રાજકોટ જિલ્લામાં કુલ 2.50 લાખ હેકટરમાં મગફળી તેમજ કુલ 1.96 લાખ હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું
છેલ્લા બે દિવસમાં પડેલો વરસાદ ખેતીનાં ઉભા પાક માટે ખૂબ ફાયદાકારક રહ્યો - જિલ્લા ખેતીવાડીનાં અધિકારી આર. આર. ટીલવા
જો ધીમીધારે વરસાદ થાય તો ઉભા પાકને વધુ મોટી રાહત મળવાની શક્યતાઓ
WatchGujarat. શહેર અને જિલ્લામાં શનિ-રવિ બે દિવસમાં સરેરાશ 2થી 8 ઇંચ વરસાદ નોંધાયો છે. અને આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવમાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બે દિવસમાં વરસેલા વરસાદનાં કારણે મુરઝાતી મોલાતને નવજીવન મળ્યું છે. તેમાં પણ જિલ્લામાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવે છે, જેના માટે વરસાદ કાચા સોના સમાન છે. ત્યારે આ વરસાદ થતા મગફળી તેમજ કપાસના ઉભા પાકને જીવનદાન મળ્યું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.
રાજકોટ જિલ્લા ખેતીવાડીનાં અધિકારી આર. આર. ટીલવાનાં જણાવ્યા મુજબ, છેલ્લા બે દિવસમાં પડેલો વરસાદ ખેતીનાં ઉભા પાક માટે ખૂબ ફાયદાકારક રહ્યો છે. હાલ ખેડૂતોએ કરેલ વાવણીને વરસાદની અતિશય જરૂર હતી. અને બરાબર આ સમયે જ વરસાદ થતાં જિલ્લાભરનાં ખેડૂતોને મોટી રાહત મળી છે. આગામી દિવસોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ત્યારે જો ધીમીધારે વરસાદ થાય તો ઉભા પાકને વધુ મોટી રાહત મળવાની શક્યતાઓ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કુલ 2.50 લાખ હેકટરમાં મગફળી તેમજ કુલ 1.96 લાખ હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બંને જિલ્લાનાં મુખ્ય વાવેતર છે. જેના માટે પાણીની ખાસ જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે આ વરસાદથી કુલ 5.9 લાખ હેક્ટરમાં થયેલા વિવિધ પાકોનાં વાવેતરને મોટી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે આ વરસાદ પહેલા જ તેમણે કહ્યું હતું કે, વરસાદ ખેંચાતા ખેડૂતો પર ખતરો મંડરાઈ રહ્યો છે. અને ટૂંક સમયમાં જો વરસાદ નહીં પડે તો જિલ્લામાં પાક નિષ્ફળ જવાની પુરી શકયતા છે. પાક નિષ્ફળ જશે તો ખેડૂતોએ પાકની પેટર્ન બદલવી પડશે.
રાજકોટ જિલ્લામાં કુલ 2.50 લાખ હેકટરમાં મગફળી તેમજ કુલ 1.96 લાખ હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું
છેલ્લા બે દિવસમાં પડેલો વરસાદ ખેતીનાં ઉભા પાક માટે ખૂબ ફાયદાકારક રહ્યો - જિલ્લા ખેતીવાડીનાં અધિકારી આર. આર. ટીલવા
જો ધીમીધારે વરસાદ થાય તો ઉભા પાકને વધુ મોટી રાહત મળવાની શક્યતાઓ
WatchGujarat. શહેર અને જિલ્લામાં શનિ-રવિ બે દિવસમાં સરેરાશ 2થી 8 ઇંચ વરસાદ નોંધાયો છે. અને આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવમાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બે દિવસમાં વરસેલા વરસાદનાં કારણે મુરઝાતી મોલાતને નવજીવન મળ્યું છે. તેમાં પણ જિલ્લામાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવે છે, જેના માટે વરસાદ કાચા સોના સમાન છે. ત્યારે આ વરસાદ થતા મગફળી તેમજ કપાસના ઉભા પાકને જીવનદાન મળ્યું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.
રાજકોટ જિલ્લા ખેતીવાડીનાં અધિકારી આર. આર. ટીલવાનાં જણાવ્યા મુજબ, છેલ્લા બે દિવસમાં પડેલો વરસાદ ખેતીનાં ઉભા પાક માટે ખૂબ ફાયદાકારક રહ્યો છે. હાલ ખેડૂતોએ કરેલ વાવણીને વરસાદની અતિશય જરૂર હતી. અને બરાબર આ સમયે જ વરસાદ થતાં જિલ્લાભરનાં ખેડૂતોને મોટી રાહત મળી છે. આગામી દિવસોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ત્યારે જો ધીમીધારે વરસાદ થાય તો ઉભા પાકને વધુ મોટી રાહત મળવાની શક્યતાઓ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કુલ 2.50 લાખ હેકટરમાં મગફળી તેમજ કુલ 1.96 લાખ હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બંને જિલ્લાનાં મુખ્ય વાવેતર છે. જેના માટે પાણીની ખાસ જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે આ વરસાદથી કુલ 5.9 લાખ હેક્ટરમાં થયેલા વિવિધ પાકોનાં વાવેતરને મોટી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે આ વરસાદ પહેલા જ તેમણે કહ્યું હતું કે, વરસાદ ખેંચાતા ખેડૂતો પર ખતરો મંડરાઈ રહ્યો છે. અને ટૂંક સમયમાં જો વરસાદ નહીં પડે તો જિલ્લામાં પાક નિષ્ફળ જવાની પુરી શકયતા છે. પાક નિષ્ફળ જશે તો ખેડૂતોએ પાકની પેટર્ન બદલવી પડશે.