વેબસાઈટમાં જાહેર કરેલા નામોમાં આયોગે વાટેલા ભાંગરાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
કોંગ્રેસે ચૂંટણી પંચને રજૂઆત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
WatchGujarat રાજ્યનાં ચૂંટણી આયોગની વેબસાઈટમાં ગંભીર ભૂલ સામે આવી છે. જેમાં આયોગે કોંગ્રેસનાં એક ઉમેદવારને ભાજપનાં દર્શાવ્યા છે. એટલું જ નહીં એક વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની સંખ્યા પણ ખોટી લખવામાં આવી છે. વેબસાઈટમાં જાહેર કરેલા નામોમાં આયોગે વાટેલા ભાંગરાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. અને આ અંગે કોંગ્રેસે ચૂંટણી પંચને રજૂઆત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, ચૂંટણી આયોગની વેબસાઈટમાં રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.5નાં કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્રભાઈ રૈયાણીને ભાજપનાં ઉમેદવાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. આયોગ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં- 5માં ભાજપનાં કુલ 4ને બદલે 5 ઉમેદવાર અને કોંગ્રેસનાં પણ કુલ 4ને બદલે 3 ઉમેદવાર દર્શાવવામાં આવ્યા છે. રાજ્યનાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા આ છબરડાથી કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. અને કોંગ્રેસના ઉમેદવારનું નામ કાપી નાખ્યાનાં આક્ષેપ સાથે ચૂંટણી પંચને રજુઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા EVM માં કમળનું નિશાન મોટું અને ઘાટી શાહીથી છપાયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. અને તેની સામે અન્ય પાર્ટીનાં નિશાનો નાના અને આછી શાહીથી પ્રિન્ટ થયા હોવાનું જણાવાયું હતું. સાથે સ્થાનિક કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હેમાંગ વસાવડા દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર ચૂંટણી આયોગની ગંભીર ભૂલ સામે આવતા ભાજપનાં ઈશારે આયોગ કામ કરતું હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા છે.
વેબસાઈટમાં જાહેર કરેલા નામોમાં આયોગે વાટેલા ભાંગરાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
કોંગ્રેસે ચૂંટણી પંચને રજૂઆત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
WatchGujarat રાજ્યનાં ચૂંટણી આયોગની વેબસાઈટમાં ગંભીર ભૂલ સામે આવી છે. જેમાં આયોગે કોંગ્રેસનાં એક ઉમેદવારને ભાજપનાં દર્શાવ્યા છે. એટલું જ નહીં એક વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની સંખ્યા પણ ખોટી લખવામાં આવી છે. વેબસાઈટમાં જાહેર કરેલા નામોમાં આયોગે વાટેલા ભાંગરાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. અને આ અંગે કોંગ્રેસે ચૂંટણી પંચને રજૂઆત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, ચૂંટણી આયોગની વેબસાઈટમાં રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.5નાં કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્રભાઈ રૈયાણીને ભાજપનાં ઉમેદવાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. આયોગ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં- 5માં ભાજપનાં કુલ 4ને બદલે 5 ઉમેદવાર અને કોંગ્રેસનાં પણ કુલ 4ને બદલે 3 ઉમેદવાર દર્શાવવામાં આવ્યા છે. રાજ્યનાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા આ છબરડાથી કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. અને કોંગ્રેસના ઉમેદવારનું નામ કાપી નાખ્યાનાં આક્ષેપ સાથે ચૂંટણી પંચને રજુઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા EVM માં કમળનું નિશાન મોટું અને ઘાટી શાહીથી છપાયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. અને તેની સામે અન્ય પાર્ટીનાં નિશાનો નાના અને આછી શાહીથી પ્રિન્ટ થયા હોવાનું જણાવાયું હતું. સાથે સ્થાનિક કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હેમાંગ વસાવડા દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર ચૂંટણી આયોગની ગંભીર ભૂલ સામે આવતા ભાજપનાં ઈશારે આયોગ કામ કરતું હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા છે.