જમીન પર પટકાતા ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી
ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે આરોપી રીક્ષા ચાલકને ઝડપી પાડવા તપાસ આદરી
WatchGujarat શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ફરી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં રૈયા રોડ પર અંતિમ ક્રિયા માટે બાઈક પર જતા દંપતિ રિક્ષા ચાલકની ઠોકરે ફંગોળાયા હતા. જેમાં જમીન પર પટકાતા પત્ની ગંભીર રીતે ઘાયલ બનતા તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે આરોપી રીક્ષા ચાલકને ઝડપી પાડવા તપાસ આદરી છે.
આ અંગે ભોગ બનનારનાં પતિ ગોપાલભાઈ સોલંકીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરી પોતાના ઘર-પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 3 માર્ચના રોજ પોતે મારી પત્ની નેહાબેન સાથે બાઈક પર કાકાના દીકરા સચીનભાઈની દિકરી નેન્સીબેની અંતિમક્રિયામાં જવા નિકળ્યા હતા.
https://youtu.be/WSO2AoreAxg
દરમિયાન રૈયારોડ કનૈયા ચોકથી આગળ અમર સેલ્સ એજન્સી નામની દુકાન પાસે પહોંચતા એક ઓટોરિક્ષા ચાલકે પાછળથી ઠોકર મારતા બાઈક પડી ગયું હતું. અને પોતે તેમજ પત્નિ રસ્તા પર ફંગોળાયા હતા. આ ઘટનામાં પત્નીને મોઢાની ડાબી બાજુની આંખ તથા કપાળ તેમજ માથાના ભાગે ઈજા થતા લોહીલુહાણ હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જો કે નેહાબેનની હાલત ગંભીર હોવાથી તેમને મોઢાની સર્જરી કરાવવા માટે અમદાવાદ ખસેડવામાં આવનાર છે.
સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાયછે કે, પતિ-પત્ની બંને બાઈક પર જઈ રહ્યા છે. ત્યારે પાછળથી એક રીક્ષાની ઠોકર લાગતા બંને બાઈક પરથી પડી જાય છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અને પત્ની ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ ગોપાલભાઈ સોલંકીએ કરેલી ફરિયાદને આધારે ગુનો નોંધી ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સીસીટીવીનાં આધારે આરોપી રિક્ષાચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
જમીન પર પટકાતા ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી
WatchGujarat શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ફરી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં રૈયા રોડ પર અંતિમ ક્રિયા માટે બાઈક પર જતા દંપતિ રિક્ષા ચાલકની ઠોકરે ફંગોળાયા હતા. જેમાં જમીન પર પટકાતા પત્ની ગંભીર રીતે ઘાયલ બનતા તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે આરોપી રીક્ષા ચાલકને ઝડપી પાડવા તપાસ આદરી છે.
આ અંગે ભોગ બનનારનાં પતિ ગોપાલભાઈ સોલંકીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરી પોતાના ઘર-પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 3 માર્ચના રોજ પોતે મારી પત્ની નેહાબેન સાથે બાઈક પર કાકાના દીકરા સચીનભાઈની દિકરી નેન્સીબેની અંતિમક્રિયામાં જવા નિકળ્યા હતા.
દરમિયાન રૈયારોડ કનૈયા ચોકથી આગળ અમર સેલ્સ એજન્સી નામની દુકાન પાસે પહોંચતા એક ઓટોરિક્ષા ચાલકે પાછળથી ઠોકર મારતા બાઈક પડી ગયું હતું. અને પોતે તેમજ પત્નિ રસ્તા પર ફંગોળાયા હતા. આ ઘટનામાં પત્નીને મોઢાની ડાબી બાજુની આંખ તથા કપાળ તેમજ માથાના ભાગે ઈજા થતા લોહીલુહાણ હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જો કે નેહાબેનની હાલત ગંભીર હોવાથી તેમને મોઢાની સર્જરી કરાવવા માટે અમદાવાદ ખસેડવામાં આવનાર છે.
સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાયછે કે, પતિ-પત્ની બંને બાઈક પર જઈ રહ્યા છે. ત્યારે પાછળથી એક રીક્ષાની ઠોકર લાગતા બંને બાઈક પરથી પડી જાય છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અને પત્ની ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ ગોપાલભાઈ સોલંકીએ કરેલી ફરિયાદને આધારે ગુનો નોંધી ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સીસીટીવીનાં આધારે આરોપી રિક્ષાચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.