મોરબી રોડ પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી
પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી
WatchGujarat શહેરનાં મોરબી રોડ પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બાઈકમાંથી ઉછળીને પુલ પરથી નીચે પટકાતા ઘટનાસ્થળે એક યુવકનું મોત નિપજ્યું છે. અકસ્માતને પગલે સ્થાનિકો એકઠા થઇ ગયા હતા અને પોલીસ તેમજ 108ને જાણ કરવામાં આવી હતી. જો કે 108ની ટીમે યુવકને મૃત જાહેર કર્યો છે. તેમજ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ વેલનાથ પરા બ્રીજ પર એક બાઈક રસ્તા પર પડેલું જોવા મળ્યું હતું. જેને પગલે સ્થાનિકો દોડી ગયા હતા. અને બ્રીજ નીચે જોતા એક યુવક પડ્યો હોવાનું સામે આવતા પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જો કે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ યુવકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. ઘટનાને પગલે ટ્રાફિકજામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા.
દુર્ઘટનાની જાણ થતાં દોડી ગયેલી સ્થાનિક પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતકનાં ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેના થકી તેનું નામ પૂજનરાજ નિલેશભાઈ ચાવડા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે પૂજનરાજનાં પરિવારને આ દુઃખદ ઘટનાની જાણકારી આપવા તેમજ તે બાઈકમાંથી બ્રીજ નીચે કઈ રીતે પટકાયો તે જાણવા તપાસ હાથ ધરી છે.
મોરબી રોડ પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી
પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી
WatchGujarat શહેરનાં મોરબી રોડ પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બાઈકમાંથી ઉછળીને પુલ પરથી નીચે પટકાતા ઘટનાસ્થળે એક યુવકનું મોત નિપજ્યું છે. અકસ્માતને પગલે સ્થાનિકો એકઠા થઇ ગયા હતા અને પોલીસ તેમજ 108ને જાણ કરવામાં આવી હતી. જો કે 108ની ટીમે યુવકને મૃત જાહેર કર્યો છે. તેમજ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ વેલનાથ પરા બ્રીજ પર એક બાઈક રસ્તા પર પડેલું જોવા મળ્યું હતું. જેને પગલે સ્થાનિકો દોડી ગયા હતા. અને બ્રીજ નીચે જોતા એક યુવક પડ્યો હોવાનું સામે આવતા પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જો કે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ યુવકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. ઘટનાને પગલે ટ્રાફિકજામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા.
દુર્ઘટનાની જાણ થતાં દોડી ગયેલી સ્થાનિક પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતકનાં ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેના થકી તેનું નામ પૂજનરાજ નિલેશભાઈ ચાવડા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે પૂજનરાજનાં પરિવારને આ દુઃખદ ઘટનાની જાણકારી આપવા તેમજ તે બાઈકમાંથી બ્રીજ નીચે કઈ રીતે પટકાયો તે જાણવા તપાસ હાથ ધરી છે.