સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરામાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂકેલો અને હાલ નિવૃત્ત રમેશચંદ્ર ફેફર ફરી વિવાદમાં આવ્યો
ફેફરનાં જુઠાણાનો પર્દાફાશ કરવા જાથા દ્વારા ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસનાં કફલાને પણ સાથે રાખવામાં આવ્યો
રમેશચંદ્ર ફેફર લોકોને ડરાવવા માટે દુષ્કાળ પાડવા જેવા નિવેદનો આપી રહ્યો છે - જયંત પંડ્યા
WatchGujarat. વિજ્ઞાન જાથાની ટીમ પોતાને કલ્કી અવતાર ગણાવનાર તેમજ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખી વિવાદમાં આવેલા રમેશચંદ્ર ફેફરનાં ઘરે પહોંચી હતી. ફેફરનાં જુઠાણાનો પર્દાફાશ કરવા જાથા દ્વારા ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસનાં કફલાને પણ સાથે રાખવામાં આવ્યો હતો. જોકે જાથા અને પોલીસને જોઈને ફેફર પોતાના ઘરમાં પુરાઈ ગયો હતો. અને બારીમાં બેસીને બકવાસ કરતો જોવા મળ્યો હતો. જેને લઈને જાથાનાં જયંત પંડ્યાએ તેને અંધશ્રદ્ધા ફેલાવનાર માનસિક રોગી ગણાવ્યો હતો.
https://youtu.be/0tjswiNFilc
જયંત પંડ્યાનાં જણાવ્યા મુજબ, પોતાને ભગવાનનો અવતાર કહેનાર આ પાખંડી અમને જોઈને ઘરમાં જ પુરાઈ ગયો છે. જો ખરેખર તેની વાતમાં કોઈ સચ્ચાઈ હોય તો તેણે દરવાજો ખોલીને અમારી સાથે ચર્ચાઓ કરવી જોઈએ. પરંતુ તેને બદલે અંધશ્રદ્ધા ફેલાવનાર આ માનસિક રોગી ઘરનો દરવાજો ખોલવા પણ તૈયાર નથી. જેને લઈને સ્પષ્ટ થાય છે કે, આ વ્યક્તિ લોકોને ડરાવવા માટે દુષ્કાળ પાડવા જેવા નિવેદનો આપી રહ્યો છે. તેના આવા નિવેદનોથી ભવિષ્યમાં લોકોમાં ભય, ડર, દહેશત કે કોઈપણ પ્રકારનો ભ્રમ ઉભો ન થાય તે માટે જ આજે જાથાની ટીમ અહીં પહોંચી છે. અને તે બહાર નહીં આવતા તેના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે.
નોંધનીય છે કે, સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરામાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂકેલો અને હાલ નિવૃત્ત રમેશચંદ્ર ફેફર ફરી વિવાદમાં આવ્યો હતો. જેમાં તેમણે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખ્યો હતો. અને પોતાનો એક વર્ષનો બાકી રહેતો 16 લાખ પગાર અને 16 લાખ ગ્રેચ્યુટી આપવાની માંગ કરી હતી. સાથે જ આમ નહીં થાય તો વરસાદ અને બરફવર્ષાથી ભયંકર દુષ્કાળ પડવાની ચીમકી ઉચ્ચારી હતી. સાથે જ કહ્યું હતું કે, હું જ ભગવાન વિષ્ણુનો દસમો કલ્કી અવતાર છું.
સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરામાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂકેલો અને હાલ નિવૃત્ત રમેશચંદ્ર ફેફર ફરી વિવાદમાં આવ્યો
ફેફરનાં જુઠાણાનો પર્દાફાશ કરવા જાથા દ્વારા ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસનાં કફલાને પણ સાથે રાખવામાં આવ્યો
રમેશચંદ્ર ફેફર લોકોને ડરાવવા માટે દુષ્કાળ પાડવા જેવા નિવેદનો આપી રહ્યો છે - જયંત પંડ્યા
WatchGujarat. વિજ્ઞાન જાથાની ટીમ પોતાને કલ્કી અવતાર ગણાવનાર તેમજ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખી વિવાદમાં આવેલા રમેશચંદ્ર ફેફરનાં ઘરે પહોંચી હતી. ફેફરનાં જુઠાણાનો પર્દાફાશ કરવા જાથા દ્વારા ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસનાં કફલાને પણ સાથે રાખવામાં આવ્યો હતો. જોકે જાથા અને પોલીસને જોઈને ફેફર પોતાના ઘરમાં પુરાઈ ગયો હતો. અને બારીમાં બેસીને બકવાસ કરતો જોવા મળ્યો હતો. જેને લઈને જાથાનાં જયંત પંડ્યાએ તેને અંધશ્રદ્ધા ફેલાવનાર માનસિક રોગી ગણાવ્યો હતો.
જયંત પંડ્યાનાં જણાવ્યા મુજબ, પોતાને ભગવાનનો અવતાર કહેનાર આ પાખંડી અમને જોઈને ઘરમાં જ પુરાઈ ગયો છે. જો ખરેખર તેની વાતમાં કોઈ સચ્ચાઈ હોય તો તેણે દરવાજો ખોલીને અમારી સાથે ચર્ચાઓ કરવી જોઈએ. પરંતુ તેને બદલે અંધશ્રદ્ધા ફેલાવનાર આ માનસિક રોગી ઘરનો દરવાજો ખોલવા પણ તૈયાર નથી. જેને લઈને સ્પષ્ટ થાય છે કે, આ વ્યક્તિ લોકોને ડરાવવા માટે દુષ્કાળ પાડવા જેવા નિવેદનો આપી રહ્યો છે. તેના આવા નિવેદનોથી ભવિષ્યમાં લોકોમાં ભય, ડર, દહેશત કે કોઈપણ પ્રકારનો ભ્રમ ઉભો ન થાય તે માટે જ આજે જાથાની ટીમ અહીં પહોંચી છે. અને તે બહાર નહીં આવતા તેના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે.
નોંધનીય છે કે, સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરામાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂકેલો અને હાલ નિવૃત્ત રમેશચંદ્ર ફેફર ફરી વિવાદમાં આવ્યો હતો. જેમાં તેમણે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખ્યો હતો. અને પોતાનો એક વર્ષનો બાકી રહેતો 16 લાખ પગાર અને 16 લાખ ગ્રેચ્યુટી આપવાની માંગ કરી હતી. સાથે જ આમ નહીં થાય તો વરસાદ અને બરફવર્ષાથી ભયંકર દુષ્કાળ પડવાની ચીમકી ઉચ્ચારી હતી. સાથે જ કહ્યું હતું કે, હું જ ભગવાન વિષ્ણુનો દસમો કલ્કી અવતાર છું.