શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા CM, DY. CM, આરોગ્ય અગ્ર સચિવ સહિતના અધિકારીઓ સાથે આજે રાજકોટ - મોરબીની મુલાકાતે
રાજકોટને વધુ એક RTPCR ટેસ્ટિંગ મશીન આપવાની જાહેરાત
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા સીએમ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સહિતના અધિકારીઓ સાથે આજે રાજકોટ - મોરબીની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ તકે તેમણે લોકોને બિનજરૂરી બહાર નહીં નિકળી સ્વયંભૂ લોકડાઉન પાળવાની અપીલ કરી હતી. સાથે જ રાજકોટ શહેરમાં 6631 બેડ ઉભા કરવાની સાથે 7 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવવાનું પણ જાહેર કર્યું છે. સાથે જ રાજકોટને વધુ એક RTPCR ટેસ્ટિંગ મશીન આપવાની જાહેરાત કરી છે. સાથે સાથે કન્ટેન્ટમેન્ટ ઝોન સીલ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
મુખ્યમંત્રીનાં જણાવ્યા મુજબ, કોરોનાની પરિસ્થિતિ કથળી છે. પરંતુ સરકાર અને તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. કોરોનાના ગંભીર દર્દીઓ માટે આગામી દિવસોમાં 6631 બેડ તાત્કાલીક ઉભા કરાશે. હાલમાં 4293 બેડ શહેર-જિલ્લામાં મળીને છે. તેમાંથી 2535 ભરેલા છે અને 1700 આજના દિવસે ખાલી છે. આ ઉપરાંત સમરસ હોસ્ટેલમાં ઓકિસજન પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણતાના આરે છે. ત્યાં પણ આઠ માળમાં 500 બેડની સુવિધા ઉભી કરવામાં આવશે. તો સિવિલના ટ્રોમા સેન્ટરમાં 200 બેડ અને ઓકિસજન લાઇનની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં મનપાના અમૃત ઘાયલ હોલ ખાતે ઓકિસજન લાઇન નાખી 200 બેડની સુવિધા ઉભી કરવામાં આવનાર છે. જેથી કોઈપણ દર્દીને સારવાર ન મળે તેવું થવાનો કોઈ સવાલ જ નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઇન્ડિયન મેડિકલ એસો. સાથે થયેલ બેઠકની ફળશ્રુતિ મુજબ નાના નર્સીંગ હોમ ચલાવતા ડોકટરોએ પણ 600 બેડ કોરોના દર્દીઓ માટે ફાળવવાની ખાતરી આપી છે. આમ આ બધા મળી આગામી ટૂંક સમયમાં જ રાજકોટમાં 7 હજાર બેડની સુવિધા ઉભી થઇ જશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જે-તે આરોગ્ય કેન્દ્ર અથવા કોઇ સમાજની વાડી કે મોટી જગ્યામાં પ્રત્યેક ગામ દીઠ 15 બેડની સુવિધાઓ ઉભી કરવાની સૂચના આપી દેવાઇ છે. જોકે મોટા ભાગનાં કેસ માઇલ્ડ અથવા એ-સીમ્ટોમેટીક છે. માટે આવા દર્દીઓને ઘરે રહી ડોકટરના માર્ગદર્શન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. આવા દર્દીઓને હોસ્પિટલ માટેનો આગ્રહ નહીં રાખવાની અપીલ તેમણે કરી છે.
