શહેરમાં મોટા ભાગના દર્દીઓ માટે ઓક્સિજન અનિવાર્ય છે.
ઓક્સિજન કંપનીઓએ તો નફાખોરી શરૂ કરી બાટલાનાં ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દીધો
રૂા.160-170માં મળતા સીલીન્ડરના ભાવ રૂા.285 થઈ ગયા
WatchGujarat. કોરોના મહામારીને લઈને પોઝીટીવ કેસની સંખ્યા સતત વધી રહી છે. જેમાં પણ મોટા ભાગના દર્દીઓ માટે ઓક્સિજન અનિવાર્ય હોય છે. ત્યારે આ મહામારીનાં સમયમાં મદદ કરવી તો દૂર પરંતુ ઓક્સિજન કંપનીઓએ તો નફાખોરી શરૂ કરી બાટલાનાં ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. અને રૂા.160-170માં મળતા સીલીન્ડરના ભાવ રૂા.285 થઈ ગયા છે. એટલું જ નહીં આ નફાખોરી રોકવાની જેની જવાબદારી છે તે સરકાર પણ જીએસટી છોડવા તૈયાર નહીં હોવાથી લોકો પોતાના સ્વજનોને બચાવવા મોઢે માંગી કિંમતો ચૂકવવા મજબૂર બન્યા છે. ત્યારે શહેરનાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા સધ્ધર લોકોને આ માટે મદદ કરવાની અપીલ કરવામાં આવી છે.
રાજકોટ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણની વિકટ પરિસ્થિતિને પગલે ઓક્સિજનની માંગ પણ વધી ગઈ છે. જેને જોતા ઓક્સિજન સપ્લાય કરતી કંપનીઓએ સિલિન્ડરની કિંમતમાં વધારો ઝીંક્યો છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની કમીના સમાચારો મળી રહ્યાં છે. અગાઉ જે સિલિન્ડરની કિંમત 160 થી 170 રૂપિયા હતી, તે વધારીને કંપનીઓએ 285 રૂપિયા કરી નાખી છે. આ કિંમત ઉપર પણ જીએસટી પણ ચૂકવવો પડતા એક ઓક્સિજન સિલિન્ડર હાલ 316 રૂપિયામાં પડે છે.
શહેરનાં સુપ્રસિદ્ધ બોલબાલા ટ્રસ્ટનાં પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયનાં જણાવ્યા મુજબ, કોરોનાની મહામારીને લઈને હાલમાં ઓક્સિજનની ખપત ખૂબ વધી ગઈ છે. અગાઉ રોજ 60 જેટલા સિલિન્ડરની જરૂરિયાત રહેતી હતી. જે હવે 300-400 સુધી પહોંચી ચુકી છે. સાથે જ ઓક્સિજનનાં ભાવોમાં પણ તોતિંગ વધારો થયો છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો એકાદ સપ્તાહમાં જ અમારે સિલિન્ડર માટે ના પાડવી પડે તેવી શક્યતા છે. ત્યારે દાતાઓ આગળ આવી સેવાભાવી સંસ્થાને આ માટે મદદરૂપ બને તેવી અપીલ તેમણે કરી છે.
શહેરમાં મોટા ભાગના દર્દીઓ માટે ઓક્સિજન અનિવાર્ય છે.
ઓક્સિજન કંપનીઓએ તો નફાખોરી શરૂ કરી બાટલાનાં ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દીધો
રૂા.160-170માં મળતા સીલીન્ડરના ભાવ રૂા.285 થઈ ગયા
WatchGujarat. કોરોના મહામારીને લઈને પોઝીટીવ કેસની સંખ્યા સતત વધી રહી છે. જેમાં પણ મોટા ભાગના દર્દીઓ માટે ઓક્સિજન અનિવાર્ય હોય છે. ત્યારે આ મહામારીનાં સમયમાં મદદ કરવી તો દૂર પરંતુ ઓક્સિજન કંપનીઓએ તો નફાખોરી શરૂ કરી બાટલાનાં ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. અને રૂા.160-170માં મળતા સીલીન્ડરના ભાવ રૂા.285 થઈ ગયા છે. એટલું જ નહીં આ નફાખોરી રોકવાની જેની જવાબદારી છે તે સરકાર પણ જીએસટી છોડવા તૈયાર નહીં હોવાથી લોકો પોતાના સ્વજનોને બચાવવા મોઢે માંગી કિંમતો ચૂકવવા મજબૂર બન્યા છે. ત્યારે શહેરનાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા સધ્ધર લોકોને આ માટે મદદ કરવાની અપીલ કરવામાં આવી છે.
રાજકોટ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણની વિકટ પરિસ્થિતિને પગલે ઓક્સિજનની માંગ પણ વધી ગઈ છે. જેને જોતા ઓક્સિજન સપ્લાય કરતી કંપનીઓએ સિલિન્ડરની કિંમતમાં વધારો ઝીંક્યો છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની કમીના સમાચારો મળી રહ્યાં છે. અગાઉ જે સિલિન્ડરની કિંમત 160 થી 170 રૂપિયા હતી, તે વધારીને કંપનીઓએ 285 રૂપિયા કરી નાખી છે. આ કિંમત ઉપર પણ જીએસટી પણ ચૂકવવો પડતા એક ઓક્સિજન સિલિન્ડર હાલ 316 રૂપિયામાં પડે છે.
શહેરનાં સુપ્રસિદ્ધ બોલબાલા ટ્રસ્ટનાં પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયનાં જણાવ્યા મુજબ, કોરોનાની મહામારીને લઈને હાલમાં ઓક્સિજનની ખપત ખૂબ વધી ગઈ છે. અગાઉ રોજ 60 જેટલા સિલિન્ડરની જરૂરિયાત રહેતી હતી. જે હવે 300-400 સુધી પહોંચી ચુકી છે. સાથે જ ઓક્સિજનનાં ભાવોમાં પણ તોતિંગ વધારો થયો છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો એકાદ સપ્તાહમાં જ અમારે સિલિન્ડર માટે ના પાડવી પડે તેવી શક્યતા છે. ત્યારે દાતાઓ આગળ આવી સેવાભાવી સંસ્થાને આ માટે મદદરૂપ બને તેવી અપીલ તેમણે કરી છે.