્યું છે.
સામાન્ય રીતે સમાજનાં વિકાસનું ગાણું ગાનાર નરેશ પટેલે આજે વાતચીતની શરૂઆતમાં રાજકીય ચર્ચા કરવામાં આવનાર હોવાનું ખૂલીને સ્વીકાર્યું હતું. અને કહ્યું હતું કે, રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ પટેલ બાદ હજુસુધી તેમના જેવો આગેવાન સમાજને મળ્યો નથી. દરેક સમાજની ઈચ્છા હોય કે મુખ્યમંત્રી તેના સમાજનાં હોવા જોઈએ. એ જ રીતે પાટીદાર સમાજ પણ ઈચ્છે કે મુખ્યમંત્રીની ખુરશી પર કોઈ પાટીદારને સ્થાન મળે. જો કે હાલમાં કોઈ પક્ષમાં આ માટે દાવેદાર ગણી શકાય તેવા નેતા છે કે નહીં તે પ્રશ્નનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું. પરંતુ ગુજરાતના ઇતિહાસમાં ત્રીજા મોરચને સ્થાન ન મળ્યું હોવાનું જણાવતા આમ આદમી પાર્ટીનાં કામનાં વખાણ કર્યા હતા. તેમજ 'આપ' ને ગુજરાતમાં સ્થાન મળવાની શક્યતા હોવાનું મહત્વનું નિવેદન કર્યું હતું. સાથે જ પોતે ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. સાથે જ હાર્દિક પટેલનું નામ લીધા વિના કોંગ્રેસમાં પણ પાટીદારને મહત્વનું સ્થાન મળનાર છે તેવો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
આ બેઠકમાં નરેશ પટેલ ઉપરાંત મથુર સવાણી-સુરત, લવજી બાદશાહ-સુરત, જયરામ પટેલ-સીદસર મંદિર, દિલીપ નેતા-ઊંઝા મંદિર, વાસુદેવ પટેલ-સોલા ઉમિયા કેમ્પસ, રમેશ દૂધવાળા-સોલા ઉમિયા કેમ્પસ, ગગજી સુતરીયા-સરદાર ધામ અને ખોડલધામનાં ટ્રસ્ટી દિનેશ કુંભાણી સહિતના પાટીદાર આગેવાનો હાજર રહ્યા છે. તેમજ સમાજના વિકાસ સહિત રાજકીય બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યની તમામ ચૂંટણીઓમાં સામાન્ય રીતે પાટીદાર સમાજ મોટું વર્ચસ્વ ધરાવે છે. આ માટે જ તમામ રાજકીય પક્ષો પાટીદાર સમાજને તેની સાથે રાખવાના સતત પ્રયાસો કરતા હોય છે. તેમાં પણ જ્યારે લેઉવા-કડવા પાટીદાર એકસાથે આવે ત્યારે તો ચોક્કસપણે સરકાર બનાવી કે ઉથલાવી શકવાની તાકાત ધરાવે છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો પણ આ બેઠક ઉપર ખાસ નજર રાખી રહ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.