Watchgujarat. કોરોના મહામારીમાં ભયાનક ભય-ચિંતાને કારણે અબાલવૃદ્ધ સૌની સ્મૃતિ પર અસર થઇ છે. 11 વર્ષના બાળકથી લઈ વૃદ્ધ સુધીના દરેકમાં વત્તાઓછા અંશે સ્મૃતિ પર અસર જોવા મળી. આ મહત્ત્વના મુદ્દે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની કામ્બરીયા ક્રિષ્નાએ ભવન અધ્યક્ષ ડો.યોગેશ જોગસણનાં માર્ગદર્શનમાં 1720 લોકો પર સર્વેક્ષણ કર્યું હતું. 450 વૃદ્ધ, 450 પ્રૌઢ, 481 યુવાનો, 109 તરુણો અને 11 થી 14 વર્ષ સુધીના 230 બાળકોને મળી તારણો કાઢવામાં આવ્યા છે. જેમાં 35.10% વૃદ્ધોમાં કોરોના પછી યાદશક્તિની ખામી જોવા મળી છે. તો 26.10% પ્રૌઢમાં સ્મૃતિ હવે પહેલા કરતા ઓછી થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ 16.20% યુવાનોમાં સ્મૃતિને લઈને સમસ્યા, 9% તરુણોમાં સ્મૃતિલોપ અને 18% બાળકોમાં પણ યાદશક્તિ રહી નહીં હોવાનું ચોંકાવનારું તથ્ય સામે આવ્યું છે. જેમાં મહિલાઓની સરખામણીએ પુરુષોમાં વધુ અસર જોવા મળી છે. એટલું જ નહીં દોઢ વર્ષમાં બાળકો લખતા-વાંચતા ભુલી ગયા હોવાનું આ સર્વેમાં જોવા મળ્યું છે.
જાણો શુ છે સ્મૃતિલોપ એટલે કે Amnesia
સ્મૃતિલોપ મનને આઘાત લાગવાથી કે સતત ભયથી આવી શકે છે. ભયાનક ભય સ્મૃતિ પર અસર કરી શકે છે. સ્મૃતિલોપ તેને કહેવામાં આવે છે કે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સ્મૃતિમાં સંગ્રહિત જાણકારીને યાદ કરી શકતો નથી. આ ફિલ્મો - પુસ્તકો માટે એક લોકપ્રિય વિષય છે. પરંતુ વાસ્તવમાં બહુ દુર્લભ છે. થોડુ ભુલકકડ હોવું અથવા અમુક વાતોને ભૂલી જવી એ સામાન્ય વાત છે. પણ બિમારી યાદો અને સ્મૃતિને ખુબ જ નુકસાન પહોંચાડે છે. તેમાં વ્યકિતની જિંદગીની મહત્વપૂર્ણ વાતો, યાદગાર ઘટનાઓ અને ખાસ વ્યકિત (મિત્ર અને સગાસંબંધીઓ)નો સમાવેશ થાય છે.
સ્મૃતિલોપથી પીડિત લોકો માટે પોતાના અતીતને યાદ કરવા, નવી જાણકારી ભેગી કરવી અને ભવિષ્યની કલ્પના કરવી મુશ્કેલ હોય છે. એનું મુખ્ય કારણ છે કે, આપણે પાછલા અનુભવોની યાદોનાં આધાર ઉપર જ ભવિષ્યની યાદોનું નિર્માણ કરતાં હોઈએ છીએ. સ્મૃતિ ભ્રંશ એ નવી યાદોને મૂકવા જૂની યાદોને યાદ કરવાનો અથવા બંનેની અક્ષમતા છે. સ્મૃતિ ભ્રમણાના અન્ય લક્ષણોમાં મુંઝવણ અને અસહિષ્ણુ હલનચલન શામેલ હોય શકે છે. દારૂના દુરુપયોગથી એક પ્રકારનું સ્મૃતિ લોપ થઈ શકે છે. જેને વરનીક - કોરસકોફના મનોરોગ તરીકે ઓળખવામાં આવે છે. મગજની ઇજા સહિતની ઘણી બાબતે સ્મૃતિલોપ થઈ શકે છે.
