ભરચોમાસે વરસાદ નહિ વરસતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા
રાજકોટ જિલ્લામાં કુલ 2.47 લાખ હેકટરમાં મગફળી તેમજ 1.80 લાખ હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું
પાક નિષ્ફળ જશે તો ખેડૂતોએ પાકની પેટર્ન બદલવી પડશે
WatchGujarat. ભર ચોમાસે વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. વાવણી બાદ મેઘો નહીં મંડાતા હવે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ પણ જણાવ્યું છે કે, ટૂંક સમયમાં વરસાદ નહીં થાય તો પાક નિષ્ફળ જશે. જો કે વરસાદ ખેંચાતા વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. અને કલેક્ટર દ્વારા જિલ્લામાં સિંચાઈ માટેનાં પાણીની ક્યાંથી અને શું વ્યવસ્થા છે તે અંગેની સમીક્ષા કરી છે. તેમજ જરૂરિયાત મુજબ પાણી માટેની વ્યવસ્થા કરવાનું આશ્વાસન પણ આપ્યું છે.
શું કહ્યું જિલ્લા ખેતીવાડી અધિકારીએ
જિલ્લા ખેતીવાડી અધિકારી આર. આર. ટીલવાનાં જણાવ્યા અનુસાર, હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો પર ખતરો મંડરાઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં કુલ 2.47 લાખ હેકટરમાં મગફળી તેમજ 1.80 લાખ હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં વરસાદ પડવાની કોઈપણ આગાહી કરવામાં આવી નથી. અને ટૂંક સમયમાં જો વરસાદ નહીં પડે તો જિલ્લામાં પાક નિષ્ફળ જવાની પુરી શકયતા છે. પાક નિષ્ફળ જશે તો ખેડૂતોએ પાકની પેટર્ન બદલવી પડશે.
પાણીની જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરશે : કલેક્ટર
વરસાદ ખેંચાઈ જતા રાજકોટનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. અને જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ પાણીના હયાત સ્ત્રોત તેમજ ઉપલબ્ધ જથ્થા અંગે સમીક્ષા કરી હતી. સાથે જ પીવાના પાણી માટે આજી, ન્યારી, ભાદર ઉપરાંત સૌની યોજનાનાં પાણી અંગેની વિગતો મેળવી હતી. અને સિંચાઈ માટે ગામડામાં પાણીની જરૂરિયાત અંગે સ્થિતિ મુજબ વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપ્યું હતું. તો સાથે જ અબોલ જીવોને મુશ્કેલી ન પડે તે માટે ઘાસચારા અને અન્ય વ્યવસ્થા અંગે તૈયારીઓ કરી રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, શહેર અને જિલ્લાના જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે. જિલ્લાના કુલ 26 જળાશયમાં 24 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેને લઈને ઓગસ્ટ સુધી પીવાના પાણી અંગે કોઇ મુશ્કેલી આવશે નહીં. આ ઉપરાંત જે ખેડૂતોએ આગોતરૂ વાવેતર કર્યું છે તેઓને સિંચાઈ માટે ભાદર-1, આજી-2, આજી-3, ફોફળ ડેમમાંથી સિંચાઈ માટે એક વખત પાણી આપી શકાય તે પ્રકારની સ્થિતિ હોવાનું પણ તેમણે કહ્યું હતું.
રાજકોટ જિલ્લામાં કુલ 2.47 લાખ હેકટરમાં મગફળી તેમજ 1.80 લાખ હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું
પાક નિષ્ફળ જશે તો ખેડૂતોએ પાકની પેટર્ન બદલવી પડશે
WatchGujarat. ભર ચોમાસે વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. વાવણી બાદ મેઘો નહીં મંડાતા હવે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ પણ જણાવ્યું છે કે, ટૂંક સમયમાં વરસાદ નહીં થાય તો પાક નિષ્ફળ જશે. જો કે વરસાદ ખેંચાતા વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. અને કલેક્ટર દ્વારા જિલ્લામાં સિંચાઈ માટેનાં પાણીની ક્યાંથી અને શું વ્યવસ્થા છે તે અંગેની સમીક્ષા કરી છે. તેમજ જરૂરિયાત મુજબ પાણી માટેની વ્યવસ્થા કરવાનું આશ્વાસન પણ આપ્યું છે.
શું કહ્યું જિલ્લા ખેતીવાડી અધિકારીએ
જિલ્લા ખેતીવાડી અધિકારી આર. આર. ટીલવાનાં જણાવ્યા અનુસાર, હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો પર ખતરો મંડરાઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં કુલ 2.47 લાખ હેકટરમાં મગફળી તેમજ 1.80 લાખ હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં વરસાદ પડવાની કોઈપણ આગાહી કરવામાં આવી નથી. અને ટૂંક સમયમાં જો વરસાદ નહીં પડે તો જિલ્લામાં પાક નિષ્ફળ જવાની પુરી શકયતા છે. પાક નિષ્ફળ જશે તો ખેડૂતોએ પાકની પેટર્ન બદલવી પડશે.
પાણીની જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરશે : કલેક્ટર
વરસાદ ખેંચાઈ જતા રાજકોટનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. અને જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ પાણીના હયાત સ્ત્રોત તેમજ ઉપલબ્ધ જથ્થા અંગે સમીક્ષા કરી હતી. સાથે જ પીવાના પાણી માટે આજી, ન્યારી, ભાદર ઉપરાંત સૌની યોજનાનાં પાણી અંગેની વિગતો મેળવી હતી. અને સિંચાઈ માટે ગામડામાં પાણીની જરૂરિયાત અંગે સ્થિતિ મુજબ વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપ્યું હતું. તો સાથે જ અબોલ જીવોને મુશ્કેલી ન પડે તે માટે ઘાસચારા અને અન્ય વ્યવસ્થા અંગે તૈયારીઓ કરી રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, શહેર અને જિલ્લાના જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે. જિલ્લાના કુલ 26 જળાશયમાં 24 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેને લઈને ઓગસ્ટ સુધી પીવાના પાણી અંગે કોઇ મુશ્કેલી આવશે નહીં. આ ઉપરાંત જે ખેડૂતોએ આગોતરૂ વાવેતર કર્યું છે તેઓને સિંચાઈ માટે ભાદર-1, આજી-2, આજી-3, ફોફળ ડેમમાંથી સિંચાઈ માટે એક વખત પાણી આપી શકાય તે પ્રકારની સ્થિતિ હોવાનું પણ તેમણે કહ્યું હતું.