WatchGujarat. શહેરમાં બે દિવસ બંધ રહ્યા બાદ આજથી 33 કેન્દ્રો પર વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શહેર-જિલ્લાને 7500-7500 ડોઝ ફાળવાયા છે. જો કે લોકો મોટી સંખ્યામાં રસી લેવા ઉમટી પડતા ફરીથી રસીકરણ કેન્દ્રો બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે. અને વારંવાર ખાવા પડતા ધકકાઓને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, વ્યવસ્થાનો અભાવ હોવાને કારણે લોકોને રસી લેવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે.
[caption id="attachment_1278943" align="aligncenter" width="1280"] Rajkot Vaccination Mismanagement[/caption]
વેકસીન લેવા આવેલા કનવર સોલંકીએ જણાવ્યું હતું કે, મોબાઇલમાં મેસેજ આવતા હું પ્રથમ 7 જુલાઈએ આવ્યો હતો. પરંતુ અડધો કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ ડોઝ પુરા થઈ જતા મને આજે આવવાનું કહેવાયું હતું. જેને લઈને કામધંધા મૂકી આજે ફરી ધક્કો ખાવો પડ્યો છે. હું તો યુવાન છું પણ સૌથી વધારે તકલીફ સિનિયર સિટિઝનોને થઇ રહી છે, આથી સરકારે આ બાબતે વિચાર કરી લોકોને ધક્કા ન ખાવા પડે તેવી કોઈ વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.
બીજીતરફ ભરતભાઈ ગાંધી નામના સિનિયર સિટિઝને કહ્યું હતું કે મમતા દિવસે બંધની જાહેરાત પછી બીજા દિવસે વેક્સિન લેવા ગયો ત્યારે ફરીથી બે દિવસ બંધ હોવાનું જણાવાયું હતું. જેને લઈને આજે ચોથો ધક્કો ખાવો પડ્યો છે. સરકાર અને તંત્રની કામગીરીમાં હાલ આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને અમારા જેવા ઉંમરલાયક વ્યક્તિઓને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. ડોઝ ન હોય કે બંધ હોય તે દિવસે આવવાના મેસેજ ન આવે તેવી ગોઠવણ થવી જરૂરી હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં હાલ રસીના 78,500 ડોઝ આવ્યા છે, જેમાંથી રાજકોટ મહાનગરપાલિકાને 7500, તેમજ જિલ્લા માટે 7500 ડોઝની ફાળવણી કરવામાં આવી છે. અને બાકીના ડોઝ અન્ય જિલ્લામાં ફાળવી દેવાયા છે. જેને લઈને આજે તો જિલ્લાભરમાં રસીકરણ શરૂ થઈ ગયું છે. પરંતુ સૌરાષ્ટ્રમાં વેકસીન લેનારાઓની સંખ્યાના પ્રમાણમાં આ જથ્થો ઓછો હોવાથી જો નવો જથ્થો તાત્કાલિક નહીં આવે તો ફરીથી રસીકરણ બંધ રહેશે.
શહેરની આ 33 સાઈટો ઉપર ચાલી રહ્યું છે રસીકરણ
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કૂલ–ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કૂલ
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં. 84, મવડી ગામ
10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11) શાળા નં. 28, વિજય પ્લોટ
12) સિટી સિવિક સેન્ટર–અમીન માર્ગ
13) સદર આરોગ્ય કેન્દ્ર
14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15) શેઠ હાઈસ્કૂલ
16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
17) ન્યૂ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18) શાળા નં. 61, હુડકો
19) શાળા નં. 20 બી, નારાયણનગર
20) જંક્શન આરોગ્ય કેન્દ્ર
21) માધાપર આરોગ્ય કેન્દ્ર
22) રેલવે હોસ્પિટલ
23) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
24) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
26) કબીરવન આરોગ્ય કેન્દ્ર
27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30) કોઠારિયા આરોગ્ય કેન્દ્ર
31) તાલુકા શાળા (BRC) ભવન
આ બંને સાઇટ પર કોવેક્સીન રસી ઉપલબ્ધ
32) શાળા નં. 47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર
33) શાળા નં. 49 બી, બાબરિયા કોલોની, અયોધ્યા ચોક
WatchGujarat. શહેરમાં બે દિવસ બંધ રહ્યા બાદ આજથી 33 કેન્દ્રો પર વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શહેર-જિલ્લાને 7500-7500 ડોઝ ફાળવાયા છે. જો કે લોકો મોટી સંખ્યામાં રસી લેવા ઉમટી પડતા ફરીથી રસીકરણ કેન્દ્રો બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે. અને વારંવાર ખાવા પડતા ધકકાઓને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, વ્યવસ્થાનો અભાવ હોવાને કારણે લોકોને રસી લેવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે.
વેકસીન લેવા આવેલા કનવર સોલંકીએ જણાવ્યું હતું કે, મોબાઇલમાં મેસેજ આવતા હું પ્રથમ 7 જુલાઈએ આવ્યો હતો. પરંતુ અડધો કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ ડોઝ પુરા થઈ જતા મને આજે આવવાનું કહેવાયું હતું. જેને લઈને કામધંધા મૂકી આજે ફરી ધક્કો ખાવો પડ્યો છે. હું તો યુવાન છું પણ સૌથી વધારે તકલીફ સિનિયર સિટિઝનોને થઇ રહી છે, આથી સરકારે આ બાબતે વિચાર કરી લોકોને ધક્કા ન ખાવા પડે તેવી કોઈ વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.
બીજીતરફ ભરતભાઈ ગાંધી નામના સિનિયર સિટિઝને કહ્યું હતું કે મમતા દિવસે બંધની જાહેરાત પછી બીજા દિવસે વેક્સિન લેવા ગયો ત્યારે ફરીથી બે દિવસ બંધ હોવાનું જણાવાયું હતું. જેને લઈને આજે ચોથો ધક્કો ખાવો પડ્યો છે. સરકાર અને તંત્રની કામગીરીમાં હાલ આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને અમારા જેવા ઉંમરલાયક વ્યક્તિઓને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. ડોઝ ન હોય કે બંધ હોય તે દિવસે આવવાના મેસેજ ન આવે તેવી ગોઠવણ થવી જરૂરી હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં હાલ રસીના 78,500 ડોઝ આવ્યા છે, જેમાંથી રાજકોટ મહાનગરપાલિકાને 7500, તેમજ જિલ્લા માટે 7500 ડોઝની ફાળવણી કરવામાં આવી છે. અને બાકીના ડોઝ અન્ય જિલ્લામાં ફાળવી દેવાયા છે. જેને લઈને આજે તો જિલ્લાભરમાં રસીકરણ શરૂ થઈ ગયું છે. પરંતુ સૌરાષ્ટ્રમાં વેકસીન લેનારાઓની સંખ્યાના પ્રમાણમાં આ જથ્થો ઓછો હોવાથી જો નવો જથ્થો તાત્કાલિક નહીં આવે તો ફરીથી રસીકરણ બંધ રહેશે.