છેલ્લા 13 વર્ષથી રાજકોટના નાનામવા ગામથી ભગવાનની યાત્રા નીકળે છે
નાનામૌવા સ્થિત કૈલાસધામ આશ્રમ ખાતે ગઈકાલે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી ઉપરાંત બહેન સુભદ્રાજીની આંખે પટ્ટી બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી
સવારે 7.30 કલાકે મંગળા આરતી કર્યા બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી
નિજ ઘેલા પાટા ખોલારો મંદિરથી મોકાજી સર્કલ, રૂડા તરફ્ના રોડ પર થઈને પાર્ટી પ્લોટવાળી શેરીમાંથી શાસ્ત્રીનગર ગેઇટ કે મંગળા આરતી અને ત્યાંથી મંદિરે પહોચી પૂર્ણ થઇ
WatchGujarat. આજે અષાઢી બીજે રાજ્યમાં ઠેર-ઠેર રથ યાત્રા નિકળી રહી છે. જે અંતર્ગત શહેરમાં કોરોનાની ગાઈડલાઈન સાથે અને ટૂંકા રૂટની રથયાત્રા નીકળી છે. જેમાં રાજકોટના મહારાજા માંધાતાસિંહ, મેયર ડોકટર પ્રદીપ ડવ, ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ પણ ભગવાનની મંગળા આરતી કરી હતી. બાદમાં જગતનો નાથ નગરચર્યાએ નિકળ્યો હતો. આ તકે પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત સાથે યાત્રાનાં રૂટમાં પણ કરફ્યુનો અમલ કરવામાં આવ્યો હતો.
https://youtu.be/jAYboDS_xxg
નાનામૌવા સ્થિત કૈલાસધામ આશ્રમ ખાતે ગઈકાલે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી ઉપરાંત બહેન સુભદ્રાજીની આંખે પટ્ટી બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આ વિધિ રથયાત્રા નીકળવાના એક દિવસ પહેલા કરવામાં આવે છે. અને અષાઢી બીજના દિવસે ભગવાનને આંખેથી પટ્ટી ખોલવામાં આવે છે. બાદમાં સવારે 7.30 કલાકે મંગળા આરતી કર્યા બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. મંદિરના મુખ્ય સ્વામી ત્યાગી મોહનદાસજી ગુરુ રામકિશોરદાસજીએ કહ્યું હતું કે, કોરોનાને લીધે અયોધ્યા, સોમનાથ, અને બહેન સુભદ્રાના નાગનેશ સહીતથી 25થી 30 સાધુ સંતો જ ને નવા વાઘા સાથે જોડવામાં આવ્યા છે.
રથયાત્રાના રૂટની વાત કરીએ તો હાલ કોરોનાને કારણે રથયાત્રાનો રૂટ મંદિર નજીક જ 2 કિ.મીમાં જ રખાયો છે. માર્યાદિત લોકોની હાજરીમાં ત્રણ રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા. જેમાં પણ નિજ ઘેલા પાટા ખોલારો મંદિરથી મોકાજી સર્કલ, રૂડા તરફ્ના રોડ પર થઈને પાર્ટી પ્લોટવાળી શેરીમાંથી શાસ્ત્રીનગર ગેઇટ કે મંગળા આરતી અને ત્યાંથી મંદિરે પહોચી પૂર્ણ થઇ છે. હવે આખો દિવસ ભાવિકો માટે ભગવાનના દર્શન પણ ખુલ્લા રાખવામાં આવશે.
નોંધનીય છે કે, છેલ્લા 13 વર્ષથી રાજકોટના નાનામવા ગામથી ભગવાનની યાત્રા નીકળે છે. જ્યાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોરોનાની ગાઇડલાઇન્સના પાલન સાથે રથયાત્રા નીકળી હતી. જોકે દર વર્ષે 19 કી.મી.ની નીકળતી રથયાત્રા આજે 2 કી.મી.માં જ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં સૌથી આગળ પોલીસનાં વાહનો બાદમાં રથની આગળ એક વાહન મંદિરનું અને પછી ત્રણ રથ પોલીસ બંદોબસ્ત વચ્ચે નિકળ્યા હતા. અને રથયાત્રાના રૂટ પર કરફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો.
