WatchGujarat. કોરોનાથી બચવા બ્રહ્માસ્ત્ર એટલે વેકસિન છે. જોકે હજુ વેકસિન વિશે ઘણા લોકોમાં ખોટો ભય અને ચિંતા રહેલ જોવા મળે છે. મનોવિજ્ઞાન ભવનનાં અધ્યક્ષ ડો.યોગેશ એ. જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર. દોશી દ્વારા ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વેકસિન લેવા માટે સમજાવવામાં આવતા મોટાભાગના લોકોએ કોઈ ભગવાનની માનતા, શ્રીફળ, લાપસી સહિતની માનતા રાખ્યાનું કહ્યું હતું. જેના પરથી એ લોકોએ કહ્યું કે હવે જો અમે વેકસિન લઈએ તો ભગવાન કોપાયમાન થાય અને કંઈક ગુસ્સો કરી બેસે તો કંઈક અપશુકન થશે. આવા વેકસીનના ભયના લક્ષણો અને ભગવાનના ભયના લક્ષણોને મનોવિજ્ઞાનમાં વેકસીનોફોબિયા અને ઝયૂસોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે.
મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો વેક્સિનેશન જાગૃતિમાં ગામડે ગામડે લોકોને મળેલ ત્યારે ગામડાના 80.10% લોકોને વેકસીનોફોબિયા જોવા મળ્યો જયારે શહેરના 36% લોકોમાં વેકસીનોફોબિયા જોવા મળ્યો. ટોટલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 2700 થી વઘુ લોકોને આધારે છેલ્લા 3 મહિનાના ઓબ્ઝર્વેશનને આધારે આ પરિણામ સામે આવ્યું છે.
જાણો શુ છે વેકસીનોફોબિયા?
વેક્સિનોફોબિયા એ રસીનો અતાર્કિક ભય છે. આ સ્થિતિથી પીડિત કોઈ વ્યક્તિ ફક્ત રસીના વિચારથી ખૂબ જ ચિંતા અને અસ્વસ્થતાનો અનુભવ કરે છે. તેમની અસ્વસ્થતા એટલી તીવ્ર હોઈ શકે છે કે તે તેના પરિણામે તેને ચિંતા, ડિપ્રેશન અને તણાવનો હુમલો આવી શકે છે. હાલના સમયમાં કોરોના વેકસિન વિશે આ જ પ્રકારની અતાર્કિક બીક અને તણાવ ઘણા વ્યક્તિઓમાં જોવા મળે છે. વેકસિનના ફાયદા વિશે સમજાવવા છતાં આ ભયથી પીડિત વ્યક્તિ ખોટા તણાવ ઉતપન્ન કરી નાખે છે. વેકસીનના નામથી જ ખૂબ ઘબરાઈ જાય છે અને પોતે તો વેકસિન નથી લેતા અને અન્યને પણ વેકસિન લેવાની ના પાડે છે.
વેક્સિનોફોબિયાનાં લક્ષણો
#રસીનો વિચાર કરતી વખતે ચિંતા
#ચિંતાનો સામનો કરવામાં અસમર્થ
#સ્નાયુઓમાં તણાવ, ધ્રુજારી અને શરીરે પરસેવો થવો
#ગભરામણ
# રસીની આડ અસરો વિશે અફવાઓ ફેલાવવી જેમ કે હાલના સમયમાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારોમાં અને ઘણા શહેરી વિસ્તારોમાં કોરોના વેકસીનની અફવાએ જોર પકડ્યું છે કે વેકસીનથી મૃત્યુ થાય, વેકસિનથી સ્ત્રીઓને ગર્ભ ન રહે, વેકસિનથી લાંબા ગાળે શરીરને ઘણું નુકસાન થાય આવી ભ્રામક માન્યતાઓથી ઘેરાયેલ હોય છે.
*ગ્રામ્ય વિસ્તારના 45% લોકોને અને શહેરી વિસ્તારના 27% લોકોને આ ઝયૂસોફોબિયા જોવા મળ્યો*
જાણો શુ છે ઝયૂસોફોબિયા?
