સનાતન ધર્મની જાગૃતિ માટે નીકળેલો વિનોદ યાદવ અગાઉ ઇન્દોરમાં ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરતો હતો
લોકો સનાતન ધર્મને ભૂલી રહ્યા છે તેની જાગૃતિ માટે ઇન્દોરથી બાઇક લઇને નીકળ્યો છું. – વિનોદ યાદવ
યુવકે અત્યાર સુધી 4 જ્યોતિર્લિંગ અને 2 શક્તિપીઠનાં દર્શન કરી હાવે ત્રમ્બકેશ્વર મહાદેવનાં દર્શને જવા રવાના થયો
WatchGujarat. મધ્યપ્રદેશનાં ઇન્દોરનો એક યુવાન ધર્મની જાગૃતિ માટે બાઈકમાં શંકર-પાર્વતીની પ્રતિમા સાથે 12 જ્યોતિર્લિંગ તેમજ 4 ધામ સહિત શક્તિપીઠોની યાત્રાએ નીકળ્યો છે. વિનોદ યાદવ નામનો આ યુવાન રામમંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં ઉપસ્થિત હતો. અને ત્યારબાદ તેનામાં સનાતન ધર્મની લાગણીનો ઉદય થતા તેણે આ મહાભારત કાર્ય હાથમાં લીધું છે. જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી પરત ફરતા સમયે રાજકોટ પહોંચ્યો હતો. અને મીડિયાની સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે આધુનિક સમયમાં લોકો ધર્મને ભૂલી રહ્યા છે.
https://youtu.be/D_xliSrQySg
વધુમાં તેણે જણાવ્યું હતું કે, લોકો સનાતન ધર્મને ભૂલી રહ્યા છે તેની જાગૃતિ માટે તેમજ સનાતન ધર્મની યાદ અપાવવા માટે ઇન્દોરથી બાઇક લઇને નીકળ્યો છું. અને 12 જ્યોતિર્લિંગ ખાતે પહોંચી દર્શન કરીશ. હાલમાં તો સૌરાષ્ટ્રમાં સોમનાથ અને દ્વારકા ઉપરાંત જૂનાગઢમાં ગીરનાર પર્વત આરોહણ કરીને ગરવા ગીરનારના પણ દર્શન કરી ધન્યતા અનુભવી છે. માતા-પિતા તરીકે જ ભગવાન શંકર-પાર્વતીની પ્રતિમા સાથે આ યાત્રા કરીને હું ધર્મ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ દરમિયાન શંકર-પાર્વતી જ મારી સંભાળ લઈ રહ્યા છે.
સનાતન ધર્મની જાગૃતિ માટે નીકળેલો વિનોદ યાદવ અગાઉ ઇન્દોરમાં ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. બાદમાં આ યુવાન 5 ઓગષ્ટ-2020નાં રોજ રાધે-રાધે બાબાના ડ્રાઇવર તરીકે અયોધ્યા પહોંચ્યો હતો. જ્યાં પીએમની હાજરીમાં આયોજિત ભગવાન રામમંદિરના ભૂમિપૂજનમાં હાજર રહ્યો હતો. અને ત્યારથી તેણે 12 જ્યોતિર્લિંગ, ચારધામ અને શક્તિપીઠોના દર્શન કરવા માટેનો નિર્ણય કર્યો હતો. અત્યાર સુધી 4 જ્યોતિર્લિંગ અને 2 શક્તિપીઠનાં દર્શન કરી હાલ તે ત્રમ્બકેશ્વર મહાદેવનાં દર્શને જવા રવાના થયો હોવાનું પણ તેણે કહ્યું હતું.
સનાતન ધર્મની જાગૃતિ માટે નીકળેલો વિનોદ યાદવ અગાઉ ઇન્દોરમાં ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરતો હતો
લોકો સનાતન ધર્મને ભૂલી રહ્યા છે તેની જાગૃતિ માટે ઇન્દોરથી બાઇક લઇને નીકળ્યો છું. – વિનોદ યાદવ
યુવકે અત્યાર સુધી 4 જ્યોતિર્લિંગ અને 2 શક્તિપીઠનાં દર્શન કરી હાવે ત્રમ્બકેશ્વર મહાદેવનાં દર્શને જવા રવાના થયો
WatchGujarat. મધ્યપ્રદેશનાં ઇન્દોરનો એક યુવાન ધર્મની જાગૃતિ માટે બાઈકમાં શંકર-પાર્વતીની પ્રતિમા સાથે 12 જ્યોતિર્લિંગ તેમજ 4 ધામ સહિત શક્તિપીઠોની યાત્રાએ નીકળ્યો છે. વિનોદ યાદવ નામનો આ યુવાન રામમંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં ઉપસ્થિત હતો. અને ત્યારબાદ તેનામાં સનાતન ધર્મની લાગણીનો ઉદય થતા તેણે આ મહાભારત કાર્ય હાથમાં લીધું છે. જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી પરત ફરતા સમયે રાજકોટ પહોંચ્યો હતો. અને મીડિયાની સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે આધુનિક સમયમાં લોકો ધર્મને ભૂલી રહ્યા છે.
વધુમાં તેણે જણાવ્યું હતું કે, લોકો સનાતન ધર્મને ભૂલી રહ્યા છે તેની જાગૃતિ માટે તેમજ સનાતન ધર્મની યાદ અપાવવા માટે ઇન્દોરથી બાઇક લઇને નીકળ્યો છું. અને 12 જ્યોતિર્લિંગ ખાતે પહોંચી દર્શન કરીશ. હાલમાં તો સૌરાષ્ટ્રમાં સોમનાથ અને દ્વારકા ઉપરાંત જૂનાગઢમાં ગીરનાર પર્વત આરોહણ કરીને ગરવા ગીરનારના પણ દર્શન કરી ધન્યતા અનુભવી છે. માતા-પિતા તરીકે જ ભગવાન શંકર-પાર્વતીની પ્રતિમા સાથે આ યાત્રા કરીને હું ધર્મ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ દરમિયાન શંકર-પાર્વતી જ મારી સંભાળ લઈ રહ્યા છે.
સનાતન ધર્મની જાગૃતિ માટે નીકળેલો વિનોદ યાદવ અગાઉ ઇન્દોરમાં ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. બાદમાં આ યુવાન 5 ઓગષ્ટ-2020નાં રોજ રાધે-રાધે બાબાના ડ્રાઇવર તરીકે અયોધ્યા પહોંચ્યો હતો. જ્યાં પીએમની હાજરીમાં આયોજિત ભગવાન રામમંદિરના ભૂમિપૂજનમાં હાજર રહ્યો હતો. અને ત્યારથી તેણે 12 જ્યોતિર્લિંગ, ચારધામ અને શક્તિપીઠોના દર્શન કરવા માટેનો નિર્ણય કર્યો હતો. અત્યાર સુધી 4 જ્યોતિર્લિંગ અને 2 શક્તિપીઠનાં દર્શન કરી હાલ તે ત્રમ્બકેશ્વર મહાદેવનાં દર્શને જવા રવાના થયો હોવાનું પણ તેણે કહ્યું હતું.