છેલ્લા 13 વર્ષથી રાજકોટના નાનામવા ગામથી ભગવાનની યાત્રા નીકળે છે
નાનામૌવા સ્થિત કૈલાસધામ આશ્રમ ખાતે ગઈકાલે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી ઉપરાંત બહેન સુભદ્રાજીની આંખે પટ્ટી બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી
સવારે 7.30 કલાકે મંગળા આરતી કર્યા બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી
નિજ ઘેલા પાટા ખોલારો મંદિરથી મોકાજી સર્કલ, રૂડા તરફ્ના રોડ પર થઈને પાર્ટી પ્લોટવાળી શેરીમાંથી શાસ્ત્રીનગર ગેઇટ કે મંગળા આરતી અને ત્યાંથી મંદિરે પહોચી પૂર્ણ થઇ
WatchGujarat. આજે અષાઢી બીજે રાજ્યમાં ઠેર-ઠેર રથ યાત્રા નિકળી રહી છે. જે અંતર્ગત શહેરમાં કોરોનાની ગાઈડલાઈન સાથે અને ટૂંકા રૂટની રથયાત્રા નીકળી છે. જેમાં રાજકોટના મહારાજા માંધાતાસિંહ, મેયર ડોકટર પ્રદીપ ડવ, ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ પણ ભગવાનની મંગળા આરતી કરી હતી. બાદમાં જગતનો નાથ નગરચર્યાએ નિકળ્યો હતો. આ તકે પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત સાથે યાત્રાનાં રૂટમાં પણ કરફ્યુનો અમલ કરવામાં આવ્યો હતો.
નાનામૌવા સ્થિત કૈલાસધામ આશ્રમ ખાતે ગઈકાલે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી ઉપરાંત બહેન સુભદ્રાજીની આંખે પટ્ટી બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આ વિધિ રથયાત્રા નીકળવાના એક દિવસ પહેલા કરવામાં આવે છે. અને અષાઢી બીજના દિવસે ભગવાનને આંખેથી પટ્ટી ખોલવામાં આવે છે. બાદમાં સવારે 7.30 કલાકે મંગળા આરતી કર્યા બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. મંદિરના મુખ્ય સ્વામી ત્યાગી મોહનદાસજી ગુરુ રામકિશોરદાસજીએ કહ્યું હતું કે, કોરોનાને લીધે અયોધ્યા, સોમનાથ, અને બહેન સુભદ્રાના નાગનેશ સહીતથી 25થી 30 સાધુ સંતો જ ને નવા વાઘા સાથે જોડવામાં આવ્યા છે.
રથયાત્રાના રૂટની વાત કરીએ તો હાલ કોરોનાને કારણે રથયાત્રાનો રૂટ મંદિર નજીક જ 2 કિ.મીમાં જ રખાયો છે. માર્યાદિત લોકોની હાજરીમાં ત્રણ રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા. જેમાં પણ નિજ ઘેલા પાટા ખોલારો મંદિરથી મોકાજી સર્કલ, રૂડા તરફ્ના રોડ પર થઈને પાર્ટી પ્લોટવાળી શેરીમાંથી શાસ્ત્રીનગર ગેઇટ કે મંગળા આરતી અને ત્યાંથી મંદિરે પહોચી પૂર્ણ થઇ છે. હવે આખો દિવસ ભાવિકો માટે ભગવાનના દર્શન પણ ખુલ્લા રાખવામાં આવશે.
નોંધનીય છે કે, છેલ્લા 13 વર્ષથી રાજકોટના નાનામવા ગામથી ભગવાનની યાત્રા નીકળે છે. જ્યાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોરોનાની ગાઇડલાઇન્સના પાલન સાથે રથયાત્રા નીકળી હતી. જોકે દર વર્ષે 19 કી.મી.ની નીકળતી રથયાત્રા આજે 2 કી.મી.માં જ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં સૌથી આગળ પોલીસનાં વાહનો બાદમાં રથની આગળ એક વાહન મંદિરનું અને પછી ત્રણ રથ પોલીસ બંદોબસ્ત વચ્ચે નિકળ્યા હતા. અને રથયાત્રાના રૂટ પર કરફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો.