મહિલાનો પતિ હાલ દુબઈમાં હોવાનું જાણવા મળતા તેનો સંપર્ક કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યો
શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ નામની સંસ્થાએ મહિલાના ૧૩ વર્ષના પુત્રને અપનાવી ઉચ્ચ શિક્ષણ આપવાની ખાતરી આપી
WatchGujarat શહેરમાં ફરી એકવાર માનવતા મહેકાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વધુ એક સેવાભાવી સંસ્થાએ બે-બે વર્ષથી રૂમમાં બંધ 45 વર્ષીય મહિલા અને તેના પુત્રને મુક્ત કરાવ્યો છે. આ મહિલાનો પતિ હાલ દુબઈમાં હોવાનું જાણવા મળતા તેનો સંપર્ક કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ તકે શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ નામની આ સંસ્થાએ મહિલાના ૧૩ વર્ષના પુત્રને અપનાવી ઉચ્ચ શિક્ષણ આપવાની ખાતરી પણ આપી છે.
જાણવા મળતી વિગતો મુજબ ગાંધીગ્રામ વેલનાથ ચોક પાસે આવેલ ગોવિંદનગરમાં સરલાબેન કાંતિભાઈ પ્રજાપતિ છેલ્લા બે વર્ષથી તેના પુત્ર સાથે ઘરમાં બંધ હોવાનું સ્થાનિકોને જાણવા મળ્યું હતું. સ્થાનિકોએ 181ને જાણ કરતાં તેની ટીમ શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યોને સાથે રાખીને સ્થળ પર પહોંચી હતી. આસપાસમાં તપાસ કરતાં આ મહિલાના પતિ છેલ્લા લાંબા સમયથી દુબઈ હોવાનું સામે આવ્યું હતું. તેમજ બે વર્ષ અગાઉ મહિલાનું સારણગાંઠનું ઓપરેશન થયા બાદ તેમની માનસિક સ્થિતિ બગડી હોવાનું અને તેઓ શૌચક્રિયા પથારી પર જ કરતા હોવાનું પણ સામે આવ્યું હતું.
શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યોએ મહિલાને અને તેમના 13 વર્ષીય પુત્રને મેડિકલ તપાસ અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં તબીબોએ માતા-પુત્રની મેડિકલ તપાસ અને તમામ રિપોર્ટની તપાસ કર્યા બાદ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. જેથી ટ્રસ્ટ દ્વારા માતા-પુત્રને ઘરે ખસેડવાની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનાએ શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના ભગવતીબેન વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેઓના તમામ રિપોર્ટ નેગેટિવ આવતા ફરી તેમને ઘરે લાવવામાં આવ્યા છે. હવે તેમની ટીમ મહિલાના ઘરની સાફ સફાઈ કરશે અને તેમના ૧૩ વર્ષના પુત્રને ઉચ્ચ શિક્ષણ પણ આપશે. હાલ સરલાબેન પ્રજાપતિની આવી હાલત ક્યાં કારણે થઇ તે અંગે વધુ વિગતો એકત્રિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યુ છે.
મહિલાનો પતિ હાલ દુબઈમાં હોવાનું જાણવા મળતા તેનો સંપર્ક કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યો
શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ નામની સંસ્થાએ મહિલાના ૧૩ વર્ષના પુત્રને અપનાવી ઉચ્ચ શિક્ષણ આપવાની ખાતરી આપી
WatchGujarat શહેરમાં ફરી એકવાર માનવતા મહેકાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વધુ એક સેવાભાવી સંસ્થાએ બે-બે વર્ષથી રૂમમાં બંધ 45 વર્ષીય મહિલા અને તેના પુત્રને મુક્ત કરાવ્યો છે. આ મહિલાનો પતિ હાલ દુબઈમાં હોવાનું જાણવા મળતા તેનો સંપર્ક કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ તકે શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ નામની આ સંસ્થાએ મહિલાના ૧૩ વર્ષના પુત્રને અપનાવી ઉચ્ચ શિક્ષણ આપવાની ખાતરી પણ આપી છે.
જાણવા મળતી વિગતો મુજબ ગાંધીગ્રામ વેલનાથ ચોક પાસે આવેલ ગોવિંદનગરમાં સરલાબેન કાંતિભાઈ પ્રજાપતિ છેલ્લા બે વર્ષથી તેના પુત્ર સાથે ઘરમાં બંધ હોવાનું સ્થાનિકોને જાણવા મળ્યું હતું. સ્થાનિકોએ 181ને જાણ કરતાં તેની ટીમ શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યોને સાથે રાખીને સ્થળ પર પહોંચી હતી. આસપાસમાં તપાસ કરતાં આ મહિલાના પતિ છેલ્લા લાંબા સમયથી દુબઈ હોવાનું સામે આવ્યું હતું. તેમજ બે વર્ષ અગાઉ મહિલાનું સારણગાંઠનું ઓપરેશન થયા બાદ તેમની માનસિક સ્થિતિ બગડી હોવાનું અને તેઓ શૌચક્રિયા પથારી પર જ કરતા હોવાનું પણ સામે આવ્યું હતું.
શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યોએ મહિલાને અને તેમના 13 વર્ષીય પુત્રને મેડિકલ તપાસ અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં તબીબોએ માતા-પુત્રની મેડિકલ તપાસ અને તમામ રિપોર્ટની તપાસ કર્યા બાદ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. જેથી ટ્રસ્ટ દ્વારા માતા-પુત્રને ઘરે ખસેડવાની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનાએ શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના ભગવતીબેન વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેઓના તમામ રિપોર્ટ નેગેટિવ આવતા ફરી તેમને ઘરે લાવવામાં આવ્યા છે. હવે તેમની ટીમ મહિલાના ઘરની સાફ સફાઈ કરશે અને તેમના ૧૩ વર્ષના પુત્રને ઉચ્ચ શિક્ષણ પણ આપશે. હાલ સરલાબેન પ્રજાપતિની આવી હાલત ક્યાં કારણે થઇ તે અંગે વધુ વિગતો એકત્રિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યુ છે.