વહેલી સવારે ગાર્ડનમાં સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા લોકોએ કુલ 6થી વધુ પક્ષીઓના મોત નિપજ્યાની જાણ પોલીસના કંટ્રોલરૂમમાં કરી
પક્ષીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બર્ડફ્લુની આશંકાએ તપાસ શરુ
પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત સામે આવશે
WatchGujarat. ગુજરાતભરમાં હાલ બર્ડ ફ્લુનો ફફડાટ છે. તાજેતરમાં જ ગોંડલ તાલુકાના શિવરાજ ગઢ ગામે આઠ જેટલી ટીટોડીના મોત નિપજ્યા હતા. ત્યારે હવે શહેરનાં જિલ્લા ગાર્ડનમાં ખાતે 6થી વધુ રોઝી સ્ટર્લિંગ નામના વિદેશી પક્ષીઓના ટપોટપ મોત થતા તંત્રમાં દોડધામ મચી છે. અને તમામ પક્ષીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બર્ડફ્લુની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત જાણી શકાશે.
આ અંગે જાણવા મળી રહેલી વિગતો મુજબ વહેલી સવારે ગાર્ડનમાં સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા લોકોએ કુલ 6થી વધુ પક્ષીઓના મોત નિપજ્યાની જાણ પોલીસના કંટ્રોલરૂમમાં કરી હતી. જેને પગલે ભક્તિનગર પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને એકીસાથે થયેલા પક્ષીઓનાં મોત મામલે વેટરનરી ડૉક્ટરોની હાજરીમાં પક્ષીઓના મૃતદેહનું પીએમ કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સ્થાનિકોનાં જણાવ્યા મુજબ, જિલ્લા ગાર્ડનમાં મોર્નિગ વોક દરમિયાન પક્ષીઓનાં મૃતદેહ જોવા મળ્યા હતા. તેમજ અમુક પક્ષીઓ તરફડીને ટપોટપ નીચે પડી રહ્યાં હોવાનું જોવા મળતા તરત જ બર્ડ ફ્લૂની શંકાને લઇ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી. અને જાણ કર્યાની ગણતરીની મિનિટોમાં ભક્તિનગર પોલીસ દોડી આવી હતી. અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી .
ઉલ્લેખનીય છે કે, સતત બીજા દિવસે પક્ષીઓના મોત થતાં જીલ્લા ગાર્ડન માં મોર્નિંગ વોક કરવા આવનાર લોકો તેમજ આસપાસના રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે પીએમ રિપોર્ટમાં પક્ષીઓના મોતનું કારણ બર્ડ ફ્લૂના કારણે થયું હોવાનું સામે આવે છે કે પછી અન્ય કોઈ કારણ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. ત્યારે હાલ તો આસપાસમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
વહેલી સવારે ગાર્ડનમાં સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા લોકોએ કુલ 6થી વધુ પક્ષીઓના મોત નિપજ્યાની જાણ પોલીસના કંટ્રોલરૂમમાં કરી
પક્ષીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બર્ડફ્લુની આશંકાએ તપાસ શરુ
પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત સામે આવશે
WatchGujarat. ગુજરાતભરમાં હાલ બર્ડ ફ્લુનો ફફડાટ છે. તાજેતરમાં જ ગોંડલ તાલુકાના શિવરાજ ગઢ ગામે આઠ જેટલી ટીટોડીના મોત નિપજ્યા હતા. ત્યારે હવે શહેરનાં જિલ્લા ગાર્ડનમાં ખાતે 6થી વધુ રોઝી સ્ટર્લિંગ નામના વિદેશી પક્ષીઓના ટપોટપ મોત થતા તંત્રમાં દોડધામ મચી છે. અને તમામ પક્ષીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બર્ડફ્લુની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત જાણી શકાશે.
આ અંગે જાણવા મળી રહેલી વિગતો મુજબ વહેલી સવારે ગાર્ડનમાં સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા લોકોએ કુલ 6થી વધુ પક્ષીઓના મોત નિપજ્યાની જાણ પોલીસના કંટ્રોલરૂમમાં કરી હતી. જેને પગલે ભક્તિનગર પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને એકીસાથે થયેલા પક્ષીઓનાં મોત મામલે વેટરનરી ડૉક્ટરોની હાજરીમાં પક્ષીઓના મૃતદેહનું પીએમ કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સ્થાનિકોનાં જણાવ્યા મુજબ, જિલ્લા ગાર્ડનમાં મોર્નિગ વોક દરમિયાન પક્ષીઓનાં મૃતદેહ જોવા મળ્યા હતા. તેમજ અમુક પક્ષીઓ તરફડીને ટપોટપ નીચે પડી રહ્યાં હોવાનું જોવા મળતા તરત જ બર્ડ ફ્લૂની શંકાને લઇ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી. અને જાણ કર્યાની ગણતરીની મિનિટોમાં ભક્તિનગર પોલીસ દોડી આવી હતી. અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી .
ઉલ્લેખનીય છે કે, સતત બીજા દિવસે પક્ષીઓના મોત થતાં જીલ્લા ગાર્ડન માં મોર્નિંગ વોક કરવા આવનાર લોકો તેમજ આસપાસના રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે પીએમ રિપોર્ટમાં પક્ષીઓના મોતનું કારણ બર્ડ ફ્લૂના કારણે થયું હોવાનું સામે આવે છે કે પછી અન્ય કોઈ કારણ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. ત્યારે હાલ તો આસપાસમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.