ઝ્યુસોફોબિયાથી પીડિત વ્યક્તિ ભગવાન અથવા દેવતાઓથી ખૂબ ભય અનુભવે છે. ભગવાનનો ક્રોધ અત્યંત ભયાનક છે એવું માને છે અને ભગવાનની સજાથી ડરતો હોય છે અને જો ભગવાનનું ન માનીએ તો મરતી વખતે નરકમાં જાય છે. એવી માન્યતા રાખે છે. આ ભયથી પીડાતી વ્યક્તિ ભગવાનથી એટલો ડરે છે કે, બધા જ કામમાં ભગવાનનું નામ આગળ ધરી ભય ઓછો કરવા પ્રયત્ન કરે છે.
ઝયૂસોફોબિયાના લક્ષણો
#ભગવાનનો તીવ્ર ડર
#ભગવાનનો વિચાર કરતી વખતે ચિંતા
#નાલાયકતાની લાગણી
#ખૂબ જ દયાળુ
#દોષી અને શરમજનક
# કઈક ભગવાનનું કામ નહીં થાય તો ગુસ્સે થશે એવો ભય
કોરોના કાળમાં હાલ વેકસીનોફોબિયા-ઝયૂસોફોબિયા એકબીજા સાથે જોડાયા
ગામડાઓમાં આ બન્ને ભય એકબીજા સાથે જોડાયેલ છે. ત્યાં લોકોને એ ભય કે માનતા લીધી હોય અને પછી વેકસિન લઈએ તો હવે ભગવાન નો પ્રકોપ સહન કરવો પડે, બધું ભગવાન ભરોસે હોય એટલે વેકસિન લેવાનો કોઈ અર્થ નથી. ભગવાન પર ભરોસો રાખવાનો દુનિયા તેનાથી જ ચાલે છે. આમ વેકસીનનો ભય કુદરતના ભય સાથે ક્યાંક ને ક્યાંક જોડાઈ રહ્યો છે.
WatchGujarat. કોરોનાથી બચવા બ્રહ્માસ્ત્ર એટલે વેકસિન છે. જોકે હજુ વેકસિન વિશે ઘણા લોકોમાં ખોટો ભય અને ચિંતા રહેલ જોવા મળે છે. મનોવિજ્ઞાન ભવનનાં અધ્યક્ષ ડો.યોગેશ એ. જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર. દોશી દ્વારા ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વેકસિન લેવા માટે સમજાવવામાં આવતા મોટાભાગના લોકોએ કોઈ ભગવાનની માનતા, શ્રીફળ, લાપસી સહિતની માનતા રાખ્યાનું કહ્યું હતું. જેના પરથી એ લોકોએ કહ્યું કે હવે જો અમે વેકસિન લઈએ તો ભગવાન કોપાયમાન થાય અને કંઈક ગુસ્સો કરી બેસે તો કંઈક અપશુકન થશે. આવા વેકસીનના ભયના લક્ષણો અને ભગવાનના ભયના લક્ષણોને મનોવિજ્ઞાનમાં વેકસીનોફોબિયા અને ઝયૂસોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે.
મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો વેક્સિનેશન જાગૃતિમાં ગામડે ગામડે લોકોને મળેલ ત્યારે ગામડાના 80.10% લોકોને વેકસીનોફોબિયા જોવા મળ્યો જયારે શહેરના 36% લોકોમાં વેકસીનોફોબિયા જોવા મળ્યો. ટોટલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 2700 થી વઘુ લોકોને આધારે છેલ્લા 3 મહિનાના ઓબ્ઝર્વેશનને આધારે આ પરિણામ સામે આવ્યું છે.
જાણો શુ છે વેકસીનોફોબિયા?
