NSUI દ્વારા આજે ઉપકુલપતિને કાજુ-બદામનો ભોગ ધરાવી અનોખો વિરોધ કરવામાં આવ્યો
વાલીઓની આ આર્થિક સ્થિતિની અસર છાત્રોનાં અભ્યાસ પર ન પડે તે માટે કોલેજો દ્વારા અડધી એટલે કે, 50% ફી માફી મળવી જરૂરી
કોરોનાકાળમાં કોઈ વિદ્યાર્થીના માતા-પિતા કે ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન થયું હશે તો તેને સંપૂર્ણ ફી માફી આપવા અંગે નિર્ણય કરાયો
Watchgujarat. કોરોના કાળને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત તેની સાથે જોડાયેલી કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આમ છતાં યુનિ. દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પુરી ફી વસુલવામાં આવી રહી છે. જેને લઈને NSUI દ્વારા આજે ઉપકુલપતિને કાજુ-બદામનો ભોગ ધરાવી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. અને સાથે જ કોરોના દરમિયાન લોકોની કથળેલી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે 50% ફી માફીની માંગ કરવામાં આવી છે. NSUI દ્વારા કરવામાં આવેલા આ અનોખા વિરોધને પગલે રમુજી દ્રશ્યો સર્જાયા હતા.
સમગ્ર મામલે જિલ્લા NSUIના પ્રમુખ રોહિત રાજપૂતે કહ્યું હતું કે, કોરોનાને કારણે છેલ્લા એક વર્ષથી તમામ કોલેજોમાં માત્ર ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. આ મહામારી દરમિયાન ઘણા વાલીઓના નોકરી-ધંધા પર વિપરીત અસરો થઈ છે. ત્યારે વાલીઓની આ આર્થિક સ્થિતિની અસર છાત્રોનાં અભ્યાસ પર ન પડે તે માટે કોલેજો દ્વારા અડધી એટલે કે, 50% ફી માફી મળવી જરૂરી છે. આ તકે તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટ સભ્યો કોલેજો સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા હોવાનો કટાક્ષ કર્યો હતો. અને તેમને વાલીઓની મદદ માટે આગળ આવવાની અપીલ પણ કરી છે.
આ તકે ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં કોઈ વિદ્યાર્થીના માતા-પિતા કે ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન થયું હશે તો તેને સંપૂર્ણ ફી માફી આપવા અંગે નિર્ણય કરાયો છે. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડમિક કાઉન્સિલની બેઠક આજે મળી હતી. જેમાં યુજી તેમજ પીજીની બાકી રહેલી પરીક્ષા ઓનલાઇન લેવાનો નિર્ણય લેવાયો હોવાનું અને આ પરીક્ષા MCQ પદ્ધતિથી જ લેવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું છે. તો સાથે NSUI દ્વારા કરવામાં આવેલી 50%ફી માફીની માંગ અંગે પણ વિચારણા કરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું છે. જો કે આ માટેનો કોઈ ચોક્કસ સમય જણાવવાનો તેમણે ઇન્કાર કર્યો હતો.
NSUI દ્વારા આજે ઉપકુલપતિને કાજુ-બદામનો ભોગ ધરાવી અનોખો વિરોધ કરવામાં આવ્યો
વાલીઓની આ આર્થિક સ્થિતિની અસર છાત્રોનાં અભ્યાસ પર ન પડે તે માટે કોલેજો દ્વારા અડધી એટલે કે, 50% ફી માફી મળવી જરૂરી
કોરોનાકાળમાં કોઈ વિદ્યાર્થીના માતા-પિતા કે ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન થયું હશે તો તેને સંપૂર્ણ ફી માફી આપવા અંગે નિર્ણય કરાયો
Watchgujarat. કોરોના કાળને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત તેની સાથે જોડાયેલી કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આમ છતાં યુનિ. દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પુરી ફી વસુલવામાં આવી રહી છે. જેને લઈને NSUI દ્વારા આજે ઉપકુલપતિને કાજુ-બદામનો ભોગ ધરાવી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. અને સાથે જ કોરોના દરમિયાન લોકોની કથળેલી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે 50% ફી માફીની માંગ કરવામાં આવી છે. NSUI દ્વારા કરવામાં આવેલા આ અનોખા વિરોધને પગલે રમુજી દ્રશ્યો સર્જાયા હતા.
સમગ્ર મામલે જિલ્લા NSUIના પ્રમુખ રોહિત રાજપૂતે કહ્યું હતું કે, કોરોનાને કારણે છેલ્લા એક વર્ષથી તમામ કોલેજોમાં માત્ર ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. આ મહામારી દરમિયાન ઘણા વાલીઓના નોકરી-ધંધા પર વિપરીત અસરો થઈ છે. ત્યારે વાલીઓની આ આર્થિક સ્થિતિની અસર છાત્રોનાં અભ્યાસ પર ન પડે તે માટે કોલેજો દ્વારા અડધી એટલે કે, 50% ફી માફી મળવી જરૂરી છે. આ તકે તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટ સભ્યો કોલેજો સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા હોવાનો કટાક્ષ કર્યો હતો. અને તેમને વાલીઓની મદદ માટે આગળ આવવાની અપીલ પણ કરી છે.
આ તકે ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં કોઈ વિદ્યાર્થીના માતા-પિતા કે ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન થયું હશે તો તેને સંપૂર્ણ ફી માફી આપવા અંગે નિર્ણય કરાયો છે. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડમિક કાઉન્સિલની બેઠક આજે મળી હતી. જેમાં યુજી તેમજ પીજીની બાકી રહેલી પરીક્ષા ઓનલાઇન લેવાનો નિર્ણય લેવાયો હોવાનું અને આ પરીક્ષા MCQ પદ્ધતિથી જ લેવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું છે. તો સાથે NSUI દ્વારા કરવામાં આવેલી 50%ફી માફીની માંગ અંગે પણ વિચારણા કરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું છે. જો કે આ માટેનો કોઈ ચોક્કસ સમય જણાવવાનો તેમણે ઇન્કાર કર્યો હતો.