રાત્રી કરફ્યુ છતાં મોડી રાત્રે ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો મેળો
રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે
રાત્રી કરફ્યુ માત્ર સામાન્ય પ્રજા માટે જ હોવાનું સાબિત કરતી વધુ એક ઘટના સામે આવી
WatchGujarat હાલ રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. જેમાં રાત્રે 11થી સવારે 6 દરમિયાન કોઈ કારણસર બહાર નિકળનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ રાત્રી કરફ્યુ માત્ર સામાન્ય પ્રજા માટે જ હોવાનું સાબિત કરતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગત મોડીરાત્રે ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો. અને આ મુદ્દે પોલીસ દ્વારા કોઈપણ પગલાં લેવાયા નહોતા. જેને પગલે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે કે, રાત્રી કર્ફ્યુ હોય કે પછી સરકારે નક્કી કરેલી કોરોના ગાઇડલાઇનને અમલ કરવાની વાત હોય, જયારે જયારે સરકારી ગાઈડ લાઈન અને રાત્રી કર્ફ્યુનું સામાન્ય પ્રજા ભંગ કરે તો તેની વિરુદ્ધ કાયદેસરની કામગીરી કરવામાં આવે છે. પરંતુ મોટી મોટી વાતો કરતા રાજકીય પક્ષો ચૂંટણી ટાણે અથવા તો પોતાની સામાન્ય સભા યોજવાથી લઇ રેલીના સમયે સરકારની ગાઇડલાઇન અને રાત્રી કર્ફ્યુનું સરે આમ ઉલ્લંઘન કરે ત્યારે તેના વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે જાણે પોલીસ ઉંઘતી હોય તેવું જોવા મળતું રહ્યું છે. ત્યારે ત વાતને પુરવાર કરતી વધુ એક ઘટના સામે આવી છે.
https://youtu.be/OpbPQK0eMhE
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે રાત્રી કર્ફ્યૂનો ભંગ થયાનું સામે આવ્યું છે. ભાજપ કાર્યાલય ખાતે રાત્રે 11 વાગ્યા બાદ પણ કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારો અને પાર્ટીના સિનિયર નેતાઓ હાજર હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ કોરોના મહામારીના કારણે જે નિયમો બનાવવામાં આવ્યા છે. તેનો પણ સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. જેમાં મોટાભાગના કાર્યકર્તાઓે માસ્ક વગર હોવાનું જોવા મળ્યું હતું. અને સોશિયલ ડિસ્ટન્સ તો ક્યાંય દેખાતું નહોતું. ત્યારે સવાલ એ થાય છે કે નિયમો શું માત્ર સામાન્ય પ્રજા પાસેથી દંડ ઉઘરાવવા માટે બન્યા છે ?
નોંધનીય છે કે આજે બપોરે 12:39 મિનિટે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવાર મનપાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છે. ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને સોંપવામાં આવે તે પૂર્વે તેની ખરાઈ કરવા માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જેને કારણે આ મેળો જામ્યો હોવાનું જાણવા મળ્યું છે. આજે શહેરનાં બહુમાળી ચોક ખાતે ભાજપ દ્વારા એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પણ નિયમોનો સરેઆમ ભંગ થવાની પૂરતી સંભાવના છે.
રાત્રી કરફ્યુ છતાં મોડી રાત્રે ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો મેળો
રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે
રાત્રી કરફ્યુ માત્ર સામાન્ય પ્રજા માટે જ હોવાનું સાબિત કરતી વધુ એક ઘટના સામે આવી
WatchGujarat હાલ રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. જેમાં રાત્રે 11થી સવારે 6 દરમિયાન કોઈ કારણસર બહાર નિકળનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ રાત્રી કરફ્યુ માત્ર સામાન્ય પ્રજા માટે જ હોવાનું સાબિત કરતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગત મોડીરાત્રે ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો. અને આ મુદ્દે પોલીસ દ્વારા કોઈપણ પગલાં લેવાયા નહોતા. જેને પગલે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે કે, રાત્રી કર્ફ્યુ હોય કે પછી સરકારે નક્કી કરેલી કોરોના ગાઇડલાઇનને અમલ કરવાની વાત હોય, જયારે જયારે સરકારી ગાઈડ લાઈન અને રાત્રી કર્ફ્યુનું સામાન્ય પ્રજા ભંગ કરે તો તેની વિરુદ્ધ કાયદેસરની કામગીરી કરવામાં આવે છે. પરંતુ મોટી મોટી વાતો કરતા રાજકીય પક્ષો ચૂંટણી ટાણે અથવા તો પોતાની સામાન્ય સભા યોજવાથી લઇ રેલીના સમયે સરકારની ગાઇડલાઇન અને રાત્રી કર્ફ્યુનું સરે આમ ઉલ્લંઘન કરે ત્યારે તેના વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે જાણે પોલીસ ઉંઘતી હોય તેવું જોવા મળતું રહ્યું છે. ત્યારે ત વાતને પુરવાર કરતી વધુ એક ઘટના સામે આવી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે રાત્રી કર્ફ્યૂનો ભંગ થયાનું સામે આવ્યું છે. ભાજપ કાર્યાલય ખાતે રાત્રે 11 વાગ્યા બાદ પણ કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારો અને પાર્ટીના સિનિયર નેતાઓ હાજર હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ કોરોના મહામારીના કારણે જે નિયમો બનાવવામાં આવ્યા છે. તેનો પણ સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. જેમાં મોટાભાગના કાર્યકર્તાઓે માસ્ક વગર હોવાનું જોવા મળ્યું હતું. અને સોશિયલ ડિસ્ટન્સ તો ક્યાંય દેખાતું નહોતું. ત્યારે સવાલ એ થાય છે કે નિયમો શું માત્ર સામાન્ય પ્રજા પાસેથી દંડ ઉઘરાવવા માટે બન્યા છે ?
નોંધનીય છે કે આજે બપોરે 12:39 મિનિટે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવાર મનપાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છે. ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને સોંપવામાં આવે તે પૂર્વે તેની ખરાઈ કરવા માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જેને કારણે આ મેળો જામ્યો હોવાનું જાણવા મળ્યું છે. આજે શહેરનાં બહુમાળી ચોક ખાતે ભાજપ દ્વારા એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પણ નિયમોનો સરેઆમ ભંગ થવાની પૂરતી સંભાવના છે.