જાણો સ્મૃતિલોપનાં મુખ્ય પ્રકારો
રિસ્ટરોગ્રેટ એમનેસીઆ - આ પ્રકારમાં રોગી પોતાની જૂની યાદોને યાદ કરવામાં અસમર્થ રહે છે. જેમ કે, આપણી બાળપણની યાદો. આ પ્રકારના સ્મૃતિ લોપ માં વ્યકિત શીખેલી અથવા યાદ કરેલી સૂચનાઓને જરૂરત પ્રમાણે યાદ કરી શકતો નથી. આવું લગભગ માથાના કેટલાક ભાગમાં આઘાત અથવા મસ્તિષ્કમાં ક્ષતિને કારણે થાય છે.
એન્ટ્રોગ્રેટ એમનેસીઆ - આમાં વ્યકિત નવી જાણકારી યાદ કરી શકતો નથી. ભૂલવાની આ બીમારી પણ ઘણી વાર મસ્તિષ્ક માં ક્ષતિ થવાને કારણે થાય છે. જેમ કે, લાંબા સમય સુધી આલ્કોહોલ નું સેવન, ગંભીર કુપોષણ, સ્ટ્રોક, માથામાં લાગવું, ઇન્સેફ્લાઈ ટીસ, સર્જરી વગેરે.
પોસ્ટ ટ્રુમેટિક એમનેસીઆ - આ બીમારી માથા પર લાગવાથી થતી હોય છે. ઉ.દા. માથા પર કઈક ભારી વજન પડવાથી અથવા એક્સિડન્ટ ના કારણે. આ લગભગ થોડાક સમય સુધી જ થાય છે. ભૂલવાની આ બીમારી નો સમયગાળો લાગવાની ગંભીરતા ઉપર નિર્ભર હોય છે.
વેરનીક કોરસાકોફ સિન્ડ્રોમ - આ બીમારી લાંબા સમય સુધી દારૂ પીવાથી થાય છે. જે લોકો આલ્કોહોલ લાંબા સમય સુધી પીતા રહે છે તેનામાં વિટામિન બી-૧ ની કમી આવી જાય છે. અને જેનાથી ધીરે ધીરે સ્મૃતિ લોપ થવા લાગે છે.
પૂર્વગ્રહ સ્મૃતિ લોપ - કેટલીક રીતે એન્ટરોગ્રેટ એમનેસિયાની વિરુદ્ધ વ્યકિત તેમના આઘાત પહેલા બનેલી ઘટનાઓને યાદ રાખી શકતી નથી. પરંતુ તે યાદ કરે છે તેના પછી શું થયું છે.
વૈશ્વિક સ્મૃતિ લોપ:- બધી મેમરી નો અસ્થાયી નુકસાન અને ગંભીર કિસ્સાઓમાં નવી યાદો બનાવવામાં મુશ્કેલી.
આઘાતજનક સ્મૃતિ લોપ - કાર ના અકસ્માતમાં માથામાં સખત ફટકો પડવાથી મેમરી લોસ થાય છે. વ્યકિત ચેતના અથવા કોમામાં ટૂંકા સમયસુધી જઈ શકે છે. સ્મૃતિ ભ્રમણા સામાન્ય રીતે અસ્થાયી હોય છે. પરંતુ તે સામાન્ય રીતે કેટલો સમય ચાલે છે તે તેના પર આધાર રાખે છે કે ઇજા કેટલી ગંભીર છે.
ઐતિહાસિક સ્મૃતિ લોપ - વ્યકિત ફક્ત તેમના ભૂતકાળને જ નહીં, પણ તેમની ઓળખને પણ ભૂલી શકે છે. તેઓ જાણતા નથી કે તેઓ કોણ છે. ભલે તેઓ અરીસામાં જુએ,પણ તેઓ પોતાનું પ્રતિબિંબ ઓળખતા નથી. ડ્રાઈવિંગ લાઈસન્સ, ક્રેડીટ કાર્ડ અથવા આઇ ડી કાર્ડ અર્થહીન લાગે તે સામાન્ય રીતે કોઈ ઘટના દ્વારા ઉશ્કેરવામાં આવે છે કે જેનું મન યોગ્ય રીતે સામનો કરવામાં અસમર્થ છે. યાદ રાખવાની ક્ષમતા સામાન્ય રીતે કાં તો ધીમે ધીમે અથવા થોડા દિવસો માં અચાનક પાછી આવે છે. પરંતુ આઘાતજનક ઘટનાની યાદશક્તિ ક્યારેય પૂરેપૂરી પાછી આવી શકતી નથી.
બાળપણની સ્મૃતિ ભ્રમણા:- ભાષા વિકાસની સમસ્યા અથવા મગજના કેટલાક મેમરી વિસ્તારો જે બાળપણ દરમિયાન સંપૂર્ણ પરિપક્વ ન થતાં તે પ્રારંભિક બાળપણની ઘટનાઓને અને યાદોને નુકશાન કરે છે.