રેમડેસિવિરની અછત અંગે તેમણે કહ્યું હતું કે, હાલનાં સંજોગોમાં ઇન્જેકશનોની થોડી અછત છે તે હકીકત છે. પરંતુ સાવ મળતા નથી તેવુ નથી. સરકારે હાલમાં રાજકોટને 15-16 હજાર ઇન્જેકશન આપ્યા છે. પરંતુ આ ઇન્જેકશન વ્યકિતગત નહીં અપાય, હોસ્પિટલને અથવા ડોકટરને આપવામાં આવશે. ઉપરાંત નવા 50 હજાર ઇન્જેકશનનો ઓર્ડર આપી દેવાયો છે. જે ટૂંક સમયમાં આવી જતા ઇન્જેકશનની અછત દૂર થઇ જશે. જરૂર વિના કોઈએ આ ઇન્જેક્શન લેવા નહીં કારણ કે, તેનાથી ઘણું નુકસાન થવાની સંભાવના છે.
લોકડાઉન અંગે તેમણે કહ્યું હતું કે, દિવસે લોકડાઉન થવાથી લોકોના ધંધા-રોજગારને માઠી અસર પહોંચે છે. જેને લઈને સમગ્ર ભારતે રાત્રિ કર્ફયુનો અમલ શરૂ કર્યો છે. ત્યારે નાગરિકોએ જ સમજીને રાત્રિ કર્ફયુનો કડક અમલ કરવો જોઇએ. ઉપરાંત કોઇ વ્યકિતએ ખાસ જરૂરિયાત વગર ઘરની બહાર નહીં નિકળીને સ્વયંભૂ લોકડાઉન પાળવુ જોઇએ. અગાઉ કોરોના હતો ત્યારે આપણી પાસે પુરતા બેડ કે રેમડેસિવિર ઇન્જેકશન પણ નહીં હોવા છતાં આપણે કોરોનાને હરાવ્યો હતો. ત્યારે હવે તો આપણી પાસે બધી જ સુવિધા છે. માત્ર થોડી સાવચેતી રાખવામાં આવશે તો ટૂંક સમયમાં સંક્રમણ પર કાબુ મેળવી શકાશે. આ તકે તેમણે પોઝીટીવ દર્દીઓ બહાર ન જાય તે માટે વધુ કેસ હોય તે વિસ્તારની શેરી, ફલેટને સીલ કરવાનાં આદેશો પણ આપ્યા છે.
શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા CM, DY. CM, આરોગ્ય અગ્ર સચિવ સહિતના અધિકારીઓ સાથે આજે રાજકોટ - મોરબીની મુલાકાતે
રાજકોટને વધુ એક RTPCR ટેસ્ટિંગ મશીન આપવાની જાહેરાત
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા સીએમ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સહિતના અધિકારીઓ સાથે આજે રાજકોટ - મોરબીની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ તકે તેમણે લોકોને બિનજરૂરી બહાર નહીં નિકળી સ્વયંભૂ લોકડાઉન પાળવાની અપીલ કરી હતી. સાથે જ રાજકોટ શહેરમાં 6631 બેડ ઉભા કરવાની સાથે 7 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવવાનું પણ જાહેર કર્યું છે. સાથે જ રાજકોટને વધુ એક RTPCR ટેસ્ટિંગ મશીન આપવાની જાહેરાત કરી છે. સાથે સાથે કન્ટેન્ટમેન્ટ ઝોન સીલ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
