માસ્ક નહીં પહેરનાર તેમજ સોશિયલ ડિસન્સ નહીં જાળવનાર વ્યકતિ અન્ય લોકોના જીવને પણ જોખમમાં નાખે છે
રાજકોટના કાલાવાડ રોડ સ્થીત સ્વામીનારાયણ મંદિરની બાજુમાં આવેલી પ્રેમવતીમાં શખ્સ માસ્ક વગર બેઠેલો નજરે ચઢ્યો
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે ચર્ચાનો વિષય બન્યો
[caption id="attachment_1223562" align="aligncenter" width="1280"] Gujarat, Rajkot Premvati Restaurant[/caption]
Watchgujarat. શહેરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. અને લોકોને એક-એક શ્વાસ માટે પણ દોડધામ કરવી પડતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જો કે હાલ કોરોનાની બીજી લહેર શાંત થઈ છે. અને ત્રીજી લહેરની સંભાવના હોવાથી તંત્ર દ્વારા સઘન તૈયારિઓ કરવામાં આવી રહી છે. આ સાથે સરકાર દ્વારા પણ લોકોને માસ્ક અને સોશિયલ ડિસન્સ સહિતની ગાઈડલાઇનનું પાલન કરવાનો અનુરોધ કરાયો છે. પરંતુ કેટલાક લોકો આ નિયમોનું પાલન કરવામાં નહીં સમજીને બીજા હજારો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ ઘટના શહેરનાં કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલ પ્રેમવતીમાં સામે આવી છે. જેમાં અંદર રહેલો કર્મચારી માસ્ક વિના બેઠો હોવાથી જાગૃત નાગરિકે તેનો વિડીયો ઉતારી લીધો હતો. હાલ આ વિડીયો વાયરલ થતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
https://youtu.be/WjYDVtTKwHE
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પ્રેમવતી રેસ્ટોરન્ટ (Premvati Restaurant) અંદર લોકોને જમવાની વસ્તુ આપવા રહેલો વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બેઠો છે. જાગૃત નાગરિક દ્વારા તેને કહેવામાં આવે છે કે તમે માસ્ક નથી પહેર્યો એટલા માટે આ વિડીયો બનાવું છું. ત્યારે સામેવાળો વ્યક્તિ જાણે તેને નિયમોની કોઈ પડી જ ન હોય તેમ કહે છે કે હા, તમે વિડીયો બનાવીને જેને મોકલવો હોય તેને મોકલી શકો છો ! બાદમાં જાગૃત નાગરિક કહે છે કે, આ પ્રેમવતી રેસ્ટોરન્ટ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો મોટી સંખ્યામાં આવતા હોવા છતાં કર્મચારી માસ્ક પહેરવા તૈયાર નથી. ત્યારબાદ અન્ય એક કર્મચારી પણ માસ્ક વિના જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું અત્યંત આવશ્યક છે. અને માસ્ક નહીં પહેરનાર તેમજ સોશિયલ ડિસન્સ નહીં જાળવનાર વ્યકતિ અન્ય લોકોના જીવને પણ જોખમમાં નાખે છે. જેને લઈ પોલીસ તેમજ મહાનગરપાલિકા દ્વારા માસ્ક નહીં પહેરનાર પાસેથી રૂ. 1000 જેટલો મોટો દંડ પણ વસુલવામાં આવી રહ્યો છે. આમ છતાં કેટલાક નેતાઓ વારંવાર આ નિયમોનો ભંગ કરતા જોવા મળે છે. ત્યારે પોલીસ પણ તેની સામે કોઈ કાર્યવાહી કરતી નથી. જે જોઈને હવે લોકો પણ આ નેતાઓના પગલે ચાલીને સરેઆમ નિયમોનો ઉલાળીયો કરતા થયા છે. જો આમ જ ચાલશે તો કોરોનાની ત્રીજી લહેરમાં મોટી ખુવારી થશે તે નક્કી છે.
Gujarat, Rajkot Premvati Restaurant
માસ્ક નહીં પહેરનાર તેમજ સોશિયલ ડિસન્સ નહીં જાળવનાર વ્યકતિ અન્ય લોકોના જીવને પણ જોખમમાં નાખે છે
Watchgujarat. શહેરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. અને લોકોને એક-એક શ્વાસ માટે પણ દોડધામ કરવી પડતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જો કે હાલ કોરોનાની બીજી લહેર શાંત થઈ છે. અને ત્રીજી લહેરની સંભાવના હોવાથી તંત્ર દ્વારા સઘન તૈયારિઓ કરવામાં આવી રહી છે. આ સાથે સરકાર દ્વારા પણ લોકોને માસ્ક અને સોશિયલ ડિસન્સ સહિતની ગાઈડલાઇનનું પાલન કરવાનો અનુરોધ કરાયો છે. પરંતુ કેટલાક લોકો આ નિયમોનું પાલન કરવામાં નહીં સમજીને બીજા હજારો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ ઘટના શહેરનાં કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલ પ્રેમવતીમાં સામે આવી છે. જેમાં અંદર રહેલો કર્મચારી માસ્ક વિના બેઠો હોવાથી જાગૃત નાગરિકે તેનો વિડીયો ઉતારી લીધો હતો. હાલ આ વિડીયો વાયરલ થતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પ્રેમવતી રેસ્ટોરન્ટ (Premvati Restaurant) અંદર લોકોને જમવાની વસ્તુ આપવા રહેલો વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બેઠો છે. જાગૃત નાગરિક દ્વારા તેને કહેવામાં આવે છે કે તમે માસ્ક નથી પહેર્યો એટલા માટે આ વિડીયો બનાવું છું. ત્યારે સામેવાળો વ્યક્તિ જાણે તેને નિયમોની કોઈ પડી જ ન હોય તેમ કહે છે કે હા, તમે વિડીયો બનાવીને જેને મોકલવો હોય તેને મોકલી શકો છો ! બાદમાં જાગૃત નાગરિક કહે છે કે, આ પ્રેમવતી રેસ્ટોરન્ટ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો મોટી સંખ્યામાં આવતા હોવા છતાં કર્મચારી માસ્ક પહેરવા તૈયાર નથી. ત્યારબાદ અન્ય એક કર્મચારી પણ માસ્ક વિના જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું અત્યંત આવશ્યક છે. અને માસ્ક નહીં પહેરનાર તેમજ સોશિયલ ડિસન્સ નહીં જાળવનાર વ્યકતિ અન્ય લોકોના જીવને પણ જોખમમાં નાખે છે. જેને લઈ પોલીસ તેમજ મહાનગરપાલિકા દ્વારા માસ્ક નહીં પહેરનાર પાસેથી રૂ. 1000 જેટલો મોટો દંડ પણ વસુલવામાં આવી રહ્યો છે. આમ છતાં કેટલાક નેતાઓ વારંવાર આ નિયમોનો ભંગ કરતા જોવા મળે છે. ત્યારે પોલીસ પણ તેની સામે કોઈ કાર્યવાહી કરતી નથી. જે જોઈને હવે લોકો પણ આ નેતાઓના પગલે ચાલીને સરેઆમ નિયમોનો ઉલાળીયો કરતા થયા છે. જો આમ જ ચાલશે તો કોરોનાની ત્રીજી લહેરમાં મોટી ખુવારી થશે તે નક્કી છે.