બેકાબૂ થયેલી કારે વૃદ્ધને ઠોકર મારતા તેઓ હવામાં ફંગોળાયા
ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
વૃદ્ધની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
WatchGujarat શહેરની પંચવટી સોસાયટીમાં અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં એક બેકાબૂ થયેલી કારે વૃદ્ધને ઠોકર મારતા તેઓ હવામાં ફંગોળાયા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ પંચવટી સોસાયટીનાં સતનામ હોસ્પિટલ રોડ પર 71 વર્ષીય વૃદ્ધ ધીરજલાલ જેઠવાને એક કારે ટક્કર મારી હતી. જેના કારણે નિવૃત તલાટીમંત્રીને તાત્કાલિક અસરથી નજીકની જલારામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોના કહેવા મુજબ તેમને સાથળના ભાગે ગંભીર ઈજા હોઈ બે જેટલી સર્જરી કરવી પડે તેમ છે. હાલ માલવીયા નગર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જો કે, બપોરે તેમનું મૃત્યુ થયું હતું.
https://twitter.com/watchgujarat/status/1347071414369542149?s=21
ઈજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર કૌશિક જેઠવાનાં જણાવ્યા મુજબ, તેઓ પંચરત્ન સોસાયટી શેરી નંબર ત્રણમાં પરિવાર સાથે રહે છે. બપોરના અંદાજિત બારેક વાગ્યા આસપાસ પિતા ધીરજલાલ માસ્ક લેવા માટે પ્લેઝર લઈ સતનામ હોસ્પિટલ વાળા રોડ પર નીકળ્યા હતા. તેઓ રોડની એકબાજુ પોતાનું બાઈક પાર્ક કરી માસ્ક લેતા હતા. આ સમયે એક કારે તેમને ટક્કર મારી હતી. જેને લઈને તેઓ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે જલારામ હોસ્પિટલમાં ખસેડાયા છે.
બેકાબૂ થયેલી કારે વૃદ્ધને ઠોકર મારતા તેઓ હવામાં ફંગોળાયા
ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
વૃદ્ધની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
WatchGujarat શહેરની પંચવટી સોસાયટીમાં અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં એક બેકાબૂ થયેલી કારે વૃદ્ધને ઠોકર મારતા તેઓ હવામાં ફંગોળાયા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ પંચવટી સોસાયટીનાં સતનામ હોસ્પિટલ રોડ પર 71 વર્ષીય વૃદ્ધ ધીરજલાલ જેઠવાને એક કારે ટક્કર મારી હતી. જેના કારણે નિવૃત તલાટીમંત્રીને તાત્કાલિક અસરથી નજીકની જલારામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોના કહેવા મુજબ તેમને સાથળના ભાગે ગંભીર ઈજા હોઈ બે જેટલી સર્જરી કરવી પડે તેમ છે. હાલ માલવીયા નગર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જો કે, બપોરે તેમનું મૃત્યુ થયું હતું.
ઈજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર કૌશિક જેઠવાનાં જણાવ્યા મુજબ, તેઓ પંચરત્ન સોસાયટી શેરી નંબર ત્રણમાં પરિવાર સાથે રહે છે. બપોરના અંદાજિત બારેક વાગ્યા આસપાસ પિતા ધીરજલાલ માસ્ક લેવા માટે પ્લેઝર લઈ સતનામ હોસ્પિટલ વાળા રોડ પર નીકળ્યા હતા. તેઓ રોડની એકબાજુ પોતાનું બાઈક પાર્ક કરી માસ્ક લેતા હતા. આ સમયે એક કારે તેમને ટક્કર મારી હતી. જેને લઈને તેઓ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે જલારામ હોસ્પિટલમાં ખસેડાયા છે.