Watchgujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ક્રિષ્ના કાંબરિયાએ કોરોના બાદ સ્વપ્નને લઈને અધ્યાપક ડો.ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 1350 લોકોનો સર્વે કર્યો હતો. જેમાં કોરોનાનાં સમયે લોકોને નિષેધક સ્વપ્ન અને ડરામણા સ્વપ્નએ ક્યારેક ઉંઘમાંથી જગાડી દીધા હોવાનું સામે આવ્યું છે. સર્વેમાં સામેલ લોકો પૈકી 79% લોકોએ આ બાબતનો સ્વીકાર પણ કર્યો છે. સ્વપ્ન એક એવી ઘટના છે જે આપણા બધાની સાથે થતી હોય છે. બીજા શબ્દોમાં, આપણે બધા જ લોકો સ્વપ્ન જોઈએ છીએ. ક્યારેક સ્વપ્ન સુખદ હોય છે તો ક્યારેક દુઃખદ હોય છે. તો ક્યારેક સ્વપ્ન મિશ્રિત હોય છે, એટલે કે તેનો અમુક ભાગ સુખદ હોય છે તો અમુક ભાગ દુઃખદ હોય છે. જોકે કોરોના કાળમાં મોટાભાગના લોકોને ખરાબ કે દુઃખદ સ્વપ્ન આવતા હોવાનું પણ આ સર્વે દરમિયાન સામે આવ્યું છે.
સ્વપ્ન અંગે લોકોના વિવિધ અનુભવો
1) મને વારંવાર મારા સગા વ્હાલાના મૃત્યુના સ્વપ્ન જ આવે છે અને રોજ એક જ સમયે મારી ઊંઘ જતી રહે. ઘણીવાર જ્યારે કોઈના મૃત્યુ વિશે કઈ સાંભળું ત્યારે સતત થોડા દિવસે મને એવા જ સ્વપ્ન આવે છે.
2) જ્યારે પણ કોઈ અંતિમયાત્રાના રથ જોઉ ત્યારે ઊંઘમાં જ હું ચાલવા લાગુ જાણે કોઈની સ્મશાન યાત્રામાં હું જોડાયો હોવ!
3) મારી પત્નીને વારંવાર મારા મૃત્યુના જ સ્વપ્ન આવે જેથી એ મને ક્યાંય પોતાનાથી અળગો થવા દેતી નથી.
4) મને સતત કોઈ જગ્યાનાં સ્વપ્ન આવે છે જ્યાં હું કોઈ દિવસ ગઈ જ નથી પણ એ જગ્યા મને બોલાવે છે.
બીજીતરફ સ્વપ્ન અંગે વર્ણન કરતા લોકોએ કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. જેમાં 81% લોકોનો સવાલ હતો કે, વહેલી સવારના સ્વપ્ન સાચા પડે એ માન્યતા સાચી કે ખોટી ? મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસને આ માન્યતા વિશે જણાવ્યું હતું કે, વહેલી સવારના સ્વપ્ન ઊંઘમાં નહી પણ તંદ્રાવસ્થામાં હોય છે, એટલે કે, આ સમયે વ્યક્તિ સંપૂર્ણ સૂતો નથી અને જાગતો પણ નથી. તૅ અર્ધજાગ્રત અવસ્થામાં હોય છે. આ અવસ્થામાં તૅ પોતાના ભવિષ્યના વિશે જુદીજુદી કલ્પના કરતો હોય છે. એ કલ્પના-વિચાર તેનું જીવનનું લક્ષ્ય બનતું હોય છે. એ રીતે વહેલી સવારના કેટલાક સ્વપ્ન સાચા પડતા હોય છે.
સ્વપ્નનાં સર્વે દરમિયાન પૂછાયેલા સવાલો
શું તમને સ્વપ્ન આવે છે ?
જેમાં 92% એ હા અને 8% એ ના કહ્યું
તમને કેવા પ્રકારના સ્વપ્ન આવે છે?
35% ભયને કારણે ઊંઘ ઊડી જાય એવા
37% એવા વિચારોના જે કોઈને કહી ન શકાય
15% બહુ જ આનંદ આપે એવા
10% નિષેધક
3% વિધાયક
સ્વપ્નના કારણે તમારી ઊંઘ ખરાબ થાય છે?
જેમાં 87% એ હા અને 13% એ ના કહ્યું
શુ તમને દિવસમાં કરેલ ક્રિયાઓ અને વિચારોને અનુલક્ષીને રાત્રે સ્વપ્ન આવે છે?