વેક્સિનોફોબિયા એ રસીનો અતાર્કિક ભય છે. આ સ્થિતિથી પીડિત કોઈ વ્યક્તિ ફક્ત રસીના વિચારથી ખૂબ જ ચિંતા અને અસ્વસ્થતાનો અનુભવ કરે છે. તેમની અસ્વસ્થતા એટલી તીવ્ર હોઈ શકે છે કે તે તેના પરિણામે તેને ચિંતા, ડિપ્રેશન અને તણાવનો હુમલો આવી શકે છે. હાલના સમયમાં કોરોના વેકસિન વિશે આ જ પ્રકારની અતાર્કિક બીક અને તણાવ ઘણા વ્યક્તિઓમાં જોવા મળે છે. વેકસિનના ફાયદા વિશે સમજાવવા છતાં આ ભયથી પીડિત વ્યક્તિ ખોટા તણાવ ઉતપન્ન કરી નાખે છે. વેકસીનના નામથી જ ખૂબ ઘબરાઈ જાય છે અને પોતે તો વેકસિન નથી લેતા અને અન્યને પણ વેકસિન લેવાની ના પાડે છે.
વેક્સિનોફોબિયાનાં લક્ષણો
#રસીનો વિચાર કરતી વખતે ચિંતા
#ચિંતાનો સામનો કરવામાં અસમર્થ
#સ્નાયુઓમાં તણાવ, ધ્રુજારી અને શરીરે પરસેવો થવો
#ગભરામણ
# રસીની આડ અસરો વિશે અફવાઓ ફેલાવવી જેમ કે હાલના સમયમાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારોમાં અને ઘણા શહેરી વિસ્તારોમાં કોરોના વેકસીનની અફવાએ જોર પકડ્યું છે કે વેકસીનથી મૃત્યુ થાય, વેકસિનથી સ્ત્રીઓને ગર્ભ ન રહે, વેકસિનથી લાંબા ગાળે શરીરને ઘણું નુકસાન થાય આવી ભ્રામક માન્યતાઓથી ઘેરાયેલ હોય છે.
*ગ્રામ્ય વિસ્તારના 45% લોકોને અને શહેરી વિસ્તારના 27% લોકોને આ ઝયૂસોફોબિયા જોવા મળ્યો*
જાણો શુ છે ઝયૂસોફોબિયા?
ઝ્યુસોફોબિયાથી પીડિત વ્યક્તિ ભગવાન અથવા દેવતાઓથી ખૂબ ભય અનુભવે છે. ભગવાનનો ક્રોધ અત્યંત ભયાનક છે એવું માને છે અને ભગવાનની સજાથી ડરતો હોય છે અને જો ભગવાનનું ન માનીએ તો મરતી વખતે નરકમાં જાય છે. એવી માન્યતા રાખે છે. આ ભયથી પીડાતી વ્યક્તિ ભગવાનથી એટલો ડરે છે કે, બધા જ કામમાં ભગવાનનું નામ આગળ ધરી ભય ઓછો કરવા પ્રયત્ન કરે છે.
ઝયૂસોફોબિયાના લક્ષણો
#ભગવાનનો તીવ્ર ડર
#ભગવાનનો વિચાર કરતી વખતે ચિંતા
#નાલાયકતાની લાગણી
#ખૂબ જ દયાળુ
#દોષી અને શરમજનક
# કઈક ભગવાનનું કામ નહીં થાય તો ગુસ્સે થશે એવો ભય
કોરોના કાળમાં હાલ વેકસીનોફોબિયા-ઝયૂસોફોબિયા એકબીજા સાથે જોડાયા
ગામડાઓમાં આ બન્ને ભય એકબીજા સાથે જોડાયેલ છે. ત્યાં લોકોને એ ભય કે માનતા લીધી હોય અને પછી વેકસિન લઈએ તો હવે ભગવાન નો પ્રકોપ સહન કરવો પડે, બધું ભગવાન ભરોસે હોય એટલે વેકસિન લેવાનો કોઈ અર્થ નથી. ભગવાન પર ભરોસો રાખવાનો દુનિયા તેનાથી જ ચાલે છે. આમ વેકસીનનો ભય કુદરતના ભય સાથે ક્યાંક ને ક્યાંક જોડાઈ રહ્યો છે.