સ્મૃતિલોપનાં મુખ્ય લક્ષણો
- એન્ટ્રોગ્રેટ સ્મૃતિમાં નવી માહિતી શીખવાની ક્ષમતા નબળી પડી જાય છે.
- ભૂતકાળની ઘટનાઓ અને અગાઉની પરિચિત માહિતીને યાદ રાખવાની ક્ષમતા નબળી થઈ જાય છે.
- અસંગઠિત હલનચલન અને કંપન ન્યુરોલોજીકલ સમસ્યાઓ
- વ્યકિત ચહેરા અથવા સ્થાનોને ઓળખવામાં અસમર્થ હોય શકે છે.
આ રહ્યા સ્મૃતિલોપ થવાના કારણો
મગજને અસર કરતી કોઈપણ બીમારી અથવા ઇજા મેમરીમાં દખલ કરી શકે છે. મેમરી ફંકસન એક સાથે મગજના ઘણા જુદા જુદા ભાગોને જોડે છે. મગજના માળખાને નુકસાન કે જે લીંબિક સિસ્ટમ બનાવે છે, જેમ કે, હિપ્પોકેમ્પાસ અને થેલેમસ, સ્મૃતિ ભ્રમણા તરફ દોરી શકે છે. લીંબીક સિસ્ટમ આપણી લાગણી અને યાદોને નિયંત્રિત કરે છે. ઉપરાંત સ્ટ્રોક,બેક્ટેરિયલ અથવા વાયરલ ચેપ અને સ્વયં પ્રતિરક્ષા પ્રતિક્રિયાને કારણે એન્સેફા લીટીસ અથવા મગજની બળતરાને કારણે પણ સ્મૃતિલોપ થઈ શકે છે. આ એક માનસિક રોગ છે. જે સ્મૃતિ ભ્રમણા, ડીસોસીએટિવ એમનેસિયા તરીકે પણ ઓળખાય છે.
સ્મૃતિલોપ માટે કેવી સારવાર થવી જોઈએ
મોટાભાગના કિસ્સાઓમાં સ્મૃતિ લોપ સારવાર વિના પોતાનું નિરાકરણ લાવી શકે છે. શારીરિક - માનસિક વિકાર હાજર હોય તો સારવાર જરૂરી હોય શકે છે. પારિવારિક સહાય નિર્ણાયક છે. ફોટોગ્રાફ્સ, અને સંગીત મદદ કરી શકે છે.સારવારમાં ઘણી ટેક્નિક અને વ્યૂહરચના શામેલ હોય છે. જે મેમરીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. ખોવાયેલી યાદોને બદલવા માટે નવી માહિતી મેળવવા માટે અથવા નવી માહિતી પ્રાપ્ત કરવાના આધાર તરીકે હાલની યાદો નો ઉપયોગ કરવા માટે મનોચિકિત્સક સાથે વાત કરવી જરૂરી છે. અને માહિતીને સંગઠિત કે સંગ્રહિત કરવા વ્યૂહરચના શીખવી, સ્માર્ટ ફોન જેવા ડિજિટલ એડ્સનો ઉપયોગ, દર્દીઓને મહત્વપૂર્ણ ઇવેન્ટ વિશે યાદ અપાવવા માટે, ક્યારેક દવાઓ પણ અસરકારક રહે છે.
સ્મૃતિલોપથી બચવા માટે આટલું ખાસ કરો
સ્મૃતિલોપથી બચવા માટે ખાસ દારૂ અથવા ડ્રગ્સની આદતથી બચવું જોઈએ. તેમજ મોટર સાયકલ અને સ્કુટર ચલાવતી વખતે હેલ્મેટ અને જોખમવાળી રમતો રમતી વખતે સાવધાની રાખવી જોઈએ. અને સૌથી મહત્વનું માનસિક રૂપથી સક્રિય રહેવાની કોશિશ પણ કરવી જોઈએ. જેના માટે નવી નવી જગ્યા પર ફરવા જાઓ, નવા પુસ્તકો વાંચો, અને મગજને કસરત થાય તેવી ગેમ્સ રમો. સાથે જ ફળ, શાકભાજી, અનાજ અને પ્રોટીનવાળું ભોજન લેવાથી પણ સ્મૃતિલોપથી બચી શકાતું હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.
