હવે 7 માર્ચથી સીધુ હૈદરાબાદ જવા માટે પણ ફ્લાઈટ શરૂ થશે
એપ્રિલ મહિનાથી શહેરના આકાશ પર રોજ 14 કલાકમાં 12 વિમાનોની ઉડાઉડ જોવા મળશે
રાજકોટથી સુરત, અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આબુ અંબાજી, હરિદ્વાર-ઋષિકેશ જેવા સ્થળોએ પણ મોટી સંખ્યામાં મુસાફરો મળી શકશે
WatchGujarat. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટને અંતે વિમાની સેવાઓ મળવાનું શરૂ થયું છે. ચેમ્બર ઓફ કોમર્સ સહિત અનેક સંસ્થાઓની દ્વારા વારંવારની રજૂઆતને લઈને રાજકોટથી દિલ્હી, મુંબઈ તેમજ બેંગ્લોર જવા માટે ફ્લાઈટ સર્વિસ શરૂ કરવામાં આવી ચૂકી છે. ત્યારે હવે 7 માર્ચથી સીધુ હૈદરાબાદ જવા માટે પણ ફ્લાઈટ શરૂ થનાર છે. એટલું જ નહીં એપ્રિલ મહિનાથી શહેરના આકાશ પર રોજ 14 કલાકમાં 12 વિમાનોની ઉડાઉડ જોવા મળશે. જેને પગલે એકસમયે સુમસામ રહેતા એરપોર્ટ પર હજારોની અવરજવર થતી જોવાશે.
આ અંગે એરપોર્ટ ડાયરેક્ટર દિંગત બોહરાએ જણાવ્યું કે ક્રમશ: ફ્લાઈટ વધી રહી છે અને હૈદ્રાબાદ ઉપરાંત મુંબઈથી રાજકોટ અવરજવર વિશેષ રહેતી હોય વધુ બે ફ્લાઈટ તા.18 માર્ચ સુધીમાં શરૂ થશે. તા.28 માર્ચ સુધીમાં રાજકોટથી હૈદ્રાબાદ માટે 2, દિલ્હી માટે 4, મુંબઈ માટે 4, બેંગ્લોર માટે 2 સહિત દરરોજની 12 ફ્લાઈટ સવારના 6:40થી લઈ રાત્રિના 8:15 વચ્ચેના સમયમાં શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટનું એરપોર્ટ શહેરની મધ્યે રેસકોર્સ પાસે આવેલું છે. ત્યાં એક સમયે ફ્લાઈટના અભાવે સૂમસામ ભાસતું હતું. ત્યાં એપ્રિલ માસથી દૈનિક 10-12 હજાર જેટલા મુસાફરો તેમજ તેમના સંબંધીઓની અવરજવર જોવા મળશે. આ ફ્લાઈટ સમયસર ચાલે અને તેના ભાવ વાજબી રખાય તો સર્વિસ નફાકારક રીતે ચાલી શકે તેમ છે. ઉપરાંત હજુ રાજકોટથી સુરત, અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આબુ અંબાજી, હરિદ્વાર-ઋષિકેશ જેવા સ્થળોએ પણ મોટી સંખ્યામાં મુસાફરો મળી શકે તેમ છે. ત્યારે આગામી સમયમાં આ બધા સ્થળોએ ફ્લાઈટ શરૂ કરવામાં આવે તો એરપોર્ટ નાનું પડશે. અને એટલે જ શહેરનાં હીરાસર ખાતે ફાઈવસ્ટાર હોટલ સમાન નવું એરપોર્ટ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યું છે.
હવે 7 માર્ચથી સીધુ હૈદરાબાદ જવા માટે પણ ફ્લાઈટ શરૂ થશે
એપ્રિલ મહિનાથી શહેરના આકાશ પર રોજ 14 કલાકમાં 12 વિમાનોની ઉડાઉડ જોવા મળશે
રાજકોટથી સુરત, અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આબુ અંબાજી, હરિદ્વાર-ઋષિકેશ જેવા સ્થળોએ પણ મોટી સંખ્યામાં મુસાફરો મળી શકશે
WatchGujarat. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટને અંતે વિમાની સેવાઓ મળવાનું શરૂ થયું છે. ચેમ્બર ઓફ કોમર્સ સહિત અનેક સંસ્થાઓની દ્વારા વારંવારની રજૂઆતને લઈને રાજકોટથી દિલ્હી, મુંબઈ તેમજ બેંગ્લોર જવા માટે ફ્લાઈટ સર્વિસ શરૂ કરવામાં આવી ચૂકી છે. ત્યારે હવે 7 માર્ચથી સીધુ હૈદરાબાદ જવા માટે પણ ફ્લાઈટ શરૂ થનાર છે. એટલું જ નહીં એપ્રિલ મહિનાથી શહેરના આકાશ પર રોજ 14 કલાકમાં 12 વિમાનોની ઉડાઉડ જોવા મળશે. જેને પગલે એકસમયે સુમસામ રહેતા એરપોર્ટ પર હજારોની અવરજવર થતી જોવાશે.
આ અંગે એરપોર્ટ ડાયરેક્ટર દિંગત બોહરાએ જણાવ્યું કે ક્રમશ: ફ્લાઈટ વધી રહી છે અને હૈદ્રાબાદ ઉપરાંત મુંબઈથી રાજકોટ અવરજવર વિશેષ રહેતી હોય વધુ બે ફ્લાઈટ તા.18 માર્ચ સુધીમાં શરૂ થશે. તા.28 માર્ચ સુધીમાં રાજકોટથી હૈદ્રાબાદ માટે 2, દિલ્હી માટે 4, મુંબઈ માટે 4, બેંગ્લોર માટે 2 સહિત દરરોજની 12 ફ્લાઈટ સવારના 6:40થી લઈ રાત્રિના 8:15 વચ્ચેના સમયમાં શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટનું એરપોર્ટ શહેરની મધ્યે રેસકોર્સ પાસે આવેલું છે. ત્યાં એક સમયે ફ્લાઈટના અભાવે સૂમસામ ભાસતું હતું. ત્યાં એપ્રિલ માસથી દૈનિક 10-12 હજાર જેટલા મુસાફરો તેમજ તેમના સંબંધીઓની અવરજવર જોવા મળશે. આ ફ્લાઈટ સમયસર ચાલે અને તેના ભાવ વાજબી રખાય તો સર્વિસ નફાકારક રીતે ચાલી શકે તેમ છે. ઉપરાંત હજુ રાજકોટથી સુરત, અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આબુ અંબાજી, હરિદ્વાર-ઋષિકેશ જેવા સ્થળોએ પણ મોટી સંખ્યામાં મુસાફરો મળી શકે તેમ છે. ત્યારે આગામી સમયમાં આ બધા સ્થળોએ ફ્લાઈટ શરૂ કરવામાં આવે તો એરપોર્ટ નાનું પડશે. અને એટલે જ શહેરનાં હીરાસર ખાતે ફાઈવસ્ટાર હોટલ સમાન નવું એરપોર્ટ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યું છે.