ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફેડરેશન ઓફ એકેડેમિક એસો.નાં હોદ્દેદારો સાથે મુલાકાત કરી
'હાલ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. અને ગણ્યા ગાંઠયા કેસો સામે આવી રહ્યા છે, કેબિનેટની બેઠક બાદ શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવાશે
WatchGujarat રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં આજે રાજકોટ આવ્યા હતા. અહીં તેમણે ફેડરેશન ઓફ એકેડેમિક એસો.નાં હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી. આ તકે શાળા ખોલવાની માંગને લઈને તેમણે મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'હાલ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. અને ગણ્યા ગાંઠયા કેસો સામે આવી રહ્યા છે. ત્યારે હવે કેબિનેટની બેઠક બાદ ધો. 9 અને 11 માટે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. તેમજ વહીવટી તંત્રની મંજૂરીને આધારે કલાસ શરૂ કરવાની મંજૂરીની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.
વૈશ્વિક મહામારી કોરોનાના કારણે લાંબા સમયથી સ્કૂલો બંધ રહી હતી અને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હતો. ત્યારે આજરોજ રાજકોટની મુલાકાતે આવેલા ભુપેન્દ્રસિંહનાં કહેવા મુજબ, 'શાળામાં ન્યૂ નોર્મલની સ્થિતિ જોવા મળી રહી છે. અને કોરોનાનાં કેસ પણ ધારણા મુજબ ઘટી રહ્યા છે. જેને લઈને ધોરણ 9 અને 11ની શાળા શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. જેની આગામી 27 જાન્યુઆરીએ મળનારી કેબિનેટ મીટિંગમાં ચર્ચા કરાશે. અને ચર્ચા કર્યા બાદ શાળા શરૂ કરવા અંગે આખરી નિર્ણય લેવાશે.' ત્યારે આગામી થોડા દિવસોમાં જ ધો.9 અને 11 માટે સ્કૂલો ખૂલે તેવી પૂરતી સંભાવના છે.
ગુજરાતમાં 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 માટે શાળાઓના ક્લાસ રૂમ શરૂ થયા બાદ સરકાર ધોરણ 9 અને 11 માટે પણ સ્કૂલો ખોલવા વિચારણા ચાલી રહી હતી. અગાઉ એવું ચર્ચાઈ રહ્યું હતું કે, હવે પછીના સોમવારથી આ બંન્ને ધોરણ માટે શાળાઓ શરૂ કરવામાં આવશે. જો કે આ મામલે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી છે. જેમાં તેમણે આખરી નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાનાર હોવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કર્યા બાદ વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષકો અને શાળા સંચાલકો તેમજ અધિકારીઓ સ્તરેથી ફિડબેક માંગવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓએ મોડામાં મોડા ફેબ્રુઆરી મહિનાના આરંભથી ધોરણ 9 અને 11 માટે શાળાઓ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. જેથી પહેલી ફ્રેબુઆરીને સોમવારથી ધોરણ 9 અને 11 માટે સ્કૂલો શરૂ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફેડરેશન ઓફ એકેડેમિક એસો.નાં હોદ્દેદારો સાથે મુલાકાત કરી
'હાલ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. અને ગણ્યા ગાંઠયા કેસો સામે આવી રહ્યા છે, કેબિનેટની બેઠક બાદ શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવાશે
WatchGujarat રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં આજે રાજકોટ આવ્યા હતા. અહીં તેમણે ફેડરેશન ઓફ એકેડેમિક એસો.નાં હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી. આ તકે શાળા ખોલવાની માંગને લઈને તેમણે મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'હાલ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. અને ગણ્યા ગાંઠયા કેસો સામે આવી રહ્યા છે. ત્યારે હવે કેબિનેટની બેઠક બાદ ધો. 9 અને 11 માટે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. તેમજ વહીવટી તંત્રની મંજૂરીને આધારે કલાસ શરૂ કરવાની મંજૂરીની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.
વૈશ્વિક મહામારી કોરોનાના કારણે લાંબા સમયથી સ્કૂલો બંધ રહી હતી અને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હતો. ત્યારે આજરોજ રાજકોટની મુલાકાતે આવેલા ભુપેન્દ્રસિંહનાં કહેવા મુજબ, 'શાળામાં ન્યૂ નોર્મલની સ્થિતિ જોવા મળી રહી છે. અને કોરોનાનાં કેસ પણ ધારણા મુજબ ઘટી રહ્યા છે. જેને લઈને ધોરણ 9 અને 11ની શાળા શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. જેની આગામી 27 જાન્યુઆરીએ મળનારી કેબિનેટ મીટિંગમાં ચર્ચા કરાશે. અને ચર્ચા કર્યા બાદ શાળા શરૂ કરવા અંગે આખરી નિર્ણય લેવાશે.' ત્યારે આગામી થોડા દિવસોમાં જ ધો.9 અને 11 માટે સ્કૂલો ખૂલે તેવી પૂરતી સંભાવના છે.
ગુજરાતમાં 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 માટે શાળાઓના ક્લાસ રૂમ શરૂ થયા બાદ સરકાર ધોરણ 9 અને 11 માટે પણ સ્કૂલો ખોલવા વિચારણા ચાલી રહી હતી. અગાઉ એવું ચર્ચાઈ રહ્યું હતું કે, હવે પછીના સોમવારથી આ બંન્ને ધોરણ માટે શાળાઓ શરૂ કરવામાં આવશે. જો કે આ મામલે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી છે. જેમાં તેમણે આખરી નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાનાર હોવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કર્યા બાદ વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષકો અને શાળા સંચાલકો તેમજ અધિકારીઓ સ્તરેથી ફિડબેક માંગવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓએ મોડામાં મોડા ફેબ્રુઆરી મહિનાના આરંભથી ધોરણ 9 અને 11 માટે શાળાઓ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. જેથી પહેલી ફ્રેબુઆરીને સોમવારથી ધોરણ 9 અને 11 માટે સ્કૂલો શરૂ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.