એકમો થેરાપી સહિત ટ્રીટમેન્ટની જરૂરિયાત ઉભી થતા દર્દીઓને એર એમ્બ્યુલન્સ મદદથી દિલ્લી, ચેન્નાઈ તેમજ હૈદરાબાદ ખસેડવામાં આવી રહ્યા છે - એરપોર્ટનાં ડિરેક્ટર દિગંત બોરાહ
કોઈપણ ગંભીર દર્દીને એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવા માટે એરલાઇન્સનાં નંબર પર સંપર્ક કરી એર એમ્બ્યુલન્સનું બુકીંગ કરાવવું પડે
મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થતા જ એર એમ્બ્યુલન્સની મદદથી માત્ર દોઢ કલાકમાં દર્દીને જે-તે જગ્યાએ પહોંચાડી દેવામાં આવે
Watchgujarat. શહેરમાં કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે. અને ગંભીર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે સ્વજનનો જીવ બચાવવા માટે લોકો તેઓનો ઈલાજ દિલ્હી તેમજ ચેન્નાઈમાં કરાવવાનું પસંદ કરી રહ્યા છે. રાજકોટ કરતા ત્યાં વધુ સારી સારવાર મળતી હોવાની શક્યતાએ સુખી-સંપન્ન લોકો દર્દીને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી - ચેન્નાઈ લઈ જઈ રહ્યા છે. જેમાં દિલ્હી શિફ્ટિંગ માટે 14 લાખ અને ચેન્નાઈ માટે 22 લાખ રૂપિયા જેવી તગડી ફી વસુલવામાં આવી રહી છે. આ કોરોના કાળ દરમિયાન મેં મહિનામાં બે મળીને અત્યાર સુધીમાં 15 જેટલા દર્દીઓને આ રીતે શિફ્ટ કરવામાં આવી ચુક્યા છે.
રાજકોટ એરપોર્ટનાં ડિરેક્ટર દિગંત બોરાહનાં કહેવા મુજબ, એકમો થેરાપી સહિત ટ્રીટમેન્ટની જરૂરિયાત ઉભી થતા દર્દીઓને એર એમ્બ્યુલન્સ મદદથી દિલ્લી, ચેન્નાઈ તેમજ હૈદરાબાદ ખસેડવામાં આવી રહ્યા છે. અગાઉ દર મહિને 4 દર્દીને એર એમ્બ્યુલન્સ મારફત અન્ય જગ્યા પર ખસેડવામાં આવતા હતા. પરંતુ ગત એપ્રિલ માસમાં આ સંખ્યા વધીને એક જ માસમાં 13 ઉપર પહોંચી છે. જેમાં 8 કોરોના અને 5 નોન કોવિડ દર્દીઓ સામેલ છે. તો મેં મહિનામાં 4 દિવસ દરમિયાન એક કોવિડ તેમજ એક નોન કોવિડ મળી કુલ 2 દર્દીને એર એમ્બ્યુલન્સ મારફત ખસેડવામાં આવી ચુક્યા છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, કોઈપણ ગંભીર દર્દીને એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવા માટે એરલાઇન્સનાં નંબર પર સંપર્ક કરી એર એમ્બ્યુલન્સનું બુકીંગ કરાવવું પડે છે. ત્યારબાદ જે-તે એર લાઇન્સ રાજકોટ એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી માંગે છે અને બાદમાં મુંબઇ સ્થિત હેડ ઓફીસની એપૃવલ લેવામાં આવે છે. આ તમામ પ્રક્રિયામાં 3 કલાક જેટલો સમય લાગે છે. મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થતા જ એર એમ્બ્યુલન્સની મદદથી માત્ર દોઢ કલાકમાં દર્દીને જે-તે જગ્યાએ પહોંચાડી દેવામાં આવે છે. હાલ દિલ્હીમાં શિફ્ટિંગ માટે 14 લાખ અને ચેન્નાઈ માટે રૂ. 22 લાખ જેટલો ખર્ચ થતો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
