રવિવારે રાજકોટમાં શ્રી રામ ધુન સંતવાણી મંડળ દ્વારા શણગાર હોલ ખાતે 12 અનાથ દીકરીના સમૂહલગ્ન યોજાયા હતા
લગ્ન પ્રસંગમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાને કારણે આજીડેમ પોલીસ દોડી ગઈ
બીજીતરફ આ સમયે ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનાં નિયમનો ઉલાળીયો કર્યો, પરંતુ કોઇ કાર્યવાહી નહી
Watchgujarat. કોરોનાની બીજી લહેર શાંત થઈ છે. પરંતુ ત્રીજી લહેરની શક્યતાને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં નિયમોનું પાલન નહીં કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે. પણ આ નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ હોય તેમ ભાજપનાં નેતાઓ દ્વારા કરવામાં આવતા નિયમ ભંગ સમયે પોલીસ ચૂપચાપ જોવા મળતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં 12 અનાથ દિકરીઓનાં લગ્નમાં ભીડ થતા પોલીસ દોડી ગઈ હતી. જો કે આ જ સમયે ભાજપ કાર્યાલય ખાતે સોશિયલ ડિસ્ટન્સનાં સરેઆમ થતા ભંગ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને NCP નેતા રેશ્મા પટેલે પણ સવાલ ઉઠાવ્યા છે.
https://youtu.be/16kunipXuX4
જાણવા મળતી વિગત મુજબ રવિવારે રાજકોટમાં શ્રી રામ ધુન સંતવાણી મંડળ દ્વારા શણગાર હોલ ખાતે 12 અનાથ દીકરીના સમૂહલગ્ન યોજાયા હતા. દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાને કારણે આજીડેમ પોલીસ દોડી ગઈ હતી. અને ચાલુ કાર્યક્રમ દરમિયાન આયોજકો અને હોલના માલિકને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. બીજીતરફ આ સમયે ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ હતી. બેઠકમાં હંમેશની જેમ જ નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનાં નિયમનો ઉલાળીયો કર્યો હતો. જોકે આ બાબત પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેને લઈ નિયમો સામાન્ય પ્રજા માટે હોવાનો આક્રોશ લોકોમાં જોવા મળ્યો હતો.
સમારોહમાં હાજરી આપવા પહોંચેલા NCPનાં નેતા રેશ્મા પટેલને આ વાતની જાણ થતાં તે પણ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. અને કહ્યું હતું કે, આજના દિવસે અને અત્યારે ભાજપના કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. આ નેતાઓ સામે કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા અને સામાન્ય જનતાને હેરાન કરવામાં આવી રહી છે. નિયમો સુખાકારી માટે હોય છે જનતાને દંડવા માટે નથી હોતા. જો આ સામાજીક કામ કરવા વાળા લોકો પર પગલાં લેવામાં આવ્યા હોય તો એ નેતાઓ સામે પણ પગલાં લેવા જોઈએ. એટલું જ નહીં આ અંગે કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. બાદમાં પોલીસે સમૂહલગ્નનાં આયોજકો અને હોલનાં માલિકને માત્ર પૂછતાછ માટે બોલાવ્યા હોવાની સ્પષ્ટતા કરવી પડી હતી.
રવિવારે રાજકોટમાં શ્રી રામ ધુન સંતવાણી મંડળ દ્વારા શણગાર હોલ ખાતે 12 અનાથ દીકરીના સમૂહલગ્ન યોજાયા હતા
બીજીતરફ આ સમયે ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનાં નિયમનો ઉલાળીયો કર્યો, પરંતુ કોઇ કાર્યવાહી નહી
Watchgujarat. કોરોનાની બીજી લહેર શાંત થઈ છે. પરંતુ ત્રીજી લહેરની શક્યતાને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં નિયમોનું પાલન નહીં કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે. પણ આ નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ હોય તેમ ભાજપનાં નેતાઓ દ્વારા કરવામાં આવતા નિયમ ભંગ સમયે પોલીસ ચૂપચાપ જોવા મળતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં 12 અનાથ દિકરીઓનાં લગ્નમાં ભીડ થતા પોલીસ દોડી ગઈ હતી. જો કે આ જ સમયે ભાજપ કાર્યાલય ખાતે સોશિયલ ડિસ્ટન્સનાં સરેઆમ થતા ભંગ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને NCP નેતા રેશ્મા પટેલે પણ સવાલ ઉઠાવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ રવિવારે રાજકોટમાં શ્રી રામ ધુન સંતવાણી મંડળ દ્વારા શણગાર હોલ ખાતે 12 અનાથ દીકરીના સમૂહલગ્ન યોજાયા હતા. દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાને કારણે આજીડેમ પોલીસ દોડી ગઈ હતી. અને ચાલુ કાર્યક્રમ દરમિયાન આયોજકો અને હોલના માલિકને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. બીજીતરફ આ સમયે ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ હતી. બેઠકમાં હંમેશની જેમ જ નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનાં નિયમનો ઉલાળીયો કર્યો હતો. જોકે આ બાબત પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેને લઈ નિયમો સામાન્ય પ્રજા માટે હોવાનો આક્રોશ લોકોમાં જોવા મળ્યો હતો.
સમારોહમાં હાજરી આપવા પહોંચેલા NCPનાં નેતા રેશ્મા પટેલને આ વાતની જાણ થતાં તે પણ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. અને કહ્યું હતું કે, આજના દિવસે અને અત્યારે ભાજપના કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. આ નેતાઓ સામે કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા અને સામાન્ય જનતાને હેરાન કરવામાં આવી રહી છે. નિયમો સુખાકારી માટે હોય છે જનતાને દંડવા માટે નથી હોતા. જો આ સામાજીક કામ કરવા વાળા લોકો પર પગલાં લેવામાં આવ્યા હોય તો એ નેતાઓ સામે પણ પગલાં લેવા જોઈએ. એટલું જ નહીં આ અંગે કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. બાદમાં પોલીસે સમૂહલગ્નનાં આયોજકો અને હોલનાં માલિકને માત્ર પૂછતાછ માટે બોલાવ્યા હોવાની સ્પષ્ટતા કરવી પડી હતી.