WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ રાજકારણમાં ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હેમાંગ વસાવડાએ EVM મુદ્દે ચૂંટણી પંચ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. અને ભાજપનાં ઈશારે જ EVM માં કમળનાં નિશાન મોટા અને ઘાટી શાહીથી પ્રિન્ટ કરાવ્યા હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં 24 કલાકમાં પ્રિન્ટિંગ સુધારવામાં ન આવે તો કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. જો કે ભાજપનાં પ્રવક્તા રાજુ ધ્રુવે તેમના આ બધા આક્ષેપો તદ્દન પાયાવિહોણા હોવાનું જણાવી ચૂંટણી પંચ તટસ્થ રીતે કામ કરતું હોવાનું કહ્યું છે.
હેમાંગ વસાવડાનાં કહેવા મુજબ, EVMમાં કમળનાં નિશાન અન્ય પક્ષનાં નિશાનો કરતા મોટા અને ઘાટી શાહીથી પ્રિન્ટ કરવામાં આવ્યા છે. જેને લઈને કોઈ મતદાર જ્યારે મતદાન કરવા આવે ત્યારે EVMમાં તેને પહેલી નજરમાં ચાર મોટા કમળ જ દેખાય તેવો પ્રયાસ કરાયો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. સાથે ચૂંટણી પંચ દ્વારા ભાજપનાં ઈશારે જ આ રીતે પ્રિન્ટિંગ કરવામાં આવ્યા હોવાનો સણસણતો આક્ષેપ પણ તેમણે કર્યો છે.
વધુમાં વસાવડાનાં જણાવ્યા મુજબ, આજે ચૂંટણી અધિકારીએ નિશાન જોવા માટે બોલાવ્યા હતા. અને અમે તાત્કાલિક આની સામે વાંધો ઉઠાવ્યો છે. તેમજ ચૂંટણી અધિકારીએ પણ જણાવ્યું છે કે, આ માટેનાં નિયમો જોવા પડશે અને તમારો લેટર અમે ગવર્મેન્ટ પ્રેસને મોકલીશું. પરંતુ જો આગામી 24 કલાકમાં આ પ્રિન્ટિંગ સુધારવામાં નહીં આવે તો આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
બીજીતરફ ભાજપનાં પ્રવક્તા રાજુ ધ્રુવે વસાવડાનાં તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. અને કહ્યું હતું કે, ચૂંટણી પંચનાં નિયમો મુજબ તમામ પક્ષનાં નિશાન પ્રિન્ટ થતા હોય છે. અને તે પણ કોઈ પ્રાઇવેટ પ્રેસમાં નહીં પરંતુ સરકારી પ્રેસમાં, ત્યારે આ બાબતે કોઈ વિરોધ કરવો યોગ્ય નથી. હકીકતમાં કોંગ્રેસ પોતે હાર ભાળી ગઈ હોવાથી આવા પાયાવિહોણા આક્ષેપ કરી રહી છે. અગાઉ હારનું ઠીકરું વ્યક્તિઓ ઉપર ફોડવામાં આવતું હતું. હવે EVMનાં નિશાન પર તેની હારનું ઠીકરું ફોડવાની તૈયારી અત્યારથી જ કોંગ્રેસે કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે. બાકી રાજ્યનું ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજવા માટેના બધા પ્રયાસો કરી રહ્યું છે. તેમાં ભાજપનો કોઈ હસ્તક્ષેપ હોવાનો સવાલ જ નથી.
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ રાજકારણમાં ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હેમાંગ વસાવડાએ EVM મુદ્દે ચૂંટણી પંચ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. અને ભાજપનાં ઈશારે જ EVM માં કમળનાં નિશાન મોટા અને ઘાટી શાહીથી પ્રિન્ટ કરાવ્યા હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં 24 કલાકમાં પ્રિન્ટિંગ સુધારવામાં ન આવે તો કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. જો કે ભાજપનાં પ્રવક્તા રાજુ ધ્રુવે તેમના આ બધા આક્ષેપો તદ્દન પાયાવિહોણા હોવાનું જણાવી ચૂંટણી પંચ તટસ્થ રીતે કામ કરતું હોવાનું કહ્યું છે.
હેમાંગ વસાવડાનાં કહેવા મુજબ, EVMમાં કમળનાં નિશાન અન્ય પક્ષનાં નિશાનો કરતા મોટા અને ઘાટી શાહીથી પ્રિન્ટ કરવામાં આવ્યા છે. જેને લઈને કોઈ મતદાર જ્યારે મતદાન કરવા આવે ત્યારે EVMમાં તેને પહેલી નજરમાં ચાર મોટા કમળ જ દેખાય તેવો પ્રયાસ કરાયો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. સાથે ચૂંટણી પંચ દ્વારા ભાજપનાં ઈશારે જ આ રીતે પ્રિન્ટિંગ કરવામાં આવ્યા હોવાનો સણસણતો આક્ષેપ પણ તેમણે કર્યો છે.
વધુમાં વસાવડાનાં જણાવ્યા મુજબ, આજે ચૂંટણી અધિકારીએ નિશાન જોવા માટે બોલાવ્યા હતા. અને અમે તાત્કાલિક આની સામે વાંધો ઉઠાવ્યો છે. તેમજ ચૂંટણી અધિકારીએ પણ જણાવ્યું છે કે, આ માટેનાં નિયમો જોવા પડશે અને તમારો લેટર અમે ગવર્મેન્ટ પ્રેસને મોકલીશું. પરંતુ જો આગામી 24 કલાકમાં આ પ્રિન્ટિંગ સુધારવામાં નહીં આવે તો આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
બીજીતરફ ભાજપનાં પ્રવક્તા રાજુ ધ્રુવે વસાવડાનાં તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. અને કહ્યું હતું કે, ચૂંટણી પંચનાં નિયમો મુજબ તમામ પક્ષનાં નિશાન પ્રિન્ટ થતા હોય છે. અને તે પણ કોઈ પ્રાઇવેટ પ્રેસમાં નહીં પરંતુ સરકારી પ્રેસમાં, ત્યારે આ બાબતે કોઈ વિરોધ કરવો યોગ્ય નથી. હકીકતમાં કોંગ્રેસ પોતે હાર ભાળી ગઈ હોવાથી આવા પાયાવિહોણા આક્ષેપ કરી રહી છે. અગાઉ હારનું ઠીકરું વ્યક્તિઓ ઉપર ફોડવામાં આવતું હતું. હવે EVMનાં નિશાન પર તેની હારનું ઠીકરું ફોડવાની તૈયારી અત્યારથી જ કોંગ્રેસે કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે. બાકી રાજ્યનું ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજવા માટેના બધા પ્રયાસો કરી રહ્યું છે. તેમાં ભાજપનો કોઈ હસ્તક્ષેપ હોવાનો સવાલ જ નથી.