Watchgujarat. કોરોના મહામારીમાં ભયાનક ભય-ચિંતાને કારણે અબાલવૃદ્ધ સૌની સ્મૃતિ પર અસર થઇ છે. 11 વર્ષના બાળકથી લઈ વૃદ્ધ સુધીના દરેકમાં વત્તાઓછા અંશે સ્મૃતિ પર અસર જોવા મળી. આ મહત્ત્વના મુદ્દે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની કામ્બરીયા ક્રિષ્નાએ ભવન અધ્યક્ષ ડો.યોગેશ જોગસણનાં માર્ગદર્શનમાં 1720 લોકો પર સર્વેક્ષણ કર્યું હતું. 450 વૃદ્ધ, 450 પ્રૌઢ, 481 યુવાનો, 109 તરુણો અને 11 થી 14 વર્ષ સુધીના 230 બાળકોને મળી તારણો કાઢવામાં આવ્યા છે. જેમાં 35.10% વૃદ્ધોમાં કોરોના પછી યાદશક્તિની ખામી જોવા મળી છે. તો 26.10% પ્રૌઢમાં સ્મૃતિ હવે પહેલા કરતા ઓછી થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ 16.20% યુવાનોમાં સ્મૃતિને લઈને સમસ્યા, 9% તરુણોમાં સ્મૃતિલોપ અને 18% બાળકોમાં પણ યાદશક્તિ રહી નહીં હોવાનું ચોંકાવનારું તથ્ય સામે આવ્યું છે. જેમાં મહિલાઓની સરખામણીએ પુરુષોમાં વધુ અસર જોવા મળી છે. એટલું જ નહીં દોઢ વર્ષમાં બાળકો લખતા-વાંચતા ભુલી ગયા હોવાનું આ સર્વેમાં જોવા મળ્યું છે.
જાણો શુ છે સ્મૃતિલોપ એટલે કે Amnesia
સ્મૃતિલોપ મનને આઘાત લાગવાથી કે સતત ભયથી આવી શકે છે. ભયાનક ભય સ્મૃતિ પર અસર કરી શકે છે. સ્મૃતિલોપ તેને કહેવામાં આવે છે કે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સ્મૃતિમાં સંગ્રહિત જાણકારીને યાદ કરી શકતો નથી. આ ફિલ્મો - પુસ્તકો માટે એક લોકપ્રિય વિષય છે. પરંતુ વાસ્તવમાં બહુ દુર્લભ છે. થોડુ ભુલકકડ હોવું અથવા અમુક વાતોને ભૂલી જવી એ સામાન્ય વાત છે. પણ બિમારી યાદો અને સ્મૃતિને ખુબ જ નુકસાન પહોંચાડે છે. તેમાં વ્યકિતની જિંદગીની મહત્વપૂર્ણ વાતો, યાદગાર ઘટનાઓ અને ખાસ વ્યકિત (મિત્ર અને સગાસંબંધીઓ)નો સમાવેશ થાય છે.
સ્મૃતિલોપથી પીડિત લોકો માટે પોતાના અતીતને યાદ કરવા, નવી જાણકારી ભેગી કરવી અને ભવિષ્યની કલ્પના કરવી મુશ્કેલ હોય છે. એનું મુખ્ય કારણ છે કે, આપણે પાછલા અનુભવોની યાદોનાં આધાર ઉપર જ ભવિષ્યની યાદોનું નિર્માણ કરતાં હોઈએ છીએ. સ્મૃતિ ભ્રંશ એ નવી યાદોને મૂકવા જૂની યાદોને યાદ કરવાનો અથવા બંનેની અક્ષમતા છે. સ્મૃતિ ભ્રમણાના અન્ય લક્ષણોમાં મુંઝવણ અને અસહિષ્ણુ હલનચલન શામેલ હોય શકે છે. દારૂના દુરુપયોગથી એક પ્રકારનું સ્મૃતિ લોપ થઈ શકે છે. જેને વરનીક - કોરસકોફના મનોરોગ તરીકે ઓળખવામાં આવે છે. મગજની ઇજા સહિતની ઘણી બાબતે સ્મૃતિલોપ થઈ શકે છે.
