રાજકોટમાં પોલીસ રિક્ષાચાલકો, શાકભાજી વગેરે વેચતા ફેરિયાઓ, લારી ગલ્લાવાળા, ફૂડ પાર્સલ તથા કુરિયરના ડીલીવરી બોયને રસીકરણ કરવા તરફ દોરી રહ્યા છે
કેટલાક ગરીબ ધંધાર્થીઓને રસીકેન્દ્ર પર જવા માટે પોલીસવાનની સુવિધા પણ પૂરી પડાય છે
કોરોનાની રસી મુકાવવા માટે કોરોના અત્યંત ઘાતક સ્વરૂપે હતો ત્યારે જે ઉત્સાહ હતો, તે ઘટવા સાથે ઘટવા લાગ્યો છે
Watchgujarat. શહેરમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે વહીવટી તંત્ર અને મનપાની સાથે હવે પોલીસ તંત્ર પણ મેદાને આવ્યું છે. અને લારી ગલ્લાવાળા, શાકભાજીનાં વેપારી સહિતનાં સુપરસ્પ્રેડરોને શોધી-શોધીને તેઓને રસીકરણ માટે પોલીસ વાનમાં તેડવા-મુકવા સહિતની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સાથે જ રજિસ્ટ્રેશન સહિતની જરૂરી કાર્યવાહીમાં પોલીસે લોકોને મદદરૂપ બનવાનું શરૂ કર્યું છે. પોલીસની આ કામગીરીને લઈને રસીકરણ કરાવવા ઇચ્છતા પરંતુ તેની પ્રોસેસથી અજાણ લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
આ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા રિક્ષાચાલકો, શાકભાજી વગેરે વેચતા ફેરિયાઓ, લારી ગલ્લાવાળા, ફૂડ પાર્સલ તથા કુરિયરના ડીલીવરી બોય વગેરેને શોધીને તેમને રસી મુકાવવા રસી કેન્દ્રો તરફ દોરી જાય છે. આ કામગીરી પોલીસ સ્ટાઈલથી નહીં પણ સમજાવીને કરાઈ રહી છે. કેટલાક ગરીબ ધંધાર્થીઓને રસીકેન્દ્ર પર જવા માટે પોલીસવાનની સુવિધા પણ પૂરી પડાય છે. અને તેમના રજીસ્ટ્રેશન કરવામાં પણ મદદ કરાય છે. આ એવા ધંધાર્થીઓ છે જેમના સંપર્કમાં અનેક લોકો આવતા હોય છે અને તેઓ સુપર સ્પ્રેડર બની શકે છે. ત્યારે પોલીસે આવા લોકોનું રસીકરણ કરાવવાનું બીડું ઝડપ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની રસી મુકાવવા માટે કોરોના અત્યંત ઘાતક સ્વરૂપે હતો ત્યારે જે ઉત્સાહ હતો, તે ઘટવા સાથે ઘટવા લાગ્યો છે. દૈનિક 20 હજારને રસી આપવાના મનપાના લક્ષ્યાંક સામે હાલ 7થી 8 હજાર લોકોને રસી અપાય છે. રવિવારે માત્ર 6,172 લોકોને કોરોનાની વેકસીન અપાઈ હતી. ત્યારે હવે પોલીસની મદદથી રસીકરણમાં વધારો થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી આ મદદને વેપારીઓની સાથે આરોગ્ય કર્મચારીઓ પણ વખાણી રહ્યા છે.
રાજકોટમાં પોલીસ રિક્ષાચાલકો, શાકભાજી વગેરે વેચતા ફેરિયાઓ, લારી ગલ્લાવાળા, ફૂડ પાર્સલ તથા કુરિયરના ડીલીવરી બોયને રસીકરણ કરવા તરફ દોરી રહ્યા છે
કેટલાક ગરીબ ધંધાર્થીઓને રસીકેન્દ્ર પર જવા માટે પોલીસવાનની સુવિધા પણ પૂરી પડાય છે
કોરોનાની રસી મુકાવવા માટે કોરોના અત્યંત ઘાતક સ્વરૂપે હતો ત્યારે જે ઉત્સાહ હતો, તે ઘટવા સાથે ઘટવા લાગ્યો છે
Watchgujarat. શહેરમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે વહીવટી તંત્ર અને મનપાની સાથે હવે પોલીસ તંત્ર પણ મેદાને આવ્યું છે. અને લારી ગલ્લાવાળા, શાકભાજીનાં વેપારી સહિતનાં સુપરસ્પ્રેડરોને શોધી-શોધીને તેઓને રસીકરણ માટે પોલીસ વાનમાં તેડવા-મુકવા સહિતની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સાથે જ રજિસ્ટ્રેશન સહિતની જરૂરી કાર્યવાહીમાં પોલીસે લોકોને મદદરૂપ બનવાનું શરૂ કર્યું છે. પોલીસની આ કામગીરીને લઈને રસીકરણ કરાવવા ઇચ્છતા પરંતુ તેની પ્રોસેસથી અજાણ લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
આ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા રિક્ષાચાલકો, શાકભાજી વગેરે વેચતા ફેરિયાઓ, લારી ગલ્લાવાળા, ફૂડ પાર્સલ તથા કુરિયરના ડીલીવરી બોય વગેરેને શોધીને તેમને રસી મુકાવવા રસી કેન્દ્રો તરફ દોરી જાય છે. આ કામગીરી પોલીસ સ્ટાઈલથી નહીં પણ સમજાવીને કરાઈ રહી છે. કેટલાક ગરીબ ધંધાર્થીઓને રસીકેન્દ્ર પર જવા માટે પોલીસવાનની સુવિધા પણ પૂરી પડાય છે. અને તેમના રજીસ્ટ્રેશન કરવામાં પણ મદદ કરાય છે. આ એવા ધંધાર્થીઓ છે જેમના સંપર્કમાં અનેક લોકો આવતા હોય છે અને તેઓ સુપર સ્પ્રેડર બની શકે છે. ત્યારે પોલીસે આવા લોકોનું રસીકરણ કરાવવાનું બીડું ઝડપ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની રસી મુકાવવા માટે કોરોના અત્યંત ઘાતક સ્વરૂપે હતો ત્યારે જે ઉત્સાહ હતો, તે ઘટવા સાથે ઘટવા લાગ્યો છે. દૈનિક 20 હજારને રસી આપવાના મનપાના લક્ષ્યાંક સામે હાલ 7થી 8 હજાર લોકોને રસી અપાય છે. રવિવારે માત્ર 6,172 લોકોને કોરોનાની વેકસીન અપાઈ હતી. ત્યારે હવે પોલીસની મદદથી રસીકરણમાં વધારો થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી આ મદદને વેપારીઓની સાથે આરોગ્ય કર્મચારીઓ પણ વખાણી રહ્યા છે.