જેમાં 78.80% એ હા અને 21.2% એ ના કહ્યું
ભૂતકાળમાં બનેલ ઘટનાઓને અનુલક્ષીને તમને સ્વપ્ન આવે છે?
જેમાં 75% હા અને 25%ના કહ્યું
તમે એવું માનો છો કે સવાર માં જોયેલ સ્વપ્ન સાચું થાય?
જેમાં 72% હા અને 28% એ ના કહ્યું
કોરોનાના કારણે તમને ડરામણા સ્વપ્ન આવ્યા છે?
જેમાં 79% હા અને 21% એ ના કહ્યું
લોકડાઉનના સમયે ઘરે રહેવાથી વધુ ઊંઘના કારણે સ્વપ્નમાં વધારો જોવા મળ્યો?
જેમાં 74.67% એ હા 25.33% એ ના કહ્યું..
તમને ક્યારેય પરિવારજનોને કોરોના થઈ જશે એવા સ્વપ્ન આવ્યા છે?
જેમાં 79% એ હા અને 21% એ ના કહી
તમારી તબિયત બગડી એવા સ્વપ્ન આવ્યા છે?
જેમાં 67% એ હા 33% એ ના કહ્યું
ઉલ્લેખનીય છે કે, પહેલા સ્વપ્નને નિરર્થક માનવામાં આવતા હતા. પરંતુ મનોવિજ્ઞાનના પ્રયોગોએ પુરવાર કર્યું કે, સ્વપ્ન નિરર્થક નહીં પણ એક સાર્થક પ્રક્રિયા છે. જેના આધારે આપણને માનસિક રોગના લક્ષણો અને તેના સ્વરૂપને સમજવામાં ઘણી મદદ મળે છે. સામાન્ય લોકો સ્વપ્નને અર્થહીન સમજે છે. પરંતુ અર્થહીન નથી હોતા. તેનો એક વિશેષ અર્થ હોય છે. મનોવિશ્લેષકોએ અનેક ઉદાહરણ આપી એ સાબિત કર્યું છે કે, સ્વપ્નનું અલગ મહત્વ અને અર્થ હોય છે. સ્વપ્નમાં આપણે જે કંઈપણ જોઈએ છીએ, તે હકીકતમાં અચેતનની દમિત ઈચ્છાઓનું એક પ્રતિક (ચિન્હ ) હોય છે. જોકે આ ચિન્હનો અર્થ દરેક વ્યક્તિઓને માટે અલગ-અલગ હોય છે, માટે તેનો અર્થ સમજવો થોડો મુશ્કેલ છે. પરંતુ તેનો અર્થ સમજતા જ સ્વપ્નનો અર્થ પણ સ્પષ્ટ થઇ જાય છે.
આ વિશેષતાઓથી સ્પષ્ટ થાય છે કે, સ્વપ્ન એ એક માનસિક ઘટના કે પ્રક્રિયા છે. જેનું મનોવૈજ્ઞાનિક રીતે ઘણું મહત્વ છે. કેમ કે, સ્વપ્ન એ આપણને વ્યક્તિની વીતેલ જીંદગી અને ભવિષ્યની ઘટનાઓ બંનેનાં વિશે જાણકારી પ્રદાન કરે છે. મનોવિજ્ઞાનમાં ઈચ્છાપૂર્તિ સ્વપ્ન, કુચિંતા(દુશ્ચીનતા) સ્વપ્ન, દંડ સ્વપ્ન, ભવિષ્ય તરફી સ્વપ્ન, વિરોધ (પ્રતિરોધ) સ્વપ્ન, સમાધાન સ્વપ્ન અને ગતિ સબંધી સ્વપ્ન જેવા વિવિધ પ્રકારના સ્વપ્ન દર્શાવેલ છે. કોરોનાના સમયમાં લોકોએ ભય અને ડરના વધુ સ્વપ્ન જોયા એવું આ સર્વેમાં જોવા મળ્યું. લોકોએ અજ્ઞાત રીતે જ કોરોનાનો ભય પોતાના મનમાં રાખી તેની નિષેધક અસર ઊંઘ પર પણ પડી. ભયની વાત કોઈની સાથે જ્યારે વ્યક્ત ન થઈ શકે, જે વાત અચેતન મનમાં હોય તે સ્વપ્ન સ્વરૂપે પ્રગટ થતી હોય છે.
Watchgujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ક્રિષ્ના કાંબરિયાએ કોરોના બાદ સ્વપ્નને લઈને અધ્યાપક ડો.ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 1350 લોકોનો સર્વે કર્યો હતો. જેમાં કોરોનાનાં સમયે લોકોને નિષેધક સ્વપ્ન અને ડરામણા સ્વપ્નએ ક્યારેક ઉંઘમાંથી જગાડી દીધા હોવાનું સામે આવ્યું છે. સર્વેમાં સામેલ લોકો પૈકી 79% લોકોએ આ બાબતનો સ્વીકાર પણ કર્યો છે. સ્વપ્ન એક એવી ઘટના છે જે આપણા બધાની સાથે થતી હોય છે. બીજા શબ્દોમાં, આપણે બધા જ લોકો સ્વપ્ન જોઈએ છીએ. ક્યારેક સ્વપ્ન સુખદ હોય છે તો ક્યારેક દુઃખદ હોય છે. તો ક્યારેક સ્વપ્ન મિશ્રિત હોય છે, એટલે કે તેનો અમુક ભાગ સુખદ હોય છે તો અમુક ભાગ દુઃખદ હોય છે. જોકે કોરોના કાળમાં મોટાભાગના લોકોને ખરાબ કે દુઃખદ સ્વપ્ન આવતા હોવાનું પણ આ સર્વે દરમિયાન સામે આવ્યું છે.
સ્વપ્ન અંગે લોકોના વિવિધ અનુભવો
1) મને વારંવાર મારા સગા વ્હાલાના મૃત્યુના સ્વપ્ન જ આવે છે અને રોજ એક જ સમયે મારી ઊંઘ જતી રહે. ઘણીવાર જ્યારે કોઈના મૃત્યુ વિશે કઈ સાંભળું ત્યારે સતત થોડા દિવસે મને એવા જ સ્વપ્ન આવે છે.
2) જ્યારે પણ કોઈ અંતિમયાત્રાના રથ જોઉ ત્યારે ઊંઘમાં જ હું ચાલવા લાગુ જાણે કોઈની સ્મશાન યાત્રામાં હું જોડાયો હોવ!
3) મારી પત્નીને વારંવાર મારા મૃત્યુના જ સ્વપ્ન આવે જેથી એ મને ક્યાંય પોતાનાથી અળગો થવા દેતી નથી.
4) મને સતત કોઈ જગ્યાનાં સ્વપ્ન આવે છે જ્યાં હું કોઈ દિવસ ગઈ જ નથી પણ એ જગ્યા મને બોલાવે છે.
બીજીતરફ સ્વપ્ન અંગે વર્ણન કરતા લોકોએ કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. જેમાં 81% લોકોનો સવાલ હતો કે, વહેલી સવારના સ્વપ્ન સાચા પડે એ માન્યતા સાચી કે ખોટી ? મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસને આ માન્યતા વિશે જણાવ્યું હતું કે, વહેલી સવારના સ્વપ્ન ઊંઘમાં નહી પણ તંદ્રાવસ્થામાં હોય છે, એટલે કે, આ સમયે વ્યક્તિ સંપૂર્ણ સૂતો નથી અને જાગતો પણ નથી. તૅ અર્ધજાગ્રત અવસ્થામાં હોય છે. આ અવસ્થામાં તૅ પોતાના ભવિષ્યના વિશે જુદીજુદી કલ્પના કરતો હોય છે. એ કલ્પના-વિચાર તેનું જીવનનું લક્ષ્ય બનતું હોય છે. એ રીતે વહેલી સવારના કેટલાક સ્વપ્ન સાચા પડતા હોય છે.
સ્વપ્નનાં સર્વે દરમિયાન પૂછાયેલા સવાલો
શું તમને સ્વપ્ન આવે છે ?
જેમાં 92% એ હા અને 8% એ ના કહ્યું
તમને કેવા પ્રકારના સ્વપ્ન આવે છે?
35% ભયને કારણે ઊંઘ ઊડી જાય એવા
37% એવા વિચારોના જે કોઈને કહી ન શકાય
15% બહુ જ આનંદ આપે એવા
10% નિષેધક
3% વિધાયક
સ્વપ્નના કારણે તમારી ઊંઘ ખરાબ થાય છે?
જેમાં 87% એ હા અને 13% એ ના કહ્યું
શુ તમને દિવસમાં કરેલ ક્રિયાઓ અને વિચારોને અનુલક્ષીને રાત્રે સ્વપ્ન આવે છે?
