કોઈપણ વ્યક્તિ પોતાની લાગણીઓને સાચા અર્થમાં વ્યક્ત નહીં કરતા અન્યોની ઈચ્છા મુજબ ભાવ વ્યક્ત કરવા પડે ત્યારે તેને ઈમોશનલ લેબર કહેવાય
ઘર કે કામ કરવાનું સ્થળ ઇમોશનલ લેબરના કિસ્સાઓમાં વધારો નોંધાયો
દરેક વખતે અન્યો શું વિચારશે કે અન્યોને શું લાગશે તેવું વિચારી પોતાના આવેગો અને વિચારોને દમિત કરી દેવાથી સામેની વ્યક્તિને પણ એ વાતની આદત પડી જશે
Watchgujarat. વ્યક્તિનાં જીવનમાં ઘણી બાબતો એવી હોય છે, જેમાં તેને કરવું હોય છે કઈક અલગ અને સમય, સંજોગ, પરિસ્થિતિ ને કારણે તેને કઈક અલગ કરવું પડે છે. જેને ઈમોશનલ લેબર તરીકે ઓળખાય છે. આ ઈમોશનલ લેબર વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી અને ડો.ધારા આર.દોશીએ જણાવ્યું હતું કે, પોતાના અસલ આવેગોને છુપાવી ખોટા ભાવ વ્યક્ત કરવા એટલે ઈમોશનલ લેબર. જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાની લાગણીઓને સાચા અર્થમાં વ્યક્ત નહીં કરતા અન્યોની ઈચ્છા મુજબ ભાવ વ્યક્ત કરવા પડે ત્યારે તેને ઈમોશનલ લેબર કહેવામાં આવે છે. હાલના સમયે ઈમોશનલ લેબર નું પ્રમાણ વધ્યું છે. તેની પાછળ ઘણાં કારણો જવાબદાર છે. જેમકે સતત ઘરમાં રહેવાનું હોવાથી, બેરોજગારીનું વધતું પ્રમાણ, વધતું સામાજિક અંતર, વધતી જતી અપેક્ષાઓ પણ આ માટે કારણ બની છે.
ઘરમાં ઈમોશનલ લેબર
બાળકોને આજે જ્યારે સતત ઘરમાં રહેવાનું થયું છે. ઘરે રહીને જ ઓનલાઇન અભ્યાસ કરવાનો હોય છે. ત્યારે બાળકો જે સમય પોતાના સમવયસ્કો સાથે પસાર કરતા હતા. અને પોતાના બાળપણને જીવતા હતા. તેની બદલે સતત ઘરમાં રહેવાનું થયું છે ત્યારે ક્યાંક ને ક્યાંક બાળકો પણ ઈમોશનલ લેબરનો ભોગ બન્યા છે. ઘરમાં તેઓને સતત પોતાના વડીલોના મત મુજબ વર્તન અને પ્રતિક્રિયાઓ કરવી પડતી હોય છે. જેને કારણે તેઓ પોતાના આવેગો કે લાગણીઓને વ્યક્ત કરી નથી શકતા અને અન્યોની ઈચ્છા મુજબ વર્તન કરવું પડતું હોય છે.
કિસ્સો
એક 22 વર્ષના યુવાનની સગાઈ થઈ પરંતુ થનાર પત્ની તરફ કોઈ ઝુકાવ કે આકર્ષણનો તદ્દન અભાવ છે. બન્ને સાથે વાત કરતા જણાયું કે એ બન્ને ને એકબીજા સાથે સગાઈ કરવી જ નહોતી પરંતુ ઘરના લોકોના દબાણથી અને લાગણીમાં આવી આ સગાઈ કરી રહ્યા હતા.
કાર્યના સ્થળે ઇમોશનલ લેબર
હાલના સમયે જ્યારે ઘણી જગ્યાએ બેરોજગારીના પ્રશ્નો જોવા મળે છે. અથવા અડધા પગારમાં કાર્ય કરવાની ફરજ ક્યારેક પડતી હોય તેવું જોવા મળે છે. આવા સમયે ઈમોશનલ લેબરની સમસ્યા પણ વધી છે. દરેકને પોતાની નોકરી બચાવવા માટે પોતાના ઉપરી કે સિનિયરની હા માં હા મેળવવી પડે છે. પોતાની નોકરી બચાવવા માટે પોતાના આવેગોને છુપાવી રાખવાની ફરજ પડે છે. ઉપરાંત ઘણી વખત ઉપરીને ખુશ રાખવા માટે પરાણે અને ખોટા આવેગો વ્યક્ત કરવા પડે છે. આ સમયે નોકરી ટકાવી રાખવી સહુથી અઘરી હોય વ્યક્તિ ક્યાંક ઇમોશનલ લેબરનો ભોગ બને છે.
