કોરોનાના કારણે મૃત્યુઆંક વધુ હોય મરણના દાખલા કાઢવા માટે પણ લોકોનો ધસારો જોવા મળ્યો છે
કોરોના મહામારીને લઈને મરણના દાખલા કઢાવવાની કામગીરી ફિઝીકલના બદલે ઓનલાઈન કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો
લોકોએ વેબસાઇટ ખોલ્યા બાદ પણ મરણનો દાખલો ડાઉનલોડ ન થતાં આ લોકો કોર્પોરેશન કચેરી ખાતે ધસી ગયા
Watchgujarat. શહેરમાં કોરોના મહામારીના કારણે દિવસે દિવસે કોરોનાના દર્દીઓનો મરણાંક ઉંચો જઈ રહ્યો છે. મરણજનાર દર્દીઓના સ્વજનો દ્વારા મરણનો દાખલો કઢાવવા માટે જન્મ-મરણની નોંધણી વિભાગમાં ભારે ભીડ લગાવી છે. છેલ્લા ત્રણ દિવસથી જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી બંધ કર્યા બાદ ગઈકાલે ફકત ઓનલાઈન દાખલાઓ નિકળી શકશે તેવી તંત્રએ જાહેરાત કરી હતી. જોકે વહેલી સવારથી મનપાના જન્મ-મરણ વિભાગ ખાતે લોકોએ લાઈનો લગાવતા ના છૂટકે તંત્રને ફિઝીકલી દાખલા કાઢવાની કામગીરી શરૂ કરવાની ફરજ પડી હતી. દરમિયાન કનેકટીવીટી ખોરવાઈ જતાં અરજદારોમાં દેકારો બોલી ગયો હતો.
ગઈકાલે જ કોરોના મહામારીને લઈને મરણના દાખલા કઢાવવાની કામગીરી ફિઝીકલના બદલે ઓનલાઈન કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારનાં સોફ્ટવેર પધ્ધતિ મુજબ જન્મ અને મરણના દાખલા ઓનલાઈન ડાઉનલોડ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ માટેનો સોફ્ટવેર ડાઉનલોડ કરવા સહિતની કામગીરી કરવાની હોય ત્રણ દિવસ માટે જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી સદંતર બંધ કરવામાં આવી હતી.
હાલ કોરોનાના કારણે મૃત્યુઆંક વધુ હોય મરણના દાખલા કાઢવા માટે પણ લોકોનો ધસારો જોવા મળ્યો છે. તેવામાં જ તંત્ર દ્વારા ઓનલાઈન દાખલા નિકળશે અને ફિઝીકલી દાખલા કોર્પોરેશનની કચેરી ખાતેથી મળી શકશે નહીં તેવો ફતવો જાહેર કર્યો હતો. જોકે લોકોએ વેબસાઇટ ખોલ્યા બાદ પણ મરણનો દાખલો ડાઉનલોડ ન થતાં આ લોકો કોર્પોરેશન કચેરી ખાતે ધસી ગયા હતા. તેમજ અરજદારોના ટોળેટોળા એકઠા થતાં ના છૂટકે તંત્ર દ્વારા ફિઝીકલી જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
જન્મ-મરણ વિભાગના અધિકારીઓનાં જણાવ્યા મુજબ, રાજ્ય સરકારની સૂચના મુજબ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આથી કોઈ અરજદારને ફિઝીકલી જન્મ-મરણનો દાખલો જોતો હશે તો કચેરી ખાતેથી મળી જશે. ફકત સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ અને લોકો ઘરની બહાર ન નિકળે તે માટે ઓનલાઈન જન્મ-મરણના દાખલાની સુવિધાનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.
કોરોનાના કારણે મૃત્યુઆંક વધુ હોય મરણના દાખલા કાઢવા માટે પણ લોકોનો ધસારો જોવા મળ્યો છે
કોરોના મહામારીને લઈને મરણના દાખલા કઢાવવાની કામગીરી ફિઝીકલના બદલે ઓનલાઈન કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો
લોકોએ વેબસાઇટ ખોલ્યા બાદ પણ મરણનો દાખલો ડાઉનલોડ ન થતાં આ લોકો કોર્પોરેશન કચેરી ખાતે ધસી ગયા
Watchgujarat. શહેરમાં કોરોના મહામારીના કારણે દિવસે દિવસે કોરોનાના દર્દીઓનો મરણાંક ઉંચો જઈ રહ્યો છે. મરણજનાર દર્દીઓના સ્વજનો દ્વારા મરણનો દાખલો કઢાવવા માટે જન્મ-મરણની નોંધણી વિભાગમાં ભારે ભીડ લગાવી છે. છેલ્લા ત્રણ દિવસથી જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી બંધ કર્યા બાદ ગઈકાલે ફકત ઓનલાઈન દાખલાઓ નિકળી શકશે તેવી તંત્રએ જાહેરાત કરી હતી. જોકે વહેલી સવારથી મનપાના જન્મ-મરણ વિભાગ ખાતે લોકોએ લાઈનો લગાવતા ના છૂટકે તંત્રને ફિઝીકલી દાખલા કાઢવાની કામગીરી શરૂ કરવાની ફરજ પડી હતી. દરમિયાન કનેકટીવીટી ખોરવાઈ જતાં અરજદારોમાં દેકારો બોલી ગયો હતો.
ગઈકાલે જ કોરોના મહામારીને લઈને મરણના દાખલા કઢાવવાની કામગીરી ફિઝીકલના બદલે ઓનલાઈન કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારનાં સોફ્ટવેર પધ્ધતિ મુજબ જન્મ અને મરણના દાખલા ઓનલાઈન ડાઉનલોડ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ માટેનો સોફ્ટવેર ડાઉનલોડ કરવા સહિતની કામગીરી કરવાની હોય ત્રણ દિવસ માટે જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી સદંતર બંધ કરવામાં આવી હતી.
હાલ કોરોનાના કારણે મૃત્યુઆંક વધુ હોય મરણના દાખલા કાઢવા માટે પણ લોકોનો ધસારો જોવા મળ્યો છે. તેવામાં જ તંત્ર દ્વારા ઓનલાઈન દાખલા નિકળશે અને ફિઝીકલી દાખલા કોર્પોરેશનની કચેરી ખાતેથી મળી શકશે નહીં તેવો ફતવો જાહેર કર્યો હતો. જોકે લોકોએ વેબસાઇટ ખોલ્યા બાદ પણ મરણનો દાખલો ડાઉનલોડ ન થતાં આ લોકો કોર્પોરેશન કચેરી ખાતે ધસી ગયા હતા. તેમજ અરજદારોના ટોળેટોળા એકઠા થતાં ના છૂટકે તંત્ર દ્વારા ફિઝીકલી જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
જન્મ-મરણ વિભાગના અધિકારીઓનાં જણાવ્યા મુજબ, રાજ્ય સરકારની સૂચના મુજબ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આથી કોઈ અરજદારને ફિઝીકલી જન્મ-મરણનો દાખલો જોતો હશે તો કચેરી ખાતેથી મળી જશે. ફકત સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ અને લોકો ઘરની બહાર ન નિકળે તે માટે ઓનલાઈન જન્મ-મરણના દાખલાની સુવિધાનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.