દુલ્હને લોકોને પણ કોઈપણ સંજોગોમાં મતદાન અવશ્ય કરવાની સલાહ આપી
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ યુવા લોકોને ટીકીટ આપવાના CR પાટીલનાં નિર્ણયની પ્રશંસા કરી
WatchGujarat શહેરમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈ મતદાન કરવામાં આવી રહ્યું છે. જેમાં સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઓ પણ મતદાન કરીને પોતાની દેશ પ્રત્યેની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે નવી નવેલી દુલ્હને પણ પતિનાં ઘરે જતા પહેલા મતદાન કરીને લોકશાહીનાં આ પાવન પર્વની ઉજવણી કરી હતી. અને ત્યારબાદ પતિના ઘરે પ્રસ્થાન કર્યું હતું. આ તકે દુલ્હને લોકોને પણ કોઈપણ સંજોગોમાં મતદાન અવશ્ય કરવાની સલાહ આપી હતી. બીજીતરફ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ પણ મતદાન કર્યું હતું. અને યુવા લોકોને ટીકીટ આપવાના CR પાટીલનાં નિર્ણયની પ્રશંસા કરી હતી.
શહેરનાં કોઠારીયા રોડ પર આવેલા ગોવિંદનગર ખાતે આજે શ્રદ્ધાબેન રાજેશભાઇ નિમાવત નામની યુવતિનાં લગ્ન યોજાયા હતા. લગ્નની વિધિ પુરી થયા બાદ પતિ ધોરાજીનાં હોવાથી યુવતિએ તેની સાથે જવાનું હતું. પરંતુ આ પહેલા દેશ અને સમાજ માટે પોતાની ફરજ અદા કરવા શ્રદ્ધાબેને શાળા નંબર 96 ખાતે મતદાન કર્યું હતું. જેમાં કોરોનાની માસ્ક સહિતની તમામ ગાઈડ લાઇનનું પણ તેમણે ચુસ્તપણે પાલન કર્યું હતું. તેણીનાં પતિ તેમજ સાસરિયાઓએ પણ તેના આ નિર્ણયની પ્રશંસા કરી હતી.
કર્ણાટકના રાજ્યપાલ અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય વજુભાઇ વાળા પણ મતદાન કરવા માટે ખાસ રાજકોટ આવી પહોંચ્યા હતા. અને હરિહર હોલ ખાતે મતદાન કર્યું હતું. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, યુવાનોને ટિકિટ આપવામાં આવી તે નિર્ણય ખરેખર પ્રશંસનીય છે.
આગામી વિધાનસભા તેમજ લોકસભા ચૂંટણી માટે પણ ઉંમરની મર્યાદા નક્કી કરવાની ટકોર પણ તેમણે કરી હતી. સાથે ભાજપની જીતનો વિશ્વાસ પણ વજુભાઇ વાળાએ વ્યક્ત કર્યો હતો.
દુલ્હને લોકોને પણ કોઈપણ સંજોગોમાં મતદાન અવશ્ય કરવાની સલાહ આપી
WatchGujarat શહેરમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈ મતદાન કરવામાં આવી રહ્યું છે. જેમાં સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઓ પણ મતદાન કરીને પોતાની દેશ પ્રત્યેની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે નવી નવેલી દુલ્હને પણ પતિનાં ઘરે જતા પહેલા મતદાન કરીને લોકશાહીનાં આ પાવન પર્વની ઉજવણી કરી હતી. અને ત્યારબાદ પતિના ઘરે પ્રસ્થાન કર્યું હતું. આ તકે દુલ્હને લોકોને પણ કોઈપણ સંજોગોમાં મતદાન અવશ્ય કરવાની સલાહ આપી હતી. બીજીતરફ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ પણ મતદાન કર્યું હતું. અને યુવા લોકોને ટીકીટ આપવાના CR પાટીલનાં નિર્ણયની પ્રશંસા કરી હતી.
શહેરનાં કોઠારીયા રોડ પર આવેલા ગોવિંદનગર ખાતે આજે શ્રદ્ધાબેન રાજેશભાઇ નિમાવત નામની યુવતિનાં લગ્ન યોજાયા હતા. લગ્નની વિધિ પુરી થયા બાદ પતિ ધોરાજીનાં હોવાથી યુવતિએ તેની સાથે જવાનું હતું. પરંતુ આ પહેલા દેશ અને સમાજ માટે પોતાની ફરજ અદા કરવા શ્રદ્ધાબેને શાળા નંબર 96 ખાતે મતદાન કર્યું હતું. જેમાં કોરોનાની માસ્ક સહિતની તમામ ગાઈડ લાઇનનું પણ તેમણે ચુસ્તપણે પાલન કર્યું હતું. તેણીનાં પતિ તેમજ સાસરિયાઓએ પણ તેના આ નિર્ણયની પ્રશંસા કરી હતી.
કર્ણાટકના રાજ્યપાલ અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય વજુભાઇ વાળા પણ મતદાન કરવા માટે ખાસ રાજકોટ આવી પહોંચ્યા હતા. અને હરિહર હોલ ખાતે મતદાન કર્યું હતું. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, યુવાનોને ટિકિટ આપવામાં આવી તે નિર્ણય ખરેખર પ્રશંસનીય છે.
આગામી વિધાનસભા તેમજ લોકસભા ચૂંટણી માટે પણ ઉંમરની મર્યાદા નક્કી કરવાની ટકોર પણ તેમણે કરી હતી. સાથે ભાજપની જીતનો વિશ્વાસ પણ વજુભાઇ વાળાએ વ્યક્ત કર્યો હતો.