પોલીસ કર્મચારીઓને ફરજ, બંદોબસ્તની જગ્યાએ સ્ટેન્ડ ટુ રહેવા આદેશ
જર્જરીત ક્વાર્ટર, આવાસના રહેવાસીઓનું કોમ્યુનીટી હોલ અને સરકારી શાળાઓમાં સ્થળાંતર કરવાની કામગીરી ચાલુ
ઓક્સિજન સપ્લાય માટે થઈ રાજકોટથી પસાર થતાં વાહનોને કોઇ મુશ્કેલી ન પડે એ માટે ગ્રીન કોરીડોર બનાવાયા
વાવાઝોડાની અસરના કારણે વિજળી ગુલ થવાની પૂરી સંભાવના હોવાથી તમામ પોલીસ મથકમાં જનરેટરની વ્યવસ્થા રાખવા આદેશ
Watchgujarat. સૌરાષ્ટ્ર-કચ્છનાં જુદા-જુદા આંઠ જિલ્લામાં તૌકતે વાવાઝોડાનું સંકટ ઘેરુ બન્યું છે. જેને પગલે તંત્ર સજ્જ બન્યું છે. અને શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પણ પોતાનો એક્શન પ્લાન જાહેર કર્યો છે. જે અંતર્ગત આજે બપોરથી આગામી 48 કલાક માટે તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. તેમજ પોલીસ કર્મચારીઓને ફરજ, બંદોબસ્તની જગ્યાએ સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કર્યો છે. આ સમય દરમિયાન કર્મચારી સહિત અધિકારીઓને ઘરે જવાની પણ મનાઇ ફરમાવી છે. જેને પગલે પોલીસ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ, જીઆરડી અને એસઆરપી જવાનો ,મળી 3 હજાર અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે. તો જર્જરીત ક્વાર્ટર, આવાસના રહેવાસીઓનું કોમ્યુનીટી હોલ અને સરકારી શાળાઓમાં સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. શહેરીજનોને આજ બપોરથી 19 મેની સવાર સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરવામાં આવી છે.
https://youtu.be/3lKeCRZpqRY
પોલીસ કમિશ્નરનાં જણાવ્યા મુજબ, શહેરમાં તૌકતે વાવાઝોડાને લઇને કોઇ જાનહાની ન થાય એ માટે તે માટે સાવચેતીના તમામ પગલાં લેવાયા છે. આ વિકટ પરિસ્થિતીમાં કોઇ જાનહાની, ખુવારી ન થાય એ માટે તમામ વિસ્તારમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રહેશે. ઉપરાંત ઝાડ, થાંભલા ધરાશઇ થાય તેવા સંજોગોમાં ત્વરીત કામગીરી માટેની ક્રેઇનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે-સાથે જામગનર-અમદાવાદ સહિતના શહેરોમાં ઓક્સિજન સપ્લાય માટે થઈ રાજકોટથી પસાર થતાં વાહનોને કોઇ મુશ્કેલી ન પડે એ માટે ગ્રીન કોરીડોર બનાવવાની સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી છે. પોલીસ તંત્ર આવનારી કોઇ પણ પરિસ્થિતીને પહોંચી વળવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, તમામ પોલીસ મથકમાં હોમગાર્ડ, વોર્ડન ફાળવાયા છે. સાથે જ પોલીસ કમિશ્નર દ્વારા વિકટ સ્થિતને પહોંચી વળવા શું -શું તૈયારી રાખવી ? એ અંગે દરેક પોલીસ મથકના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની અસરના કારણે વિજળી ગુલ થવાની પૂરી સંભાવના હોવાથી તમામ પોલીસ મથકમાં જનરેટરની વ્યવસ્થા રાખવા આદેશ કર્યો છે. એટલું જ નહીં અસરગ્રસ્તોના સ્થળાંતરની જરૂરિયાત પડે તો ક્યાં રાખવા? એ માટે પોત પોતાની હદમાં આવતા કોમ્યુનીટી હોલ, સમાજની વાડીઓ ઉપરાંત ભોજનની વ્યવસ્થા માટે સેવાભાવી સંસ્થાઓ અને એન.જી.ઓ.ની યાદી બનાવીને તેમના સંપર્કમાં રહેવા સૂચના અપાઈ છે.
ઉપરાંત જરૂર જણાયે મદદ માટે કુશળ તરવૈયાઓને તૈયાર રખાયા છે. તો વાવાઝોડાની સૌથી વધુ અસર ખખડધજ મકાન, ક્વાર્ટરના રહેવાસીઓ ઉપર થવાની સંભાવના વધી જાય છે. પોલીસ દ્વારા કોઠારીયા રોડ વિસ્તારના અતિ, જર્જરીત અને ભયજનક ક્વાર્ટરમાં વસવાટ કરતા રહેવાસીઓને આજે બપોર સુધીમાં તમામ ક્વાર્ટર ખાલી કરી દેવા માઇકથી સૂચના અપાઇ છે. સ્થળાંતર માટે સરકારી શાળા અને કોમ્યુમનિટી હોલમાં રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આમ વહીવટી અને મનપા તંત્ર સાથે પોલીસ તંત્ર પણ સતત ખડેપગે છે.
