રાજકોટ રેન્જના 5 જિલ્લામાં છેલ્લા 30 દિવસથી 1121 જેટલી રેડ કરાઈ
ગેરકાયદેસર ચાલતો બાયોડિઝલનો વેપાર 100% નાબુદ થાય તેવા પ્રયત્નો અમે કરશું - પુરવઠા મંત્રી જયેશ રાદડીયા
બાયોડીઝલના ગેરકાયદે પંપના સંચાલકો પર રાજકીય વગ ધરાવતા લોકોના ચાર હાથ હોવાની ખુદ પોલીસ મલાઈ મેળવી આ વેપલા સામે આંખ આડા કાન કરી રહી હોવાનું લોકોમાં ચર્ચા
WatchGujarat. આજે રાજ્યભરમાં 72માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરનાં ઈશ્વરીયા ખાતે વન મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા ખાસ હાજર રહ્યા હતા. આ તકે તેમણે બાયોડિઝલનાં કાળા કારોબાર અને આગામી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી મુદ્દે મહત્વનો દાવો કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, આવનારી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીઓ બિનહરીફ થશે. સાથે સાથે બાયોડિઝલનો કારોબાર બંધ કરાવવા તંત્ર કાર્ય કરી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
જયેશ રાદડિયાનાં જણાવ્યા મુજબ, માર્કેટીંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ થશે. રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રની તમામ સંસ્થાઓ બિનહરીફ થાય તેવા પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે. ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેન કોને બનાવવા તેનો નિર્ણય ભાજપનું મોવડી મંડળ લેશે તેવું પુરવઠા મંત્રીએ જણાવ્યુ હતું. વધુમાં કહ્યું કે હાલ પ્રાથમિક મતદાર યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અને યાર્ડની ચૂંટણીઓમાં કોઇ જુથવાદ ન હોવાનો પણ જયેશ રાદડિયાએ દાવો કર્યો છે.
બાયોડિઝલ મુદ્દે પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ કહ્યું હતું કે,બાયોડીઝલનો કાળો કારોબાર નાબૂદ કરવા પોલીસ સાથે સંકલન કરી મોટાપાયે દરોડા પાડવામાં આવશે. અને ગેરકાયદેસર ચાલતો બાયોડિઝલનો વેપાર 100% નાબુદ થાય તેવા પ્રયત્નો અમે કરશું. જો કે બાયોડિઝલ અંગેનાં દરોડા સતત ચાલતી પ્રક્રિયા હોવાનું જણાવી ગેરકાયદે બાયોડીઝલના વહેચાણ અને સંગ્રહને અટકાવી કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકાર તરફથી સૂચના આપવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આમ છતાં પણ રાજકોટ શહેર અને જિલ્લામાં ફરી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો શરૂ થઇ ગયો છે. અને રાજકોટ રેન્જના 5 જિલ્લામાં છેલ્લા 30 દિવસથી 1121 જેટલી રેડ કરાઈ છે. ગઈકાલે રૂરલ SOG પોલીસને મળેલ બાતમીના આધારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે એક મોટી શેડ વાળી જગ્યામાં બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ પર દરોડા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થળ પરથી વેંચાણ કરતા કુલદીપ હેરભા અને ભુપેન્દ્ર ઉંધાડ નામના બે શખ્સો મળી આવ્યા હતા.
આ બન્ને શખ્સો પાસેથી અલગ અલગ ટાંકામાં કુલ 75,000 લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. જે તમામ સહિત કુલ રૂ.63 લાખનો મુદામાલ કબ્જે કરી આ મોટો જથ્થો ક્યાંથી લાવી કોને સપ્લાય કરવામાં આવતો હતો તે દિશા તરફ આગળ તપાસ હાથ ધરી છે. જો કે બાયોડીઝલના ગેરકાયદે પંપના સંચાલકો પર રાજકીય વગ ધરાવતા લોકોના ચાર હાથ હોવાની ખુદ પોલીસ મલાઈ મેળવી બાયોડીઝલનાં આ વેપલા સામે આંખ આડા કાન કરી રહી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હકીકતમાં રાદડિયાનો આ દાવો કેટલો સફળ થશે તે મોટો સવાલ છે.