કિસ્સો
એક બહેન જે એક ફાર્મા કંપનીમાં નોકરી કરતા જ્યાં સતત તેમના સિનિયરો દ્વારા કામનું દબાણ અને ટાર્ગેટ પૂર્ણ કરવાનું દબાણ રહેતું. જેથી તે સતત તણાવમાં રહેતા હતા. છતાં નોકરી કરવી તેમની મજબૂરી હતી કારણકે પતિની આવકથી ઘર વ્યવસ્થિત ચલાવવામાં મુશ્કેલી થાય તેમ હતી. આમ જરૂરિયાત હોવાથી તેઓ ઇમોશનલ લેબરનો ભોગ બન્યા હતા.
જ્યારે કોઈ વ્યક્તિ પોતાના આવેગો કે લાગણીઓને પોતાના મૂળ સ્વરૂપમાં વ્યક્ત નથી કરી શકતો ત્યારે એ આવેગો અંદર ને અંદર પડી રહે છે. પરિણામે " શું કરવું છે. " અને " શું કરવું પડશે " વચ્ચે વ્યક્તિનું અસલ વ્યક્તિત્વ ક્યાંક ખોવાઈ જાય છે. જેના પરિણામે આ વ્યક્તિ પોતાના આવેગો- વિચારોને બહાર કાઢી શકતા નહીં હોવાથી સતત તણાવ નો અનુભવ કરે છે. જેની નિષેધક અસર તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. આ સિવાય તેની વર્તણૂકમાં પણ પરિવર્તન જોવા મળે છે. સ્વભાવ ચીડિયો બને છે અને નાની નાની વાતમાં ગુસ્સે થવાની ટેવ પડે છે.
દરેક વખતે અન્યો શું વિચારશે કે અન્યોને શું લાગશે તેવું વિચારી પોતાના આવેગો અને વિચારોને દમિત કરી દેવાથી સામેની વ્યક્તિને પણ એ વાતની આદત પડી જશે કે તમે હંમેશા સમજી જશો કે સંભાળી લેશો. પરંતુ ક્યારેક એવું ન બનતા સબંધોમાં સંઘર્ષ ઊભો થાય છે. આથી ક્યારેક પોતાનો મત કે પક્ષ અન્યની સમક્ષ રાખવો જરૂરી છે. ક્યારેક શું અનુભવ થાય છે એ વ્યક્ત કરવો આવશ્યક બને છે. જેથી કોઈ સમસ્યા ન થાય. પોતાની વાતને કે લાગણીઓને અન્ય સમક્ષ એ રીતે વ્યક્ત કરવા જોઈએ જેથી સબંધો પણ સચવાય અને સાથે સાથે ઈમોશનલ લેબર જેવી પરિસ્થિતિ પણ ઉભી ન થાય.
કોઈપણ વ્યક્તિ પોતાની લાગણીઓને સાચા અર્થમાં વ્યક્ત નહીં કરતા અન્યોની ઈચ્છા મુજબ ભાવ વ્યક્ત કરવા પડે ત્યારે તેને ઈમોશનલ લેબર કહેવાય
ઘર કે કામ કરવાનું સ્થળ ઇમોશનલ લેબરના કિસ્સાઓમાં વધારો નોંધાયો
દરેક વખતે અન્યો શું વિચારશે કે અન્યોને શું લાગશે તેવું વિચારી પોતાના આવેગો અને વિચારોને દમિત કરી દેવાથી સામેની વ્યક્તિને પણ એ વાતની આદત પડી જશે
Watchgujarat. વ્યક્તિનાં જીવનમાં ઘણી બાબતો એવી હોય છે, જેમાં તેને કરવું હોય છે કઈક અલગ અને સમય, સંજોગ, પરિસ્થિતિ ને કારણે તેને કઈક અલગ કરવું પડે છે. જેને ઈમોશનલ લેબર તરીકે ઓળખાય છે. આ ઈમોશનલ લેબર વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી અને ડો.ધારા આર.દોશીએ જણાવ્યું હતું કે, પોતાના અસલ આવેગોને છુપાવી ખોટા ભાવ વ્યક્ત કરવા એટલે ઈમોશનલ લેબર. જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાની લાગણીઓને સાચા અર્થમાં વ્યક્ત નહીં કરતા અન્યોની ઈચ્છા મુજબ ભાવ વ્યક્ત કરવા પડે ત્યારે તેને ઈમોશનલ લેબર કહેવામાં આવે છે. હાલના સમયે ઈમોશનલ લેબર નું પ્રમાણ વધ્યું છે. તેની પાછળ ઘણાં કારણો જવાબદાર છે. જેમકે સતત ઘરમાં રહેવાનું હોવાથી, બેરોજગારીનું વધતું પ્રમાણ, વધતું સામાજિક અંતર, વધતી જતી અપેક્ષાઓ પણ આ માટે કારણ બની છે.