મુખ્યમંત્રીનાં જણાવ્યા મુજબ, કોરોનાની પરિસ્થિતિ કથળી છે. પરંતુ સરકાર અને તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. કોરોનાના ગંભીર દર્દીઓ માટે આગામી દિવસોમાં 6631 બેડ તાત્કાલીક ઉભા કરાશે. હાલમાં 4293 બેડ શહેર-જિલ્લામાં મળીને છે. તેમાંથી 2535 ભરેલા છે અને 1700 આજના દિવસે ખાલી છે. આ ઉપરાંત સમરસ હોસ્ટેલમાં ઓકિસજન પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણતાના આરે છે. ત્યાં પણ આઠ માળમાં 500 બેડની સુવિધા ઉભી કરવામાં આવશે. તો સિવિલના ટ્રોમા સેન્ટરમાં 200 બેડ અને ઓકિસજન લાઇનની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં મનપાના અમૃત ઘાયલ હોલ ખાતે ઓકિસજન લાઇન નાખી 200 બેડની સુવિધા ઉભી કરવામાં આવનાર છે. જેથી કોઈપણ દર્દીને સારવાર ન મળે તેવું થવાનો કોઈ સવાલ જ નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઇન્ડિયન મેડિકલ એસો. સાથે થયેલ બેઠકની ફળશ્રુતિ મુજબ નાના નર્સીંગ હોમ ચલાવતા ડોકટરોએ પણ 600 બેડ કોરોના દર્દીઓ માટે ફાળવવાની ખાતરી આપી છે. આમ આ બધા મળી આગામી ટૂંક સમયમાં જ રાજકોટમાં 7 હજાર બેડની સુવિધા ઉભી થઇ જશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જે-તે આરોગ્ય કેન્દ્ર અથવા કોઇ સમાજની વાડી કે મોટી જગ્યામાં પ્રત્યેક ગામ દીઠ 15 બેડની સુવિધાઓ ઉભી કરવાની સૂચના આપી દેવાઇ છે. જોકે મોટા ભાગનાં કેસ માઇલ્ડ અથવા એ-સીમ્ટોમેટીક છે. માટે આવા દર્દીઓને ઘરે રહી ડોકટરના માર્ગદર્શન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. આવા દર્દીઓને હોસ્પિટલ માટેનો આગ્રહ નહીં રાખવાની અપીલ તેમણે કરી છે.
રેમડેસિવિરની અછત અંગે તેમણે કહ્યું હતું કે, હાલનાં સંજોગોમાં ઇન્જેકશનોની થોડી અછત છે તે હકીકત છે. પરંતુ સાવ મળતા નથી તેવુ નથી. સરકારે હાલમાં રાજકોટને 15-16 હજાર ઇન્જેકશન આપ્યા છે. પરંતુ આ ઇન્જેકશન વ્યકિતગત નહીં અપાય, હોસ્પિટલને અથવા ડોકટરને આપવામાં આવશે. ઉપરાંત નવા 50 હજાર ઇન્જેકશનનો ઓર્ડર આપી દેવાયો છે. જે ટૂંક સમયમાં આવી જતા ઇન્જેકશનની અછત દૂર થઇ જશે. જરૂર વિના કોઈએ આ ઇન્જેક્શન લેવા નહીં કારણ કે, તેનાથી ઘણું નુકસાન થવાની સંભાવના છે.
લોકડાઉન અંગે તેમણે કહ્યું હતું કે, દિવસે લોકડાઉન થવાથી લોકોના ધંધા-રોજગારને માઠી અસર પહોંચે છે. જેને લઈને સમગ્ર ભારતે રાત્રિ કર્ફયુનો અમલ શરૂ કર્યો છે. ત્યારે નાગરિકોએ જ સમજીને રાત્રિ કર્ફયુનો કડક અમલ કરવો જોઇએ. ઉપરાંત કોઇ વ્યકિતએ ખાસ જરૂરિયાત વગર ઘરની બહાર નહીં નિકળીને સ્વયંભૂ લોકડાઉન પાળવુ જોઇએ. અગાઉ કોરોના હતો ત્યારે આપણી પાસે પુરતા બેડ કે રેમડેસિવિર ઇન્જેકશન પણ નહીં હોવા છતાં આપણે કોરોનાને હરાવ્યો હતો. ત્યારે હવે તો આપણી પાસે બધી જ સુવિધા છે. માત્ર થોડી સાવચેતી રાખવામાં આવશે તો ટૂંક સમયમાં સંક્રમણ પર કાબુ મેળવી શકાશે. આ તકે તેમણે પોઝીટીવ દર્દીઓ બહાર ન જાય તે માટે વધુ કેસ હોય તે વિસ્તારની શેરી, ફલેટને સીલ કરવાનાં આદેશો પણ આપ્યા છે.