ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક હતી
બેઠકમાં સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો મુદો ચર્ચાસ્પદ બને તે પહેલાં સરકારની પૂર્વ મંજુરીની અપેક્ષાએ ઓફલાઈન પરીક્ષાનો નિર્ણય જાહેર કરાયો
આગામી 8 જુલાઈથી અનુસ્નાતક કક્ષાની પરીક્ષા અને બી.એડ. સેમે-1 અને બી.એ. સેમે-1 એકસટર્નલની પરીક્ષાઓ શરૂ થશે – કુલપતિ
[caption id="attachment_1225267" align="aligncenter" width="1280"] Gujarat, Saurashtra Univeristy Exams Schedule (Representative Image)[/caption]
Watchgujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અગાઉ અનેકવાર ઓફલાઈન પરીક્ષા કેન્સલ થયા બાદ PGની પરીક્ષાઓ ઓનલાઈન લેવાનું જાહેર કરાયું હતું. જો કે કોરોનાનું સંક્રમણ ઘટતા હવે આગામી તારીખ 8 જુલાઈથી PG એટલે કે, એમએ, એમકોમ અને એમએસસી સહિતની અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ અને 19 જુલાઈથી જ સ્નાતક કક્ષાની પરીક્ષાઓ ઓફલાઈન લેવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક હતી. બેઠકમાં સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો મુદો ચર્ચાસ્પદ બને તે પહેલાં સરકારની પૂર્વ મંજુરીની અપેક્ષાએ ઓફલાઈન પરીક્ષાનો નિર્ણય જાહેર કરાયો હતો. આ અંગે કુલપતિએ જણાવ્યું હતું કે, આગામી 8 જુલાઈથી અનુસ્નાતક કક્ષાની પરીક્ષા અને બી.એડ. સેમે-1 અને બી.એ. સેમે-1 એકસટર્નલની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં અંદાજે 30થી 32 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષાઓ તા.15 જુલાઈ સુધી ચાલશે ત્યારબાદ તા.19 જુલાઈથી બી.એ, બી.કોમ અને બીએએસસી સહિતની સ્નાતક કક્ષાની અંતિમ વર્ષની પરીક્ષાઓ શરૂ થશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પણ યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષાઓ સફળતાથી લેવાઈ ચુકી છે. અને તે જ પ્રમાણે આ પરીક્ષાઓમાં પણ SOP નું ચુસ્ત પાલન કરવામાં આવશે. કોરોનાને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સાથે જ સુપરવાઈઝર પણ માસ્ક અને ગ્લોઝ પહેરી સુપરવિઝન કરશે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીદ્વારા ઓનલાઈન પરીક્ષા લેવા માટે અનેક વખત ચર્ચાઓ થઈ હતી. પરંતુ કોરોનાના ઘટતા જતા કેસને લઈ ઓફલાઈન પરીક્ષાનો ફાઈનલ કાર્યક્રમ જાહેર કરાયો છે.
ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક હતી
બેઠકમાં સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો મુદો ચર્ચાસ્પદ બને તે પહેલાં સરકારની પૂર્વ મંજુરીની અપેક્ષાએ ઓફલાઈન પરીક્ષાનો નિર્ણય જાહેર કરાયો
આગામી 8 જુલાઈથી અનુસ્નાતક કક્ષાની પરીક્ષા અને બી.એડ. સેમે-1 અને બી.એ. સેમે-1 એકસટર્નલની પરીક્ષાઓ શરૂ થશે – કુલપતિ
Watchgujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અગાઉ અનેકવાર ઓફલાઈન પરીક્ષા કેન્સલ થયા બાદ PGની પરીક્ષાઓ ઓનલાઈન લેવાનું જાહેર કરાયું હતું. જો કે કોરોનાનું સંક્રમણ ઘટતા હવે આગામી તારીખ 8 જુલાઈથી PG એટલે કે, એમએ, એમકોમ અને એમએસસી સહિતની અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ અને 19 જુલાઈથી જ સ્નાતક કક્ષાની પરીક્ષાઓ ઓફલાઈન લેવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક હતી. બેઠકમાં સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો મુદો ચર્ચાસ્પદ બને તે પહેલાં સરકારની પૂર્વ મંજુરીની અપેક્ષાએ ઓફલાઈન પરીક્ષાનો નિર્ણય જાહેર કરાયો હતો. આ અંગે કુલપતિએ જણાવ્યું હતું કે, આગામી 8 જુલાઈથી અનુસ્નાતક કક્ષાની પરીક્ષા અને બી.એડ. સેમે-1 અને બી.એ. સેમે-1 એકસટર્નલની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં અંદાજે 30થી 32 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષાઓ તા.15 જુલાઈ સુધી ચાલશે ત્યારબાદ તા.19 જુલાઈથી બી.એ, બી.કોમ અને બીએએસસી સહિતની સ્નાતક કક્ષાની અંતિમ વર્ષની પરીક્ષાઓ શરૂ થશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પણ યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષાઓ સફળતાથી લેવાઈ ચુકી છે. અને તે જ પ્રમાણે આ પરીક્ષાઓમાં પણ SOP નું ચુસ્ત પાલન કરવામાં આવશે. કોરોનાને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સાથે જ સુપરવાઈઝર પણ માસ્ક અને ગ્લોઝ પહેરી સુપરવિઝન કરશે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીદ્વારા ઓનલાઈન પરીક્ષા લેવા માટે અનેક વખત ચર્ચાઓ થઈ હતી. પરંતુ કોરોનાના ઘટતા જતા કેસને લઈ ઓફલાઈન પરીક્ષાનો ફાઈનલ કાર્યક્રમ જાહેર કરાયો છે.