ઘરમાં ઈમોશનલ લેબર
બાળકોને આજે જ્યારે સતત ઘરમાં રહેવાનું થયું છે. ઘરે રહીને જ ઓનલાઇન અભ્યાસ કરવાનો હોય છે. ત્યારે બાળકો જે સમય પોતાના સમવયસ્કો સાથે પસાર કરતા હતા. અને પોતાના બાળપણને જીવતા હતા. તેની બદલે સતત ઘરમાં રહેવાનું થયું છે ત્યારે ક્યાંક ને ક્યાંક બાળકો પણ ઈમોશનલ લેબરનો ભોગ બન્યા છે. ઘરમાં તેઓને સતત પોતાના વડીલોના મત મુજબ વર્તન અને પ્રતિક્રિયાઓ કરવી પડતી હોય છે. જેને કારણે તેઓ પોતાના આવેગો કે લાગણીઓને વ્યક્ત કરી નથી શકતા અને અન્યોની ઈચ્છા મુજબ વર્તન કરવું પડતું હોય છે.
કિસ્સો
એક 22 વર્ષના યુવાનની સગાઈ થઈ પરંતુ થનાર પત્ની તરફ કોઈ ઝુકાવ કે આકર્ષણનો તદ્દન અભાવ છે. બન્ને સાથે વાત કરતા જણાયું કે એ બન્ને ને એકબીજા સાથે સગાઈ કરવી જ નહોતી પરંતુ ઘરના લોકોના દબાણથી અને લાગણીમાં આવી આ સગાઈ કરી રહ્યા હતા.
કાર્યના સ્થળે ઇમોશનલ લેબર
હાલના સમયે જ્યારે ઘણી જગ્યાએ બેરોજગારીના પ્રશ્નો જોવા મળે છે. અથવા અડધા પગારમાં કાર્ય કરવાની ફરજ ક્યારેક પડતી હોય તેવું જોવા મળે છે. આવા સમયે ઈમોશનલ લેબરની સમસ્યા પણ વધી છે. દરેકને પોતાની નોકરી બચાવવા માટે પોતાના ઉપરી કે સિનિયરની હા માં હા મેળવવી પડે છે. પોતાની નોકરી બચાવવા માટે પોતાના આવેગોને છુપાવી રાખવાની ફરજ પડે છે. ઉપરાંત ઘણી વખત ઉપરીને ખુશ રાખવા માટે પરાણે અને ખોટા આવેગો વ્યક્ત કરવા પડે છે. આ સમયે નોકરી ટકાવી રાખવી સહુથી અઘરી હોય વ્યક્તિ ક્યાંક ઇમોશનલ લેબરનો ભોગ બને છે.
કિસ્સો
એક બહેન જે એક ફાર્મા કંપનીમાં નોકરી કરતા જ્યાં સતત તેમના સિનિયરો દ્વારા કામનું દબાણ અને ટાર્ગેટ પૂર્ણ કરવાનું દબાણ રહેતું. જેથી તે સતત તણાવમાં રહેતા હતા. છતાં નોકરી કરવી તેમની મજબૂરી હતી કારણકે પતિની આવકથી ઘર વ્યવસ્થિત ચલાવવામાં મુશ્કેલી થાય તેમ હતી. આમ જરૂરિયાત હોવાથી તેઓ ઇમોશનલ લેબરનો ભોગ બન્યા હતા.
જ્યારે કોઈ વ્યક્તિ પોતાના આવેગો કે લાગણીઓને પોતાના મૂળ સ્વરૂપમાં વ્યક્ત નથી કરી શકતો ત્યારે એ આવેગો અંદર ને અંદર પડી રહે છે. પરિણામે " શું કરવું છે. " અને " શું કરવું પડશે " વચ્ચે વ્યક્તિનું અસલ વ્યક્તિત્વ ક્યાંક ખોવાઈ જાય છે. જેના પરિણામે આ વ્યક્તિ પોતાના આવેગો- વિચારોને બહાર કાઢી શકતા નહીં હોવાથી સતત તણાવ નો અનુભવ કરે છે. જેની નિષેધક અસર તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. આ સિવાય તેની વર્તણૂકમાં પણ પરિવર્તન જોવા મળે છે. સ્વભાવ ચીડિયો બને છે અને નાની નાની વાતમાં ગુસ્સે થવાની ટેવ પડે છે.
દરેક વખતે અન્યો શું વિચારશે કે અન્યોને શું લાગશે તેવું વિચારી પોતાના આવેગો અને વિચારોને દમિત કરી દેવાથી સામેની વ્યક્તિને પણ એ વાતની આદત પડી જશે કે તમે હંમેશા સમજી જશો કે સંભાળી લેશો. પરંતુ ક્યારેક એવું ન બનતા સબંધોમાં સંઘર્ષ ઊભો થાય છે. આથી ક્યારેક પોતાનો મત કે પક્ષ અન્યની સમક્ષ રાખવો જરૂરી છે. ક્યારેક શું અનુભવ થાય છે એ વ્યક્ત કરવો આવશ્યક બને છે. જેથી કોઈ સમસ્યા ન થાય. પોતાની વાતને કે લાગણીઓને અન્ય સમક્ષ એ રીતે વ્યક્ત કરવા જોઈએ જેથી સબંધો પણ સચવાય અને સાથે સાથે ઈમોશનલ લેબર જેવી પરિસ્થિતિ પણ ઉભી ન થાય.