જાણો સ્મૃતિલોપનાં મુખ્ય પ્રકારો
રિસ્ટરોગ્રેટ એમનેસીઆ - આ પ્રકારમાં રોગી પોતાની જૂની યાદોને યાદ કરવામાં અસમર્થ રહે છે. જેમ કે, આપણી બાળપણની યાદો. આ પ્રકારના સ્મૃતિ લોપ માં વ્યકિત શીખેલી અથવા યાદ કરેલી સૂચનાઓને જરૂરત પ્રમાણે યાદ કરી શકતો નથી. આવું લગભગ માથાના કેટલાક ભાગમાં આઘાત અથવા મસ્તિષ્કમાં ક્ષતિને કારણે થાય છે.
એન્ટ્રોગ્રેટ એમનેસીઆ - આમાં વ્યકિત નવી જાણકારી યાદ કરી શકતો નથી. ભૂલવાની આ બીમારી પણ ઘણી વાર મસ્તિષ્ક માં ક્ષતિ થવાને કારણે થાય છે. જેમ કે, લાંબા સમય સુધી આલ્કોહોલ નું સેવન, ગંભીર કુપોષણ, સ્ટ્રોક, માથામાં લાગવું, ઇન્સેફ્લાઈ ટીસ, સર્જરી વગેરે.
પોસ્ટ ટ્રુમેટિક એમનેસીઆ - આ બીમારી માથા પર લાગવાથી થતી હોય છે. ઉ.દા. માથા પર કઈક ભારી વજન પડવાથી અથવા એક્સિડન્ટ ના કારણે. આ લગભગ થોડાક સમય સુધી જ થાય છે. ભૂલવાની આ બીમારી નો સમયગાળો લાગવાની ગંભીરતા ઉપર નિર્ભર હોય છે.
વેરનીક કોરસાકોફ સિન્ડ્રોમ - આ બીમારી લાંબા સમય સુધી દારૂ પીવાથી થાય છે. જે લોકો આલ્કોહોલ લાંબા સમય સુધી પીતા રહે છે તેનામાં વિટામિન બી-૧ ની કમી આવી જાય છે. અને જેનાથી ધીરે ધીરે સ્મૃતિ લોપ થવા લાગે છે.
પૂર્વગ્રહ સ્મૃતિ લોપ - કેટલીક રીતે એન્ટરોગ્રેટ એમનેસિયાની વિરુદ્ધ વ્યકિત તેમના આઘાત પહેલા બનેલી ઘટનાઓને યાદ રાખી શકતી નથી. પરંતુ તે યાદ કરે છે તેના પછી શું થયું છે.
વૈશ્વિક સ્મૃતિ લોપ:- બધી મેમરી નો અસ્થાયી નુકસાન અને ગંભીર કિસ્સાઓમાં નવી યાદો બનાવવામાં મુશ્કેલી.
આઘાતજનક સ્મૃતિ લોપ - કાર ના અકસ્માતમાં માથામાં સખત ફટકો પડવાથી મેમરી લોસ થાય છે. વ્યકિત ચેતના અથવા કોમામાં ટૂંકા સમયસુધી જઈ શકે છે. સ્મૃતિ ભ્રમણા સામાન્ય રીતે અસ્થાયી હોય છે. પરંતુ તે સામાન્ય રીતે કેટલો સમય ચાલે છે તે તેના પર આધાર રાખે છે કે ઇજા કેટલી ગંભીર છે.
ઐતિહાસિક સ્મૃતિ લોપ - વ્યકિત ફક્ત તેમના ભૂતકાળને જ નહીં, પણ તેમની ઓળખને પણ ભૂલી શકે છે. તેઓ જાણતા નથી કે તેઓ કોણ છે. ભલે તેઓ અરીસામાં જુએ,પણ તેઓ પોતાનું પ્રતિબિંબ ઓળખતા નથી. ડ્રાઈવિંગ લાઈસન્સ, ક્રેડીટ કાર્ડ અથવા આઇ ડી કાર્ડ અર્થહીન લાગે તે સામાન્ય રીતે કોઈ ઘટના દ્વારા ઉશ્કેરવામાં આવે છે કે જેનું મન યોગ્ય રીતે સામનો કરવામાં અસમર્થ છે. યાદ રાખવાની ક્ષમતા સામાન્ય રીતે કાં તો ધીમે ધીમે અથવા થોડા દિવસો માં અચાનક પાછી આવે છે. પરંતુ આઘાતજનક ઘટનાની યાદશક્તિ ક્યારેય પૂરેપૂરી પાછી આવી શકતી નથી.