જર્જરીત ક્વાર્ટર, આવાસના રહેવાસીઓનું કોમ્યુનીટી હોલ અને સરકારી શાળાઓમાં સ્થળાંતર કરવાની કામગીરી ચાલુ
ઓક્સિજન સપ્લાય માટે થઈ રાજકોટથી પસાર થતાં વાહનોને કોઇ મુશ્કેલી ન પડે એ માટે ગ્રીન કોરીડોર બનાવાયા
વાવાઝોડાની અસરના કારણે વિજળી ગુલ થવાની પૂરી સંભાવના હોવાથી તમામ પોલીસ મથકમાં જનરેટરની વ્યવસ્થા રાખવા આદેશ
Watchgujarat. સૌરાષ્ટ્ર-કચ્છનાં જુદા-જુદા આંઠ જિલ્લામાં તૌકતે વાવાઝોડાનું સંકટ ઘેરુ બન્યું છે. જેને પગલે તંત્ર સજ્જ બન્યું છે. અને શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પણ પોતાનો એક્શન પ્લાન જાહેર કર્યો છે. જે અંતર્ગત આજે બપોરથી આગામી 48 કલાક માટે તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. તેમજ પોલીસ કર્મચારીઓને ફરજ, બંદોબસ્તની જગ્યાએ સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કર્યો છે. આ સમય દરમિયાન કર્મચારી સહિત અધિકારીઓને ઘરે જવાની પણ મનાઇ ફરમાવી છે. જેને પગલે પોલીસ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ, જીઆરડી અને એસઆરપી જવાનો ,મળી 3 હજાર અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે. તો જર્જરીત ક્વાર્ટર, આવાસના રહેવાસીઓનું કોમ્યુનીટી હોલ અને સરકારી શાળાઓમાં સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. શહેરીજનોને આજ બપોરથી 19 મેની સવાર સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નરનાં જણાવ્યા મુજબ, શહેરમાં તૌકતે વાવાઝોડાને લઇને કોઇ જાનહાની ન થાય એ માટે તે માટે સાવચેતીના તમામ પગલાં લેવાયા છે. આ વિકટ પરિસ્થિતીમાં કોઇ જાનહાની, ખુવારી ન થાય એ માટે તમામ વિસ્તારમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રહેશે. ઉપરાંત ઝાડ, થાંભલા ધરાશઇ થાય તેવા સંજોગોમાં ત્વરીત કામગીરી માટેની ક્રેઇનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે-સાથે જામગનર-અમદાવાદ સહિતના શહેરોમાં ઓક્સિજન સપ્લાય માટે થઈ રાજકોટથી પસાર થતાં વાહનોને કોઇ મુશ્કેલી ન પડે એ માટે ગ્રીન કોરીડોર બનાવવાની સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી છે. પોલીસ તંત્ર આવનારી કોઇ પણ પરિસ્થિતીને પહોંચી વળવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, તમામ પોલીસ મથકમાં હોમગાર્ડ, વોર્ડન ફાળવાયા છે. સાથે જ પોલીસ કમિશ્નર દ્વારા વિકટ સ્થિતને પહોંચી વળવા શું -શું તૈયારી રાખવી ? એ અંગે દરેક પોલીસ મથકના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની અસરના કારણે વિજળી ગુલ થવાની પૂરી સંભાવના હોવાથી તમામ પોલીસ મથકમાં જનરેટરની વ્યવસ્થા રાખવા આદેશ કર્યો છે. એટલું જ નહીં અસરગ્રસ્તોના સ્થળાંતરની જરૂરિયાત પડે તો ક્યાં રાખવા? એ માટે પોત પોતાની હદમાં આવતા કોમ્યુનીટી હોલ, સમાજની વાડીઓ ઉપરાંત ભોજનની વ્યવસ્થા માટે સેવાભાવી સંસ્થાઓ અને એન.જી.ઓ.ની યાદી બનાવીને તેમના સંપર્કમાં રહેવા સૂચના અપાઈ છે.
ઉપરાંત જરૂર જણાયે મદદ માટે કુશળ તરવૈયાઓને તૈયાર રખાયા છે. તો વાવાઝોડાની સૌથી વધુ અસર ખખડધજ મકાન, ક્વાર્ટરના રહેવાસીઓ ઉપર થવાની સંભાવના વધી જાય છે. પોલીસ દ્વારા કોઠારીયા રોડ વિસ્તારના અતિ, જર્જરીત અને ભયજનક ક્વાર્ટરમાં વસવાટ કરતા રહેવાસીઓને આજે બપોર સુધીમાં તમામ ક્વાર્ટર ખાલી કરી દેવા માઇકથી સૂચના અપાઇ છે. સ્થળાંતર માટે સરકારી શાળા અને કોમ્યુમનિટી હોલમાં રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આમ વહીવટી અને મનપા તંત્ર સાથે પોલીસ તંત્ર પણ સતત ખડેપગે છે.