શહેરમાં 5 ઈલેક્ટ્રીક સહિત 53 ચિતા ધરાવતા 7 સ્મશાનો કોવિડ માટે રિઝર્વ્ડ રાખ્યા
હાલમાં 18 શબવાહિની પૈકી 13 શબવાહિનીઓ કોવિડ ડેથ માટે અનામત રખાઈ
શહેરના સ્મશાનગૃહોમાં ગત ચોવીસ કલાકમાં ૨૦૦થી વધુ અગ્નિદાહ દેવાયા
WatchGujarat. કોરોના કાળમાં રાજકોટ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે બેડ અને ઓક્સિજનની સુવિધા કરી આપવામાં સ્થાનિક તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં બેડ મેળવવા માટે રોકડા રૂપિયાની લાંચ માંગવામાં આવે છે. અને ઓક્સિજન રીફીલ કરાવવા માટે કોરોના પોઝીટીવ દર્દીઓના પરિજનોએ કલાકો રાહ જોવી પડે છે. તંત્ર મોતને અટકાવી શકતું નથી પરંતુ, સ્મશાનોએ લાંબી કતારોને ઓછી કરવા મનપાએ સ્મશાનો વધાર્યા બાદ આજે મૃતદેહ લાવવા તાકીદે 5 શબવાહિનીઓની વ્યવસ્થા કરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાથી મૃત્યુ દરમાં વધારો થઈ રહ્યો છે. અવસાન પામનાર દર્દીના પરિવારજનોની પીડા વચ્ચે હોમ આઈસોલેશન કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના મૃત્યુના કેસમાં અંતિમવિધિમાં અડચણ ન થાય તે માટે આજે ડ્રાઈવર,હેલ્પર સાથે પાંચ નવી શબવાહિની મનપા દ્વારા શરુ કરાઈ છે. હાલમાં 18 શબવાહિની પૈકી 13 શબવાહિનીઓ કોવિડ ડેથ માટે અનામત રખાઈ છે. સાથે જ શહેરમાં 5 ઈલેક્ટ્રીક સહિત 53 ચિતા ધરાવતા 7 સ્મશાનો કોવિડ માટે રિઝર્વ્ડ રાખ્યા છે, ન્યારી ડેમ ,રામનાથપરામાં નવા સ્મશાનો શરુ કરવા સાથે કુલ 11 જેટલા સ્થળે કોવિડ સિવાયના મૃત્યુની અંતિમવિધિની વ્યવસ્થા કરવામાં આવી છે.
નોંધનીય છે કે, શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન ગુરુવારે 73, શુક્રવારે 51 અને શનિવારે 62ના મોત સરકારી ચોપડે જાહેર થયા છે. આમ સરકારના રિપોર્ટ મૂજબ બે દિવસમાં 113 અને ત્રણ દિવસમાં 186 મોત નોંધાયા છે. જો કે શહેરના સ્મશાનગૃહોમાં ગત ચોવીસ કલાકમાં ૨૦૦થી વધુ અગ્નિદાહ દેવાયા છે. જે અંગે બહારગામથી સારવાર માટે આવનારા દર્દીઓનું મૃત્યુ થતા અહીં જ અંતિમવિધિ કરવામાં આવતી હોવાનું કારણ તંત્ર દ્વારા અપાયું છે.
શહેરમાં 5 ઈલેક્ટ્રીક સહિત 53 ચિતા ધરાવતા 7 સ્મશાનો કોવિડ માટે રિઝર્વ્ડ રાખ્યા
શહેરના સ્મશાનગૃહોમાં ગત ચોવીસ કલાકમાં ૨૦૦થી વધુ અગ્નિદાહ દેવાયા
WatchGujarat. કોરોના કાળમાં રાજકોટ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે બેડ અને ઓક્સિજનની સુવિધા કરી આપવામાં સ્થાનિક તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં બેડ મેળવવા માટે રોકડા રૂપિયાની લાંચ માંગવામાં આવે છે. અને ઓક્સિજન રીફીલ કરાવવા માટે કોરોના પોઝીટીવ દર્દીઓના પરિજનોએ કલાકો રાહ જોવી પડે છે. તંત્ર મોતને અટકાવી શકતું નથી પરંતુ, સ્મશાનોએ લાંબી કતારોને ઓછી કરવા મનપાએ સ્મશાનો વધાર્યા બાદ આજે મૃતદેહ લાવવા તાકીદે 5 શબવાહિનીઓની વ્યવસ્થા કરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાથી મૃત્યુ દરમાં વધારો થઈ રહ્યો છે. અવસાન પામનાર દર્દીના પરિવારજનોની પીડા વચ્ચે હોમ આઈસોલેશન કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના મૃત્યુના કેસમાં અંતિમવિધિમાં અડચણ ન થાય તે માટે આજે ડ્રાઈવર,હેલ્પર સાથે પાંચ નવી શબવાહિની મનપા દ્વારા શરુ કરાઈ છે. હાલમાં 18 શબવાહિની પૈકી 13 શબવાહિનીઓ કોવિડ ડેથ માટે અનામત રખાઈ છે. સાથે જ શહેરમાં 5 ઈલેક્ટ્રીક સહિત 53 ચિતા ધરાવતા 7 સ્મશાનો કોવિડ માટે રિઝર્વ્ડ રાખ્યા છે, ન્યારી ડેમ ,રામનાથપરામાં નવા સ્મશાનો શરુ કરવા સાથે કુલ 11 જેટલા સ્થળે કોવિડ સિવાયના મૃત્યુની અંતિમવિધિની વ્યવસ્થા કરવામાં આવી છે.
નોંધનીય છે કે, શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન ગુરુવારે 73, શુક્રવારે 51 અને શનિવારે 62ના મોત સરકારી ચોપડે જાહેર થયા છે. આમ સરકારના રિપોર્ટ મૂજબ બે દિવસમાં 113 અને ત્રણ દિવસમાં 186 મોત નોંધાયા છે. જો કે શહેરના સ્મશાનગૃહોમાં ગત ચોવીસ કલાકમાં ૨૦૦થી વધુ અગ્નિદાહ દેવાયા છે. જે અંગે બહારગામથી સારવાર માટે આવનારા દર્દીઓનું મૃત્યુ થતા અહીં જ અંતિમવિધિ કરવામાં આવતી હોવાનું કારણ તંત્ર દ્વારા અપાયું છે.