ગેરકાયદેસર ચાલતો બાયોડિઝલનો વેપાર 100% નાબુદ થાય તેવા પ્રયત્નો અમે કરશું - પુરવઠા મંત્રી જયેશ રાદડીયા
બાયોડીઝલના ગેરકાયદે પંપના સંચાલકો પર રાજકીય વગ ધરાવતા લોકોના ચાર હાથ હોવાની ખુદ પોલીસ મલાઈ મેળવી આ વેપલા સામે આંખ આડા કાન કરી રહી હોવાનું લોકોમાં ચર્ચા
WatchGujarat. આજે રાજ્યભરમાં 72માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરનાં ઈશ્વરીયા ખાતે વન મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા ખાસ હાજર રહ્યા હતા. આ તકે તેમણે બાયોડિઝલનાં કાળા કારોબાર અને આગામી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી મુદ્દે મહત્વનો દાવો કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, આવનારી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીઓ બિનહરીફ થશે. સાથે સાથે બાયોડિઝલનો કારોબાર બંધ કરાવવા તંત્ર કાર્ય કરી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
જયેશ રાદડિયાનાં જણાવ્યા મુજબ, માર્કેટીંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ થશે. રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રની તમામ સંસ્થાઓ બિનહરીફ થાય તેવા પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે. ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેન કોને બનાવવા તેનો નિર્ણય ભાજપનું મોવડી મંડળ લેશે તેવું પુરવઠા મંત્રીએ જણાવ્યુ હતું. વધુમાં કહ્યું કે હાલ પ્રાથમિક મતદાર યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અને યાર્ડની ચૂંટણીઓમાં કોઇ જુથવાદ ન હોવાનો પણ જયેશ રાદડિયાએ દાવો કર્યો છે.
બાયોડિઝલ મુદ્દે પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ કહ્યું હતું કે,બાયોડીઝલનો કાળો કારોબાર નાબૂદ કરવા પોલીસ સાથે સંકલન કરી મોટાપાયે દરોડા પાડવામાં આવશે. અને ગેરકાયદેસર ચાલતો બાયોડિઝલનો વેપાર 100% નાબુદ થાય તેવા પ્રયત્નો અમે કરશું. જો કે બાયોડિઝલ અંગેનાં દરોડા સતત ચાલતી પ્રક્રિયા હોવાનું જણાવી ગેરકાયદે બાયોડીઝલના વહેચાણ અને સંગ્રહને અટકાવી કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકાર તરફથી સૂચના આપવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આમ છતાં પણ રાજકોટ શહેર અને જિલ્લામાં ફરી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો શરૂ થઇ ગયો છે. અને રાજકોટ રેન્જના 5 જિલ્લામાં છેલ્લા 30 દિવસથી 1121 જેટલી રેડ કરાઈ છે. ગઈકાલે રૂરલ SOG પોલીસને મળેલ બાતમીના આધારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે એક મોટી શેડ વાળી જગ્યામાં બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ પર દરોડા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થળ પરથી વેંચાણ કરતા કુલદીપ હેરભા અને ભુપેન્દ્ર ઉંધાડ નામના બે શખ્સો મળી આવ્યા હતા.
આ બન્ને શખ્સો પાસેથી અલગ અલગ ટાંકામાં કુલ 75,000 લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. જે તમામ સહિત કુલ રૂ.63 લાખનો મુદામાલ કબ્જે કરી આ મોટો જથ્થો ક્યાંથી લાવી કોને સપ્લાય કરવામાં આવતો હતો તે દિશા તરફ આગળ તપાસ હાથ ધરી છે. જો કે બાયોડીઝલના ગેરકાયદે પંપના સંચાલકો પર રાજકીય વગ ધરાવતા લોકોના ચાર હાથ હોવાની ખુદ પોલીસ મલાઈ મેળવી બાયોડીઝલનાં આ વેપલા સામે આંખ આડા કાન કરી રહી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હકીકતમાં રાદડિયાનો આ દાવો કેટલો સફળ થશે તે મોટો સવાલ છે.