બાળપણની સ્મૃતિ ભ્રમણા:- ભાષા વિકાસની સમસ્યા અથવા મગજના કેટલાક મેમરી વિસ્તારો જે બાળપણ દરમિયાન સંપૂર્ણ પરિપક્વ ન થતાં તે પ્રારંભિક બાળપણની ઘટનાઓને અને યાદોને નુકશાન કરે છે.
સ્મૃતિલોપનાં મુખ્ય લક્ષણો
- એન્ટ્રોગ્રેટ સ્મૃતિમાં નવી માહિતી શીખવાની ક્ષમતા નબળી પડી જાય છે.
- ભૂતકાળની ઘટનાઓ અને અગાઉની પરિચિત માહિતીને યાદ રાખવાની ક્ષમતા નબળી થઈ જાય છે.
- અસંગઠિત હલનચલન અને કંપન ન્યુરોલોજીકલ સમસ્યાઓ
- વ્યકિત ચહેરા અથવા સ્થાનોને ઓળખવામાં અસમર્થ હોય શકે છે.
આ રહ્યા સ્મૃતિલોપ થવાના કારણો
મગજને અસર કરતી કોઈપણ બીમારી અથવા ઇજા મેમરીમાં દખલ કરી શકે છે. મેમરી ફંકસન એક સાથે મગજના ઘણા જુદા જુદા ભાગોને જોડે છે. મગજના માળખાને નુકસાન કે જે લીંબિક સિસ્ટમ બનાવે છે, જેમ કે, હિપ્પોકેમ્પાસ અને થેલેમસ, સ્મૃતિ ભ્રમણા તરફ દોરી શકે છે. લીંબીક સિસ્ટમ આપણી લાગણી અને યાદોને નિયંત્રિત કરે છે. ઉપરાંત સ્ટ્રોક,બેક્ટેરિયલ અથવા વાયરલ ચેપ અને સ્વયં પ્રતિરક્ષા પ્રતિક્રિયાને કારણે એન્સેફા લીટીસ અથવા મગજની બળતરાને કારણે પણ સ્મૃતિલોપ થઈ શકે છે. આ એક માનસિક રોગ છે. જે સ્મૃતિ ભ્રમણા, ડીસોસીએટિવ એમનેસિયા તરીકે પણ ઓળખાય છે.
સ્મૃતિલોપ માટે કેવી સારવાર થવી જોઈએ
મોટાભાગના કિસ્સાઓમાં સ્મૃતિ લોપ સારવાર વિના પોતાનું નિરાકરણ લાવી શકે છે. શારીરિક - માનસિક વિકાર હાજર હોય તો સારવાર જરૂરી હોય શકે છે. પારિવારિક સહાય નિર્ણાયક છે. ફોટોગ્રાફ્સ, અને સંગીત મદદ કરી શકે છે.સારવારમાં ઘણી ટેક્નિક અને વ્યૂહરચના શામેલ હોય છે. જે મેમરીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. ખોવાયેલી યાદોને બદલવા માટે નવી માહિતી મેળવવા માટે અથવા નવી માહિતી પ્રાપ્ત કરવાના આધાર તરીકે હાલની યાદો નો ઉપયોગ કરવા માટે મનોચિકિત્સક સાથે વાત કરવી જરૂરી છે. અને માહિતીને સંગઠિત કે સંગ્રહિત કરવા વ્યૂહરચના શીખવી, સ્માર્ટ ફોન જેવા ડિજિટલ એડ્સનો ઉપયોગ, દર્દીઓને મહત્વપૂર્ણ ઇવેન્ટ વિશે યાદ અપાવવા માટે, ક્યારેક દવાઓ પણ અસરકારક રહે છે.
સ્મૃતિલોપથી બચવા માટે આટલું ખાસ કરો
સ્મૃતિલોપથી બચવા માટે ખાસ દારૂ અથવા ડ્રગ્સની આદતથી બચવું જોઈએ. તેમજ મોટર સાયકલ અને સ્કુટર ચલાવતી વખતે હેલ્મેટ અને જોખમવાળી રમતો રમતી વખતે સાવધાની રાખવી જોઈએ. અને સૌથી મહત્વનું માનસિક રૂપથી સક્રિય રહેવાની કોશિશ પણ કરવી જોઈએ. જેના માટે નવી નવી જગ્યા પર ફરવા જાઓ, નવા પુસ્તકો વાંચો, અને મગજને કસરત થાય તેવી ગેમ્સ રમો. સાથે જ ફળ, શાકભાજી, અનાજ અને પ્રોટીનવાળું ભોજન લેવાથી પણ સ્મૃતિલોપથી બચી શકાતું હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.