એકમો થેરાપી સહિત ટ્રીટમેન્ટની જરૂરિયાત ઉભી થતા દર્દીઓને એર એમ્બ્યુલન્સ મદદથી દિલ્લી, ચેન્નાઈ તેમજ હૈદરાબાદ ખસેડવામાં આવી રહ્યા છે - એરપોર્ટનાં ડિરેક્ટર દિગંત બોરાહ
કોઈપણ ગંભીર દર્દીને એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવા માટે એરલાઇન્સનાં નંબર પર સંપર્ક કરી એર એમ્બ્યુલન્સનું બુકીંગ કરાવવું પડે
મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થતા જ એર એમ્બ્યુલન્સની મદદથી માત્ર દોઢ કલાકમાં દર્દીને જે-તે જગ્યાએ પહોંચાડી દેવામાં આવે
Watchgujarat. શહેરમાં કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે. અને ગંભીર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે સ્વજનનો જીવ બચાવવા માટે લોકો તેઓનો ઈલાજ દિલ્હી તેમજ ચેન્નાઈમાં કરાવવાનું પસંદ કરી રહ્યા છે. રાજકોટ કરતા ત્યાં વધુ સારી સારવાર મળતી હોવાની શક્યતાએ સુખી-સંપન્ન લોકો દર્દીને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી - ચેન્નાઈ લઈ જઈ રહ્યા છે. જેમાં દિલ્હી શિફ્ટિંગ માટે 14 લાખ અને ચેન્નાઈ માટે 22 લાખ રૂપિયા જેવી તગડી ફી વસુલવામાં આવી રહી છે. આ કોરોના કાળ દરમિયાન મેં મહિનામાં બે મળીને અત્યાર સુધીમાં 15 જેટલા દર્દીઓને આ રીતે શિફ્ટ કરવામાં આવી ચુક્યા છે.
રાજકોટ એરપોર્ટનાં ડિરેક્ટર દિગંત બોરાહનાં કહેવા મુજબ, એકમો થેરાપી સહિત ટ્રીટમેન્ટની જરૂરિયાત ઉભી થતા દર્દીઓને એર એમ્બ્યુલન્સ મદદથી દિલ્લી, ચેન્નાઈ તેમજ હૈદરાબાદ ખસેડવામાં આવી રહ્યા છે. અગાઉ દર મહિને 4 દર્દીને એર એમ્બ્યુલન્સ મારફત અન્ય જગ્યા પર ખસેડવામાં આવતા હતા. પરંતુ ગત એપ્રિલ માસમાં આ સંખ્યા વધીને એક જ માસમાં 13 ઉપર પહોંચી છે. જેમાં 8 કોરોના અને 5 નોન કોવિડ દર્દીઓ સામેલ છે. તો મેં મહિનામાં 4 દિવસ દરમિયાન એક કોવિડ તેમજ એક નોન કોવિડ મળી કુલ 2 દર્દીને એર એમ્બ્યુલન્સ મારફત ખસેડવામાં આવી ચુક્યા છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, કોઈપણ ગંભીર દર્દીને એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવા માટે એરલાઇન્સનાં નંબર પર સંપર્ક કરી એર એમ્બ્યુલન્સનું બુકીંગ કરાવવું પડે છે. ત્યારબાદ જે-તે એર લાઇન્સ રાજકોટ એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી માંગે છે અને બાદમાં મુંબઇ સ્થિત હેડ ઓફીસની એપૃવલ લેવામાં આવે છે. આ તમામ પ્રક્રિયામાં 3 કલાક જેટલો સમય લાગે છે. મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થતા જ એર એમ્બ્યુલન્સની મદદથી માત્ર દોઢ કલાકમાં દર્દીને જે-તે જગ્યાએ પહોંચાડી દેવામાં આવે છે. હાલ દિલ્હીમાં શિફ્ટિંગ માટે 14 લાખ અને ચેન્નાઈ માટે રૂ. 22 લાખ જેટલો ખર્ચ થતો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.