મનપામાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ સિનિયર નેતાઓ ઉપરાંત દાવેદારોમાં પણ નારાજગી જોવા મળી
સિનિયોરિટી મુજબ ટિકિટ નહીં આપો તો ભાજપ ભાંગી પડશે. - નરેન્દ્ર રાઠોડ
ગેરશિસ્ત બદલ કડક કાર્યવાહી કરાતા વિરોધ કરનારાઓમાં સોપો પડી ગયો
WatchGujarat. કોર્પોરેશનની ચૂંટણીને લઈ આજે ભાજપ દ્વારા તમામ 72 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. પરંતુ નામો જાહેર થતાની સાથે જ કાર્યકરોમાં રહેલો આંતરિક રોષ બહાર આવ્યો છે. અને અસંતોષ છાપરે ચડીને પોકારી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.નામ જાહેર થયા બાદ વોર્ડ નં.14નાં BJP પ્રમુખ કાર્યાલયે દોડી ગયા હતા. દરમિયાન શહેર પ્રમુખની ચેમ્બરમાં ઘુસી ગયા જઈ રાજીનામાંની ધમકી આપી અપશબ્દો કહેતા રાજકારણ ગરમાયું છે.
રાજકોટ મનપામાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ સિનિયર નેતાઓ ઉપરાંત દાવેદારોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જે અંતર્ગત વોર્ડ નંબર 14ના ભાજપના પ્રમુખ અનિષ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને રાજીનામાની ચિમકી આપી ગાળો ભાંડી હતી. બાદમાં નારાજ થઇને ભાજપનું કાર્યાલય છોડી જતા રહ્યાં હતા. અનિષ જોશીની નારાજગીથી શહેર પ્રમુખ, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના દિગ્ગજો દોડી આવ્યા હતા. અને કાર્યાલયની ઓફિસનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો.
બીજીતરફ ભાજપના અન્ય એક સિનિયર નેતા અને ટીકીટનાં પ્રબળ દાવેદાર નરેન્દ્ર રાઠોડે કહ્યું હતું કે, ખૂબ મહેનતથી કામ કરવા છતાં 3 વર્ષથી મારી ઘોર ઉપેક્ષા થઇ રહી છે. ગઇકાલે પણ હું શહેર ભાજપનાં પ્રમુખ કમલેશ મીરાણી તેમજ ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજને મળ્યો હતો. અને આ અંગે ચર્ચા કરાયા બાદ તેઓએ સિનિયોરિટી મુજબ ટિકિટ આપવાની હા પાડી હતી. પ્રદેશ અધ્યક્ષ પાટીલને પણ મારી વિનંતી છે કે, સિનિયોરિટી મુજબ ટિકિટ નહીં આપો તો ભાજપ ભાંગી પડશે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા રાજકોટનાં તમામ 72 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. તમામ ઉમેદવારો આવતીકાલે બહુમાળી ચોકમાં આયોજિત સમારંભમાં સંબોધન કર્યા બાદ બપોરે 12:39નાં વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. આ માટે તમામ તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજીતરફ સિનિયર નેતાઓ ઉપરાંત દાવેદારોમાં વિરોધનો સુર ઉઠી રહ્યો છે. ત્યારે ઉમેદવારોને ફોર્મ ભરવામાં કોઈ વિઘ્ન નડે છે કે કેમ તે જોવું રહ્યું
ગેરશિસ્ત બદલ બે કાર્યકર્તાઓને બરતરફ કરાયા
શુક્રવારે ટીકીટની જાહેરાત કરાતા દાવેદારોમાં રોષની લાગણી જોવા મળી રહી હતી. રાજકોટ-RMC માટે ભાજપના ઉમેદવારની જાહેરાત બાદ ગેરશિસ્ત બદલ શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ બે આગેવાનને કર્યા હતા. જેમાં વોર્ડ નંબર 14ના પ્રમુખ અનિષ જોશી અને વોર્ડ નંબર 17ના આગેવાન નરેન્દ્ર રાઠોડને સસ્પેન્ડ કરાયા. પાર્ટી દ્વારા શિસ્તભંગ બદલ કરવામાં આવેલી કાર્યવાહી દાખલારૂપ રહેશે.
મનપામાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ સિનિયર નેતાઓ ઉપરાંત દાવેદારોમાં પણ નારાજગી જોવા મળી
સિનિયોરિટી મુજબ ટિકિટ નહીં આપો તો ભાજપ ભાંગી પડશે. - નરેન્દ્ર રાઠોડ
WatchGujarat. કોર્પોરેશનની ચૂંટણીને લઈ આજે ભાજપ દ્વારા તમામ 72 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. પરંતુ નામો જાહેર થતાની સાથે જ કાર્યકરોમાં રહેલો આંતરિક રોષ બહાર આવ્યો છે. અને અસંતોષ છાપરે ચડીને પોકારી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.નામ જાહેર થયા બાદ વોર્ડ નં.14નાં BJP પ્રમુખ કાર્યાલયે દોડી ગયા હતા. દરમિયાન શહેર પ્રમુખની ચેમ્બરમાં ઘુસી ગયા જઈ રાજીનામાંની ધમકી આપી અપશબ્દો કહેતા રાજકારણ ગરમાયું છે.
રાજકોટ મનપામાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ સિનિયર નેતાઓ ઉપરાંત દાવેદારોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જે અંતર્ગત વોર્ડ નંબર 14ના ભાજપના પ્રમુખ અનિષ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને રાજીનામાની ચિમકી આપી ગાળો ભાંડી હતી. બાદમાં નારાજ થઇને ભાજપનું કાર્યાલય છોડી જતા રહ્યાં હતા. અનિષ જોશીની નારાજગીથી શહેર પ્રમુખ, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના દિગ્ગજો દોડી આવ્યા હતા. અને કાર્યાલયની ઓફિસનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો.
બીજીતરફ ભાજપના અન્ય એક સિનિયર નેતા અને ટીકીટનાં પ્રબળ દાવેદાર નરેન્દ્ર રાઠોડે કહ્યું હતું કે, ખૂબ મહેનતથી કામ કરવા છતાં 3 વર્ષથી મારી ઘોર ઉપેક્ષા થઇ રહી છે. ગઇકાલે પણ હું શહેર ભાજપનાં પ્રમુખ કમલેશ મીરાણી તેમજ ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજને મળ્યો હતો. અને આ અંગે ચર્ચા કરાયા બાદ તેઓએ સિનિયોરિટી મુજબ ટિકિટ આપવાની હા પાડી હતી. પ્રદેશ અધ્યક્ષ પાટીલને પણ મારી વિનંતી છે કે, સિનિયોરિટી મુજબ ટિકિટ નહીં આપો તો ભાજપ ભાંગી પડશે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા રાજકોટનાં તમામ 72 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. તમામ ઉમેદવારો આવતીકાલે બહુમાળી ચોકમાં આયોજિત સમારંભમાં સંબોધન કર્યા બાદ બપોરે 12:39નાં વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. આ માટે તમામ તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજીતરફ સિનિયર નેતાઓ ઉપરાંત દાવેદારોમાં વિરોધનો સુર ઉઠી રહ્યો છે. ત્યારે ઉમેદવારોને ફોર્મ ભરવામાં કોઈ વિઘ્ન નડે છે કે કેમ તે જોવું રહ્યું
ગેરશિસ્ત બદલ બે કાર્યકર્તાઓને બરતરફ કરાયા
શુક્રવારે ટીકીટની જાહેરાત કરાતા દાવેદારોમાં રોષની લાગણી જોવા મળી રહી હતી. રાજકોટ-RMC માટે ભાજપના ઉમેદવારની જાહેરાત બાદ ગેરશિસ્ત બદલ શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ બે આગેવાનને કર્યા હતા. જેમાં વોર્ડ નંબર 14ના પ્રમુખ અનિષ જોશી અને વોર્ડ નંબર 17ના આગેવાન નરેન્દ્ર રાઠોડને સસ્પેન્ડ કરાયા. પાર્ટી દ્વારા શિસ્તભંગ બદલ કરવામાં આવેલી કાર્યવાહી દાખલારૂપ રહેશે.