જેમાં 78.80% એ હા અને 21.2% એ ના કહ્યું
ભૂતકાળમાં બનેલ ઘટનાઓને અનુલક્ષીને તમને સ્વપ્ન આવે છે?
જેમાં 75% હા અને 25%ના કહ્યું
તમે એવું માનો છો કે સવાર માં જોયેલ સ્વપ્ન સાચું થાય?
જેમાં 72% હા અને 28% એ ના કહ્યું
કોરોનાના કારણે તમને ડરામણા સ્વપ્ન આવ્યા છે?
જેમાં 79% હા અને 21% એ ના કહ્યું
લોકડાઉનના સમયે ઘરે રહેવાથી વધુ ઊંઘના કારણે સ્વપ્નમાં વધારો જોવા મળ્યો?
જેમાં 74.67% એ હા 25.33% એ ના કહ્યું..
તમને ક્યારેય પરિવારજનોને કોરોના થઈ જશે એવા સ્વપ્ન આવ્યા છે?
જેમાં 79% એ હા અને 21% એ ના કહી
તમારી તબિયત બગડી એવા સ્વપ્ન આવ્યા છે?
જેમાં 67% એ હા 33% એ ના કહ્યું
ઉલ્લેખનીય છે કે, પહેલા સ્વપ્નને નિરર્થક માનવામાં આવતા હતા. પરંતુ મનોવિજ્ઞાનના પ્રયોગોએ પુરવાર કર્યું કે, સ્વપ્ન નિરર્થક નહીં પણ એક સાર્થક પ્રક્રિયા છે. જેના આધારે આપણને માનસિક રોગના લક્ષણો અને તેના સ્વરૂપને સમજવામાં ઘણી મદદ મળે છે. સામાન્ય લોકો સ્વપ્નને અર્થહીન સમજે છે. પરંતુ અર્થહીન નથી હોતા. તેનો એક વિશેષ અર્થ હોય છે. મનોવિશ્લેષકોએ અનેક ઉદાહરણ આપી એ સાબિત કર્યું છે કે, સ્વપ્નનું અલગ મહત્વ અને અર્થ હોય છે. સ્વપ્નમાં આપણે જે કંઈપણ જોઈએ છીએ, તે હકીકતમાં અચેતનની દમિત ઈચ્છાઓનું એક પ્રતિક (ચિન્હ ) હોય છે. જોકે આ ચિન્હનો અર્થ દરેક વ્યક્તિઓને માટે અલગ-અલગ હોય છે, માટે તેનો અર્થ સમજવો થોડો મુશ્કેલ છે. પરંતુ તેનો અર્થ સમજતા જ સ્વપ્નનો અર્થ પણ સ્પષ્ટ થઇ જાય છે.
આ વિશેષતાઓથી સ્પષ્ટ થાય છે કે, સ્વપ્ન એ એક માનસિક ઘટના કે પ્રક્રિયા છે. જેનું મનોવૈજ્ઞાનિક રીતે ઘણું મહત્વ છે. કેમ કે, સ્વપ્ન એ આપણને વ્યક્તિની વીતેલ જીંદગી અને ભવિષ્યની ઘટનાઓ બંનેનાં વિશે જાણકારી પ્રદાન કરે છે. મનોવિજ્ઞાનમાં ઈચ્છાપૂર્તિ સ્વપ્ન, કુચિંતા(દુશ્ચીનતા) સ્વપ્ન, દંડ સ્વપ્ન, ભવિષ્ય તરફી સ્વપ્ન, વિરોધ (પ્રતિરોધ) સ્વપ્ન, સમાધાન સ્વપ્ન અને ગતિ સબંધી સ્વપ્ન જેવા વિવિધ પ્રકારના સ્વપ્ન દર્શાવેલ છે. કોરોનાના સમયમાં લોકોએ ભય અને ડરના વધુ સ્વપ્ન જોયા એવું આ સર્વેમાં જોવા મળ્યું. લોકોએ અજ્ઞાત રીતે જ કોરોનાનો ભય પોતાના મનમાં રાખી તેની નિષેધક અસર ઊંઘ પર પણ પડી. ભયની વાત કોઈની સાથે જ્યારે વ્યક્ત ન થઈ શકે, જે વાત અચેતન મનમાં હોય તે સ્વપ્ન સ્વરૂપે પ્રગટ થતી હોય છે.