રાજકોટ એરપોર્ટ પર ક્રમશ ફ્લાઇટ કનેક્ટીવીટી વધી રહી છે
ચેમ્બર ઓફ કોમર્સ સહિત અનેક સંસ્થાઓની રજૂઆતને પગલે ફ્લાઈટ સર્વિસમાં વધારો કરાયો
આવનારા સમયમાં દિલ્હી, બેંગલોર, મુંબઇ સહિતની કુલ 11 નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે
WatchGujarat. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટને અંતે વિમાની સેવાઓ મળવાનું શરૂ થયું છે. ત્યારે રાજકોટ એરપોર્ટ પર આજે રાજકોટ-હૈદરાબાદ ફ્લાઇટ આવી હતી. એરપોર્ટ પર પ્રથમ વખત આવતી હૈદરાબાદની આ ફ્લાઇટનું ફાયર વિભાગ દ્વારા વોટર કેનન મદદથી અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં એરપોર્ટ ઓથોરિટી દ્વારા આજે જ પ્રથમ ફ્લાઇટમાં આવનાર મુસાફરોને મીઠાઇ ખવડાવી મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.
https://youtu.be/uZVgGBtVIqc
એરપોર્ટ ડાયરેક્ટર દિંગત બોહરાએ જણાવ્યું કે ક્રમશ: ફ્લાઈટ વધી રહી છે. આજે હૈદરાબાદથી આવેલી આ પ્રથમ ફ્લાઈટનું ખાસ ભવ્ય સ્વાગત કરાયું છે. ફાયર વિભાગ દ્વારા વોટર કેનનથી ફ્લાઈટનું સ્વાગત કરાયા બાદ એરપોર્ટ તરફથી મીઠાઈ આપીને મુસાફરોનું પણ સ્વાગત કરાયું છે. આગામી દિવસોમાં હૈદરાબાદ તેમજ મુંબઈથી રાજકોટ વચ્ચેની અવરજવર વિશેષ રહેતી હોય વધુ બે ફ્લાઈટ તા.18 માર્ચ સુધીમાં શરૂ થશે. ઉપરાંત તા.28 માર્ચ સુધીમાં રાજકોટથી હૈદ્રાબાદ માટે 2, દિલ્હી માટે 4, મુંબઈ માટે 4, બેંગ્લોર માટે 2 સહિત દરરોજ 12 ફ્લાઈટ સવારના 6:40થી લઈને રાત્રીનાં 8:15 વચ્ચેના સમયગાળામાં શરૂ કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, ચેમ્બર ઓફ કોમર્સ સહિત અનેક સંસ્થાઓની દ્વારા વારંવાર રજૂઆતને લઈ રાજકોટથી દિલ્હી, મુંબઈ તેમજ બેંગ્લોર જવા માટે ફ્લાઈટ સર્વિસ શરૂ કરવામાં આવી ચૂકી છે. તેમજ આજથી હૈદરાબાદ જવા માટે સીધી ફ્લાઈટનો પ્રારંભ કરાયો છે. આવનારા સમયમાં દિલ્હી, બેંગલોર, મુંબઇ સહિતની કુલ 11 નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવનાર છે. ત્યારે એકસમયે સુમસામ રહેતા એરપોર્ટ પર હજારો મુસાફરોની અવરજવર થતી જોવાશે.
રાજકોટ એરપોર્ટ પર ક્રમશ ફ્લાઇટ કનેક્ટીવીટી વધી રહી છે
ચેમ્બર ઓફ કોમર્સ સહિત અનેક સંસ્થાઓની રજૂઆતને પગલે ફ્લાઈટ સર્વિસમાં વધારો કરાયો
આવનારા સમયમાં દિલ્હી, બેંગલોર, મુંબઇ સહિતની કુલ 11 નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે
WatchGujarat. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટને અંતે વિમાની સેવાઓ મળવાનું શરૂ થયું છે. ત્યારે રાજકોટ એરપોર્ટ પર આજે રાજકોટ-હૈદરાબાદ ફ્લાઇટ આવી હતી. એરપોર્ટ પર પ્રથમ વખત આવતી હૈદરાબાદની આ ફ્લાઇટનું ફાયર વિભાગ દ્વારા વોટર કેનન મદદથી અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં એરપોર્ટ ઓથોરિટી દ્વારા આજે જ પ્રથમ ફ્લાઇટમાં આવનાર મુસાફરોને મીઠાઇ ખવડાવી મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.
એરપોર્ટ ડાયરેક્ટર દિંગત બોહરાએ જણાવ્યું કે ક્રમશ: ફ્લાઈટ વધી રહી છે. આજે હૈદરાબાદથી આવેલી આ પ્રથમ ફ્લાઈટનું ખાસ ભવ્ય સ્વાગત કરાયું છે. ફાયર વિભાગ દ્વારા વોટર કેનનથી ફ્લાઈટનું સ્વાગત કરાયા બાદ એરપોર્ટ તરફથી મીઠાઈ આપીને મુસાફરોનું પણ સ્વાગત કરાયું છે. આગામી દિવસોમાં હૈદરાબાદ તેમજ મુંબઈથી રાજકોટ વચ્ચેની અવરજવર વિશેષ રહેતી હોય વધુ બે ફ્લાઈટ તા.18 માર્ચ સુધીમાં શરૂ થશે. ઉપરાંત તા.28 માર્ચ સુધીમાં રાજકોટથી હૈદ્રાબાદ માટે 2, દિલ્હી માટે 4, મુંબઈ માટે 4, બેંગ્લોર માટે 2 સહિત દરરોજ 12 ફ્લાઈટ સવારના 6:40થી લઈને રાત્રીનાં 8:15 વચ્ચેના સમયગાળામાં શરૂ કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, ચેમ્બર ઓફ કોમર્સ સહિત અનેક સંસ્થાઓની દ્વારા વારંવાર રજૂઆતને લઈ રાજકોટથી દિલ્હી, મુંબઈ તેમજ બેંગ્લોર જવા માટે ફ્લાઈટ સર્વિસ શરૂ કરવામાં આવી ચૂકી છે. તેમજ આજથી હૈદરાબાદ જવા માટે સીધી ફ્લાઈટનો પ્રારંભ કરાયો છે. આવનારા સમયમાં દિલ્હી, બેંગલોર, મુંબઇ સહિતની કુલ 11 નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવનાર છે. ત્યારે એકસમયે સુમસામ રહેતા એરપોર્ટ પર હજારો મુસાફરોની અવરજવર થતી જોવાશે.