ABVP નાં કાર્યકરો રાજકોટ જિલ્લાનાં ગામડાઓમાં લોકોની ઘરે ઘરે જઈને તેમનાં આરોગ્યની તપાસ કરી રહ્યા છે
ગુજરાતનાં કાર્યકરો દ્વારા રાજ્યનાં 1000 ગામડા સુધી પહોંચવા નિર્ણય
7 લોકોની ટીમ દ્વારા પડધરી તાલુકાના ઢોકળીયા ગામના 260 ઘરમાં રહેતા કુલ 1051 લોકોનું ઓક્સિજન લેવલ અને ટેમ્પરેચર માપી રિપોર્ટ તૈયાર કરી આરોગ્ય કેન્દ્રને સોંપશે
Watchgujarat. કોરોનાની બીજી લહેરમાં ગામડામાં વસતા લોકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. તેમજ મોટા શહેરોની તુલનાએ ગામડામાં આરોગ્યને લગતી સુવિધાઓ પણ ઓછી હોય છે. જેને ધ્યાનમાં રાખી ABVP દ્વારા ખાસ 'હારશે કોરોના જીતશે મારુ ગામ' નામે ગ્રામ સંજીવની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ABVP નાં કાર્યકરો રાજકોટ જિલ્લાનાં ગામડાઓમાં લોકોની ઘરે ઘરે જઈને તેમનાં આરોગ્યની તપાસ કરી રહ્યા છે. અને સાથે લોકોમાં કોરોનાનાં માસ્ક સહિતનાં નિયમો માટેની જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા ગ્રામ સંજીવની અભિયાન શરૂ કરાયું છે. જેમાં ગુજરાતનાં કાર્યકરો દ્વારા રાજ્યનાં 1000 ગામડા સુધી પહોંચવા નિર્ણય કરાયો છે. આ અભિયાનમાં ગામડાઓની અંદર ઘરે-ઘરે જઈ લોકોનું ઓક્સિજન લેવલ અને ટેમ્પરેચર માપશે. દરમિયાન જે લોકો શંકાસ્પદ લાગશે તેમનો ડેટા બનાવી ગામના પ્રથમિક આરોગ્ય કેન્દ્રને જાણ કરવામાં આવશે. ABVP દ્વારા અભિયાનનાં 'હારશે કોરોના જીતશે મારુ ગામ' નારાને સાર્થક કરવા માટે વધુને વધુ ગામ સુધી પહોંચવા પ્રયાસ કરાઈ રહ્યો છે.
આ અંગે રાજકોટ કોલેજ કેમ્પસનાં સહપ્રમૂખ મયંક ચોટાલિયાએ કહ્યું હતું કે, આજે અમારી 7 લોકોની ટીમ દ્વારા પડધરી તાલુકાના ઢોકળીયા ગામના 260 ઘરમાં રહેતા કુલ 1051 લોકોનું ઓક્સિજન લેવલ અને ટેમ્પરેચર માપી રિપોર્ટ તૈયાર કરી આરોગ્ય કેન્દ્રને સોંપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં અમારી ટીમ જિલ્લાનાં તમામ ગામોમાં ફરી વળશે. અને ગામડાનાં તમામ લોકોના આરોગ્યની તપાસ કરી કોરોનાનું નામો નિશાન મિટાવી દેવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.
ABVP નાં કાર્યકરો રાજકોટ જિલ્લાનાં ગામડાઓમાં લોકોની ઘરે ઘરે જઈને તેમનાં આરોગ્યની તપાસ કરી રહ્યા છે
ગુજરાતનાં કાર્યકરો દ્વારા રાજ્યનાં 1000 ગામડા સુધી પહોંચવા નિર્ણય
7 લોકોની ટીમ દ્વારા પડધરી તાલુકાના ઢોકળીયા ગામના 260 ઘરમાં રહેતા કુલ 1051 લોકોનું ઓક્સિજન લેવલ અને ટેમ્પરેચર માપી રિપોર્ટ તૈયાર કરી આરોગ્ય કેન્દ્રને સોંપશે
Watchgujarat. કોરોનાની બીજી લહેરમાં ગામડામાં વસતા લોકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. તેમજ મોટા શહેરોની તુલનાએ ગામડામાં આરોગ્યને લગતી સુવિધાઓ પણ ઓછી હોય છે. જેને ધ્યાનમાં રાખી ABVP દ્વારા ખાસ 'હારશે કોરોના જીતશે મારુ ગામ' નામે ગ્રામ સંજીવની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ABVP નાં કાર્યકરો રાજકોટ જિલ્લાનાં ગામડાઓમાં લોકોની ઘરે ઘરે જઈને તેમનાં આરોગ્યની તપાસ કરી રહ્યા છે. અને સાથે લોકોમાં કોરોનાનાં માસ્ક સહિતનાં નિયમો માટેની જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા ગ્રામ સંજીવની અભિયાન શરૂ કરાયું છે. જેમાં ગુજરાતનાં કાર્યકરો દ્વારા રાજ્યનાં 1000 ગામડા સુધી પહોંચવા નિર્ણય કરાયો છે. આ અભિયાનમાં ગામડાઓની અંદર ઘરે-ઘરે જઈ લોકોનું ઓક્સિજન લેવલ અને ટેમ્પરેચર માપશે. દરમિયાન જે લોકો શંકાસ્પદ લાગશે તેમનો ડેટા બનાવી ગામના પ્રથમિક આરોગ્ય કેન્દ્રને જાણ કરવામાં આવશે. ABVP દ્વારા અભિયાનનાં 'હારશે કોરોના જીતશે મારુ ગામ' નારાને સાર્થક કરવા માટે વધુને વધુ ગામ સુધી પહોંચવા પ્રયાસ કરાઈ રહ્યો છે.
આ અંગે રાજકોટ કોલેજ કેમ્પસનાં સહપ્રમૂખ મયંક ચોટાલિયાએ કહ્યું હતું કે, આજે અમારી 7 લોકોની ટીમ દ્વારા પડધરી તાલુકાના ઢોકળીયા ગામના 260 ઘરમાં રહેતા કુલ 1051 લોકોનું ઓક્સિજન લેવલ અને ટેમ્પરેચર માપી રિપોર્ટ તૈયાર કરી આરોગ્ય કેન્દ્રને સોંપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં અમારી ટીમ જિલ્લાનાં તમામ ગામોમાં ફરી વળશે. અને ગામડાનાં તમામ લોકોના આરોગ્યની તપાસ કરી કોરોનાનું નામો નિશાન મિટાવી દેવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.